Rain: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં 16 અને 17 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી – heavy rain expected on 16 and 17 august in uttar gujarat and saurashtra-kutch says weather department

[ad_1]

ગાંધીનગર: રાજ્યમાં સૌરાષ્ટ્ર સિવાયના વિસ્તારોમાં છૂટો-છવાયો વરસાદ પડી રહ્યો છે, ત્યારે રાજ્યના હવામાન વિભાગે આ સપ્તાહે શરૂ થનારો વરસાદ આગામી સપ્તાહમાં પણ પડે તેવી પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરી છે. આ ઉપરાંત આગામી 16 અને 17 ઓગસ્ટે ઉત્તર ગુજરાત અને સોરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે વેધર વોચ ગ્રુપની વર્ચ્યુઅલ મીટિંગ યોજાઈ હતી, તેમાં આ વાત જણાવાઈ છે.

ગાંધીનગરમાં મંગળવારે રાહત કમિશનર અને અધિક સચિવ હર્ષદ આર પટેલના અધ્યક્ષસ્થાને વેધર વોચ ગ્રુપનો વેબીનાર યોજાયો હતો. જેમાં એવી પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરાઈ છે કે આ સપ્તાહમાં શરૂ થતો વરસાદ આગામી સપ્તાહમાં પણ પડશે. તે ઉપરાંત આગામી તા. ૧૬ અને ૧૭ ઓગસ્ટે ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.

રાહત કમિશનરે વર્ચ્યુઅલ મિટિંગમાં ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યુ કે, આજે (મંગળવારે) સવારે 6 થી બપોરના 2 વાગ્યા સુધીમાં 94 તાલુકાઓમાં 1 મીમીથી લઈને 89 મીમી સુધી વરસાદ નોંધાયો છે. કલ્યાણપુર તાલુકામાં સૌથી વધુ 89 મીમી વરસાદ નોંધાયો છે. રાજયમાં અત્યાર સુધી 481.39 મીમી વરસાદ પડ્યો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ 831 મીમીની સરખામણીએ 57.93 ટકા છે.
IMDના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બે દિવસમાં બંગાળની ખાડીના ઉત્તરી ભાગમાં લો-પ્રેશર બની રહ્યુ છે. ઉ૫રાંત એક સાયકલોનીક સકર્યુલેશન પાકિસ્તાન-કચ્છ-રાજસ્થાન વિસ્તાર ૫ર હોઈ આગામી સપ્તાહમાં દક્ષિણ ગુજરાત ઉ૫રાંત મધ્ય તથા ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી અતિભારે વરસાદ થઈ શકે છે.

આ મીટિંગમાં કૃષિ વિભાગ દ્વારા જણાવાયું હતુ કે, ચાલુ વર્ષે 10 ઓગસ્ટ, 2020 સુધીમાં અંદાજીત 78.02 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. ગત વર્ષે આ જ ગાળામાં 71.34 લાખ હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 91.90 ટકા વાવેતર થયું છે.
સિંચાઇ વિભાગ દ્વારા જણાવાયું હતુ કે, સરદાર સરોવર જળાશયમાં હાલની સપાટી 119.47 મીટર છે, તેમજ 1,71,006 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના 51.19 ટકા છે. તેમજ 7,522 કયુસેક પાણીની આવક થઈ છે. રાજયનાં 205 જળાશયોમાં કુલ સંગ્રહ 55.75 ટકા છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ઉ૫ર કુલ 69 જળાશય, એલર્ટ ઉ૫ર ૧૧ જળાશય તેમજ વોર્નીગ ઉ૫ર 8 જળાશય છે.
ફીશરીઝ વિભાગ દ્વારા જણાવાયું હતુ કે, આજથી 15 ઓગસ્ટ સુધી માછીમારોને દરીયો ખેડવા ૫ર પ્રતિબંધ મૂકાયો છે.

રાહત કમિશનરે જણાવ્યું હતું કે, આગામી સપ્તાહમાં તા. 15 ઓગસ્ટથી 17 ઓગસ્ટની આસપાસ ભારે વરસાદની આગાહીને પગલે NDRFની ટીમો સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. આ ટીમો જરૂર જણાશે તો ઉત્તર ગુજરાતમાં ૫ણ મોકલવામાં આવશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં NDRFની ટીમ યથાવત રાખવામાં આવશે. ભારે વરસાદની આગાહીના ૫ગલે તમામ વિભાગોએ સચેત રહેવા તથા તે અંગેની આગોતરી તૈયારી કરવા પણ તમામ વિભાગોને જરૂરી સૂચના આપવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *