[ad_1]
હાઈલાઈટ્સ:
- સુપ્રીમમાં સુનાવણી બાદ NEET કાઉન્સેલિંગ ચાર અઠવાડિયા માટે મોકૂફ
- EWS ક્વોટામાં આવકની મર્યાદા ₹8 લાખ સુધી કરાય તેવા સંકેત મળ્યા
- વિદ્યાર્થીઓ તરફથી થયેલી રજૂઆત બાદ કેન્દ્રએ ચાર સપ્તાહનો સમય માગ્યો
આ મામલે જસ્ટિસ ડી વાય ચંદ્રચુડ, સુર્યકાંત અને વિક્રમ નાથની બેન્ચ સમક્ષ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ રજૂઆત કરી કે, “કોર્ટને અગાઉ આપેલી બાંહેધરી પ્રમાણે NEET કાઉન્સેલિંગ વધુ ચાર અઠવાડિયા માટે મોકૂફ રાખવામાં આવશે.” નોંધનીય છે કે, ચાલુ શૈક્ષણિક વર્ષમાં NEET-PGમાં પ્રવેશ માટે અન્ય પછાત વર્ગોને 27% અને EWS કેટેગરીને 10% અનામતની કેન્દ્ર અને મેડિકલ કાઉન્સેલિંગ કમિટીની 29 જુલાઈની નોટિસને કોર્ટમાં પડકારવામાં આવી હતી. જે બાદ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કેન્દ્ર દ્વારા EWS કેટેગરીમાં આવક મર્યામાં ફેરફાર કરવાની માહિતી આપવામાં આવી હતી.
આ અંગે જસ્ટિસ કાંત દ્વારા જણાવાયું હતું કે, આર્થિક રીતે પછાત વર્ગનો ક્વોટા પ્રગતિશીલ અનામત છે અને તમામ રાજ્યોએ કેન્દ્ર સરકારના આ પગલાને ટેકો આપવો જોઈએ. બેન્ચે આ અંગે જણાવ્યું કે, માત્ર પ્રશ્ન એટલો છે કે કેટેગરી નિર્ધારિત કરવાની પદ્ધતિ વૈજ્ઞાનિક હોવી જોઈએ અને કોર્ટ કેન્દ્રના અગાઉ નિર્ધારિત કરેલા માપદંડની સમીક્ષા કરવાના નિર્ણયને આવકારે છે.
વિદ્યાર્થીઓ તરફથી હાજર રહેલા એડવોકેટ અરવિંદ દાતાએ જણાવ્યું હતું કે, ઘણો સમય પસાર થઈ ચૂક્યો હોવાથી કેન્દ્ર સરકારે EWS ક્વોટાનો અમલ આગામી શૈક્ષણિક વર્ષમાં કરવો જોઈએ. ચાલુ વર્ષમાં કાઉન્સેલિંગને શરુ કરવાની મંજૂરી આપવી જોઈએ.
આ અંગે બેન્ચે મહેતાને પૂછ્યું હતું કે સરકાર આ બંધારણીય ફેરફારોનો અમલ આગામી શૈક્ષણિક વર્ષ સુધી ઠેલી શકે? જેના જવાબમાં મહેતાએ કહ્યું કે, સરકારે ચાલુ શૈક્ષણિક વર્ષમાં જ બંધારણીય ફેરફાર લાગુ કરવાનો નિર્ણય લીધો છે અને તેને પાછળ ઠેલવો યોગ્ય નથી. સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે આ કવાયત માટે ચાર અઠવાડિયાનો સમય લાગશે અને સરકાર દ્વારા અપાયેલી ખાતરીને કારણે કાઉન્સેલિંગની તારીખ મોકૂફ રાખવામાં આવશે. કોર્ટની અગાઉની કાર્યવાહીમાં કાઉન્સેલિંગની તારીખને પાછળ ઠેલવા અંગે રજૂઆત કરવામાં આવી હતી.
બીજી તરફ અન્ય પછાત (OBC) તરફથી હાજર થયેલા એડવોકેટ શશાંક રત્નુએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર EWS માપદંડની સમીક્ષા કરવા માગતી હોવાથી ઓબીસી વિદ્યાર્થીઓની અનામત અરજી પાછળ ઠેલાવી જોઈએ નહીં. જોકે, કોર્ટે ઓબીસી વિદ્યાર્થીઓ અંગે કશું કહ્યું નથી તે અરજીનો નિકાસ કરવા માગતી નથી. આ પછી કોર્ટે મહેતાનું નિવેદન નોંધ્યું હતું અને કેસની આગામી સુનાવણી 6 જાન્યુઆરીએ નિર્ધારિત કરવામાં આવી છે.
[ad_2]
Source link
Leave a Reply