[ad_1]
હાઈલાઈટ્સ:
- જો કોઈ વ્યક્તિ ફૂડને સારું અથવા ખરાબ જણાવે છે તો તેને એક Fad diet કહી શકાય છે.
- આ પ્રકારના Fad dietમાં પડવું જોઈએ નહીં. આ ડાયટ આગળ જતા તમને અસ્વસ્થ બનાવી શકે છે.
- કોઈ આહાર તમને વજન, ભોજન, સ્ટેપ્સ અને કેલરી માપવાનું કહે છે તો તમારું જીવન માત્ર એક સંખ્યા સુધી સીમિત રહી જશે.
સેલેબ્રિટી ન્યૂટ્રિશનિસ્ટ ઋજુતા દિવેકર જણાવે છે કે જો કોઈ વ્યક્તિ ફૂડને સારું અથવા ખરાબ જણાવે છે તો તેને એક Fad diet કહી શકાય છે. અત્યારે ઘણાં Fad diet પ્રોટીન અને ફેટને સારું ભોજન તેમજ કાર્બોહાઈડ્રેટ અને ખાંડને ખરાબ ભોજન કહે છે. તેઓ એવું પણ જણાવે છે કે આ પ્રકારના Fad dietમાં પડવું જોઈએ નહીં. આ ડાયટ આગળ જતા તમને અસ્વસ્થ બનાવી શકે છે.
સેલેબ્રિટી ન્યૂટ્રિશનિસ્ટ ઋજુતા દિવેકર જણાવે છે કે આપણે તે આહારોથી સાવધાન રહેવું જોઈએ જે આપણી સંસ્કૃતિમાંથી ચીજવસ્તુઓ લે છે પણ તેને પોતાની સ્ટાઈલમાં રજૂ કરે છે. જે મોટાભાગે દરેક વસ્તુઓમાં હળદર મિક્સ કરવાનું જણાવે છે. ઋજુતા દિવેકરનું કહેવું છે કે કોઈ આહાર તમને વજન, ભોજન, સ્ટેપ્સ અને કેલરી માપવાનું કહે છે તો તમારું જીવન માત્ર એક સંખ્યા સુધી સીમિત રહી જશે. એક સ્થાયી આહાર, વાતાવરણ અને સંસ્કૃતિને ધ્યાનમાં રાખે છે. જેથી તમને સારી ઊંઘ આવે છે અને તમે સવારે ઉઠવામાં, ખાંડની લાલચમાંથી મુક્તિ મેળવવામાં સફળ થઈ જાઓ છો. આ સિવાય નિયમિતરીતે કસરત કરવા માટેની અનુમતિ આપે છે. આશા છે કે સેલેબ્રિટી ન્યૂટ્રિશનિસ્ટ ઋજુતા દિવેકરની આ ટિપ્સ તમને ફેડ ડાયટ ઓળખવામાં મદદ કરશે જે ફાયદાકારકથી વધુ નુક્સાનદાયક છે.
અહીં નોંધનીય છે કે સેલેબ્રિટી ન્યૂટ્રિશનિસ્ટ ઋજુતા દિવેકર (Rujuta Diwekar)એ કોલેસ્ટ્રોલ (cholesterol) સાથે જોડાયેલી મહત્વની વાત જણાવી છે. કરીના કપૂરના ડાયટીશિયન ઋજુતા દિવેકરે જણાવ્યું કે કોલેસ્ટ્રોલ સંબંધિત ઘણી માન્યતાઓ છે જેના કારણે લોકોએ ઘી, મલાઈ અને માખણ ખાવાનું બંધ કરી દીધું છે. એવું નથી કે વધુ વજન ધરાવતા લોકોમાં જ કોલેસ્ટ્રોલ હોય છે, પાતળા લોકોમાં પણ કોલેસ્ટ્રોલ હોઈ શકે છે. જો તમે દૂધ, ઈંડા ખાઓ છો તો તેમાં કોલેસ્ટ્રોલ હશે. આવો પ્રાકૃતિક આહાર તમે ખાઈ શકો છો પણ પેકેજ્ડ ફૂડથી બચવું જોઈએ. તેઓ જણાવે છે કે વર્ષના 365 દિવસોમાંથી તમે 300 દિવસ રોટલી, શાક, દાળ, ભાત ખાઓ છો અને 60 દિવસ તમે તહેવાર-પ્રસંગમાં તળેલું ખાઓ છો તો તમારા શરીર-હાર્ટને કોઈ નુકસાન નહીં થાય.
ઋજુતા દિવેકર જણાવે છે કે હાર્ટ સ્વસ્થ રહે તે માટે અઠવાડિયામાં ઓછામાં ઓછી 3 કલાક કસરત કરવી જોઈએ. જેમાં યોગ, ચાલવું, સાઈકલ ચલાવવી અને જીમ વગેરે સામેલ કરી શકો છો. રાત્રે 9.30થી 10.30ની વચ્ચે સૂઈ જવું અને સવારે 5થી 7ની વચ્ચે ઉઠવાની આદતથી તણાવમુક્ત રહેશો અને કોલેસ્ટ્રોલની પણ કોઈ ચિંતા રહેશે નહીં.
[ad_2]
Source link
Leave a Reply