omicron patients: ઓમિક્રોન દર્દીને ઓક્સિજન સપોર્ટની જરૂર નથી: દિલ્હીની હોસ્પિટલનો રિપોર્ટ – only 4 out of the 70 omicron patients had a mild fever, throat infection, weakness and loose motion

[ad_1]

હાઈલાઈટ્સ:

  • એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ, ઓમિક્રોનથી સંક્રમિત દર્દીઓ ગંભીરરીતે બીમાર થઈ રહ્યા નથી.
  • મતલબ કે ઓમિક્રોન સંક્રમિત દર્દી એટલો નબળો નથી પડતો કે તેમાં ગંભીર લક્ષણ જોવા મળે અને ઓક્સિજન લેવલ ખૂબ નીચે જતું રહે.
  • કોરોનાની બીજી લહેરમાં ડેલ્ટા વાયરસથી સંક્રમિત દર્દીઓમાં ઓક્સિજન લેવલ ઘટ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

નવી દિલ્હી: સમગ્ર દેશમાં કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો ડર ફેલાયેલો છે. ત્યારે એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ, ઓમિક્રોનથી સંક્રમિત દર્દીઓ ગંભીરરીતે બીમાર થઈ રહ્યા નથી. એવા પણ દાવા કરવામાં આવી રહ્યા છે કે સંપૂર્ણરીતે ઓમિક્રોન છવાઈ ગયા પછી વાયરસથી સંક્રમિત દર્દીઓના મોતના મામલા ખૂબ ઘટી જશે. દિલ્હીની લોકનાયક જયપ્રકાશ નારાયણ હોસ્પિટલમાં દાખલ ઓમિક્રોન સંક્રમિત દર્દીઓ સંબંધિત કેટલાંક રિપોર્ટ્સમાં નવા તારણો સામે આવી રહ્યા છે.

દિલ્હીમાં ઓમિક્રોનના દર્દીઓની સારવાર કરી રહેલી મોટી હોસ્પિટલ લોકનાયક જયપ્રકાશ નારાયણ તરફથી જાણવા મળે છે કે અહીં દાખલ કોઈપણ દર્દીને ઓક્સિજન સપોર્ટ પર રાખવાની જરૂરિયાત નથી ઊભી થઈ. આ હોસ્પિટલના એમડી ડૉક્ટર સુરેશ કુમારે જણાવ્યું કે અત્યાર સુધીમાં હોસ્પિટલમાં ઓમિક્રોન સંક્રમિત 110 દર્દી દાખલ થયા જેમાં 89 દર્દી સારવાર બાદ સાજા થઈને ઘરે પરત ફરી ચૂક્યા છે.
ઓમિક્રોનનો કોમ્યુનિટી સ્પ્રેડ શરુ થયો? વડોદરાના એક દર્દીએ વધારી ચિંતા
દિલ્હીની આ હોસ્પિટલ તરફથી જણાવ્યા મુજબ, આ 110 ઓમિક્રોન દર્દીઓમાં કોઈને પણ ઓક્સિજન સપોર્ટ આપવાની જરૂરિયાત ઊભી થઈ નથી. કારણકે દરેક દર્દીનું સેચ્યુરેશન લેવલ એકદમ સામાન્ય રહ્યું. મતલબ કે ઓમિક્રોન સંક્રમિત દર્દી એટલો નબળો નથી પડતો કે તેમાં ગંભીર લક્ષણ જોવા મળે અને ઓક્સિજન લેવલ ખૂબ નીચે જતું રહે. કોરોનાની બીજી લહેરમાં ડેલ્ટા વાયરસથી સંક્રમિત દર્દીઓમાં ઓક્સિજન લેવલ ઘટ્યું હોવાનું જાણવા મળ્યું હતું. દિલ્હીમાં ગુરુવારે કોરોના સંક્રમણ દર વધીને 1.79% થઈ ગયો છે. અહીં કુલ કોરોના દર્દીઓમાં 46% ઓમિક્રોનથી સંક્રમિત છે. કોરોના દર્દીઓમાં 66 લોકોને ઓક્સિજન સપોર્ટ આપવો પડ્યો પણ તેમાંથી એકપણ ઓમિક્રોન સંક્રમિત નથી.

અહીં નોંધનીય છે કે મુંબઈમાં દર્દીઓની સારવાર કરનાર એક ડોક્ટરે જણાવ્યું હતું કે, જે દર્દીઓમાં લક્ષણો જોવા મળ્યા હતા, તેમાં મોટાભાગના લોકોએ ગળામાં ખારાશ, થાક અને શરીરમાં દુઃખાવાની ફરિયાદ કરી હતી. આ સાથે તેઓએ જણાવ્યું હતું કે, કોઈપણ દર્દીમાં ચેપનો ફેલાવો જોવા મળ્યો ન હતો. HRCT સ્કેનમાં તમામ દર્દીઓના ફેફસામાં કોઈ સંક્રમણ ફેલાયું ન હતું. મોટાભાગના લોકોને સામાન્ય તાવ અને દુઃખાવાની દવા જેમ કે પેરાસિટામોલથી ઠીક થઈ ગયા હતા, જ્યારે એસિમ્પ્ટોમેટિક દર્દીઓને મલ્ટીવિટામિન્સ આપવામાં આવ્યા હતા.

[ad_2]

Source link