[ad_1]
હાઈલાઈટ્સ:
- વેલ્યૂ વિના જ વસ્તુ ઉંચી કિંમત ધરાવતી કોઈપણ વસ્તુનો ફુગ્ગો ગમે ત્યારે ફુટી શકે: રાજન
- સરળતાથી આંતરરાષ્ટ્રીય વ્યવહારની સવલત આપતી કરન્સી જ આવનારા સમયમાં ટકશે
- ક્રિપ્ટોકરન્સી પણ ચીટ ફંડ્સ જેવી સમસ્યા સર્જી શકે, મોટાભાગના કોઈનની કોઈ વેલ્યૂ નહીં
રઘુરામ રાજનનું કહેવું છે કે, ક્રિપ્ટોકરન્સી પણ ચીટ ફંડ્સ જેવી સમસ્યાઓ સર્જી શકે છે. ચીટ ફંડ્સ લોકો પાસેથી રુપિયા ઉઘરાવે છે અને એક દિવસ તેમનો ફુગ્ગો ફુટી જાય છે. ક્રિપ્ટો એસેટ્સ ધરાવતા ઘણા લોકો સરકારના આ વર્તનથી નારાજ હશે. તેમણે જણાવ્યું હતું કે મોટાભાગના ક્રિપ્ટોમાં કોઈ પરમેનન્ટ વેલ્યૂ નથી, પરંતુ કેટલીક ક્રિપ્ટોકરન્સી ક્રોસ-બોર્ડર પેમેન્ટને સરળ બનાવવાનો હેતુ સારી રીતે પૂરો પાડતી હોવાથી તે કદાચ ટકી જાય. બ્લોકચેઈન ટેક્નોલોજી પર તેમણે જણાવ્યું હતું કે સરકારે તેને વધુ સુદ્રઢ બનાવવા પ્રયાસ કરવા જોઈએ.
અમારા સાથી અખબાર ઈકોનોમિક ટાઈમ્સે આ મહિનાની શરુઆતમાં જ જણાવ્યું હતું કે સરકાર ક્રિપ્ટોને નિયમિત કરવા માટે કોઈ વચલો રસ્તો શોધી રહી છે, અને આ અંગે કોઈ ખરડો શિયાળુ સત્રમાં આવી શકે છે. દેશની મધ્યસ્થ બેન્કે પણ અગાઉ ક્રિપ્ટો સામે ચેતવણીનો સૂર ઉચ્ચાર્યો હતો. તેના ગવર્નર શક્તિકાંત દાસે તો ક્રિપ્ટોકરન્સીને આર્થિક સ્થિરતા સામે જોખમ પણ ગણાવી દીધી હતી.
ભારત સરકાર શિયાળુ સત્રમાં સંસદમાં ક્રિપ્ટોકરન્સીને રેગ્યુલેટ કરવા માટે એક ખરડો લાવી છે, જેમાં પ્રાઈવેટ કોઈન્સને પ્રતિબંધિત કરવાની જોગવાઈ છે. આ ઉપરાંત, રિઝર્વ બેન્ક દ્વારા સત્તાવાર રીતે ડિજિટલ કરન્સી લૉન્ચ કરવાનું ફ્રેમવર્ક પણ તૈયાર કરવાનો તેનો હેતુ છે. સરકાર લગભગ તમામ પ્રાઈવેટ ક્રિપ્ટોકરન્સીને પ્રતિબંધિત કરવાની તૈયારીમાં છે, પરંતુ ક્રિપ્ટોકરન્સીના ઉપયોગ અને ટેક્નોલોજીને પ્રમોટ કરવા કેટલીક બાંધછોડ જાહેર થઈ શકે છે.
[ad_2]
Source link
Leave a Reply