[ad_1]
હાઈલાઈટ્સ:
- અમદાવાદ-સુરત એરપોર્ટ પર એટ રિસ્ક અને નોન એટ રિસ્ક દેશના મળીને કુલ 31,000થી વધારે પેસેન્જર્સનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું
- કોરોના પોઝિટિવ દર્દીઓને હોમ ક્વોરેન્ટાઈનમાં રાખીને તેમની સારવાર કરવામાં આવી રહી છે
- નોન-પોઝિટિવ પેસેન્જર્સને હોમ આઈસોલેશનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા તેમનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે
આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, વિશ્વમાં કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન જોવા મળી રહ્યો છે. જે સંદર્ભે ગુજરાતના નાગરિકોને સુરક્ષિત કરવા માટે આરોગ્ય તંત્ર સંપૂર્ણ પણે સજ્જ છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર ગુજરાતમાં તૈયારીઓ કરી દેવામાં આવી છે. રાજ્યમાં પૂરતા પ્રમાણમાં દવાનો જથ્થો, બેડ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. તેથી નાગરિકોએ ગભરાવવાની જરૂર નથી. તેમણે ફક્ત સતર્ક રહીને કોવિડ-19ના પ્રોટોકોલનું પાલન કરવાની જરૂર છે.
તેમણે કહ્યું હતું કે, ઓમિક્રોન સંદર્ભે ડબલ્યુએચઓ અને કેન્દ્ર સરકાર દ્વારા 1 ડિસેમ્બરથી ઈન્ટરનેશનલ પેસેન્જર્સના ટેસ્ટિંગ માટે જે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે ત્યારથી અમદાવાદ તથા સુરત એરપોર્ટ પર પેસેન્જર્સનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે જેમાં એટ રિસ્ક અને નોન એટ રિસ્ક દેશના મળીને કુલ 31,000થી વધારે પેસેન્જર્સનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. જેમાં રિસ્ક દેશના 3,500 જેટલા પેસેન્જર્સના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા છે.
કોરોના પોઝિટિવ દર્દીઓને હોમ ક્વોરેન્ટાઈનમાં રાખીને તેમની સારવાર કરવામાં આવી રહી છે. જ્યારે નોન-પોઝિટિવ પેસેન્જર્સને હોમ આઈસોલેશનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા તેમનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. દર ત્રીજા અને પાંચમાં દિવસે સેમ્પલ લઈને તેની ચકાસણી કરવામાં આવી રહી છે. રાજ્યમાં ચેપ ફેલાય નહીં તે માટે સર્વેલન્સની કામગીરી પણ ચાલી રહી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
સરકારની વ્યવસ્થા અંગે તેમણે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. રાજ્યમાં જો કેસની સંખ્યા વધે તો તેને પહોંચી વળવા માટે સરકારે તમામ વ્યવસ્થા કરી દીધી છે. રાજ્યમાં પૂરતા પ્રમાણમાં દવાનો જથ્થો, ઓક્સિજન બેડ-વેન્ટિલેટરની સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત આરોગ્ય કર્મીઓને તાલીમબદ્ધ કરી દેવામાં આવ્યા છે. ઓમિક્રોન સંદર્ભે ડબલ્યુએચઓ/આઈસીએમઆર દ્વારા સારવાર અંગે જે પણ સૂચનાઓ મળશે તે પ્રમાણેની વ્યવસ્થાઓ પણ રાજ્ય સરકાર દ્વારા ગોઠવી દેવામાં આવશે.
રાજ્યમાં અત્યાર સુધી ઓમિક્રોનના 23 કેસ નોંધાયા છે. જેમાં તાવ, ઉધરસ, શરદી જેવા સામાન્ય હળવા લક્ષણો જોવા મળ્યા છે. કોઈ પણ દર્દીને હોસ્પિટલમાં જવાની જરૂર પડી નથી પરંતુ તકેદારીના ભાગ રૂપે તેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે, તેમ જણાવતા અગ્રવાલે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે જે ગાઈડલાઈન આપી છે તેનો ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે. નાગરિકોએ ફક્ત કોવિડ પ્રોટોકોલનું પાલન કરીને સરકારને સહયોગી આપવાની જરૂર છે.
[ad_2]
Source link
Leave a Reply