omicron death in india: દેશમાં ઓમિક્રોનથી પહેલુ મોત, નાઇજીરિયાથી આવેલા સંક્રમિતે દમ તોડ્યો – first omicron death in india covid-19 cases rise at high risk

[ad_1]

હાઈલાઈટ્સ:

  • નાઇજીરિયાથી મહારાષ્ટ્ર રાજ્ય પહોંચેલા સંક્રમિત દર્દીનું હાર્ટ એટેકથી નિધન થયું
  • હાર્ટ એટેક માટે સંક્રમણની જટિલતાઓ જવાબદાર હોવાનું માનવામાં આવે છે
  • દેશમાં ઓમિક્રોન વેરિયન્ટના નવા કેસમાં પણ ભારે ઉછાળો થયો છે

નવી દિલ્હીઃ દેશમાં દૈનિક સ્તરે કોરોના-ઓમિક્રોનના સામે આવી રહેલા કેસ નજીકના ભવિષ્ય માટે ગંભીર સંકેત આપી રહ્યા છે. વિશ્વ સ્તરે 110થી વધારે દેશોમાં ફેલાય ચૂકેલા ઓમિક્રોન સંક્રમણના કેસ પણ ખૂબ ઝડપથી વધી રહ્યા છે, પરંતુ સૌથી મોટી ચિંતાની વાત એ છે કે દેશમાં ઓમિક્રોન સંક્રમણથી પહેલું મોત નીપજ્યું છે.

ઓમિક્રોનથી સંક્રમિત અને મૃતક વ્યક્તિ નાઇજીરિયાથી મહારાષ્ટ્ર રાજ્યમાં આવ્યો હતો. તેણે 28 ડિસેમ્બરે પુણે સ્થિત હોસ્પિટલમાં હાર્ટ એટેકથી દમ તોડ્યો, તેના હાર્ટ એટેક માટે સંક્રમણની જટિલતાઓને જવાબદાર માનવામાં આવે છે. આ સિવાય જો દૈનિક સ્તરે કોરોનાના કેસની વાત કરીએ તો મહારાષટ્રમાં કુલ 5368 નવા કેસ સામે આવ્યા છે. જે આગળના દિવસની સરખામણીએ 1468 વધારે કેસ છે. રાજધાની દિલ્હીમાં પણ કોરોનાનો કહેર શરૂ થયો છે. અહીં એક જ દિવસમાં 1313 નવા કેસ સામે આવ્યા છે.

અન્ય દેશોમાં કહેર વર્તાવી રહેલા ઓમિક્રોન સંક્રમણની વાત કરીએ તો દેશમાં અત્યાર સુધી 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાય ગયો છે. ગુરુવારે ઓડિશામાં પાંચ નવા કેસ સામે આવ્યા છે. જે પછી દેશમાં ઓમિક્રોનના કુલ કેસનો આંકડો 961 સુધી પહોંચી ગયો છે. જ્યારે 320 સંક્રમિત દર્દીઓ સ્વસ્થ થઇ ચૂક્યા છે.

આ દરમિયાન ભારત માટે સૌથી મોટી ચિંતા મહામારીની ત્રીજી લહેરનું અનુમાન છે. કારણ કે નેશનલ કોવિડ-19 સુપરમોડલ કમિટી દેશમાં ત્રીજી લહેરની સંભાવના વ્યક્ત કરી ચૂકી છે, જેની સંભવિત શરૂઆત નવા વર્ષની શરૂઆત સાથે થઇ શકે છે. અનુમાન મુજબ ત્રીજી લહેર ફેબ્રુઆરીમાં પીક પર હોઇ શકે છે. જોકે એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે, ત્રીજી લહેર ડેલ્ટા વેરિયન્ટને લીધે આવેલી બીજી લહેર જેવી ખતરનાક નહીં હોય. ત્રીજી લહેર સરખામણીએ હળવી રહેશે, પરંતુ કેસ વધુ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ પાછળનું કારણ ઓમિક્રોન વેરિયન્ટનો ઝડપી ફેલાવો છે.
રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાના 500થી વધુ નવા કેસ નોંધાયા, બેના મોતઓમિક્રોન વેરિયન્ટથી બાળકો અને રસી લઇ ચૂકેલા લોકો પણ સંક્રમિત થઇ રહ્યા છે. ભારતમાં રસીકરણને લઇને એવી સ્થિતિ છે કે હજુ સુધી બાળકોનું રસીકરણ શરૂ કરાયું નથી. જે આગામી દિવસોમાં થાય એવી સંભાવના છે.
દેશમાં કોરોના વિસ્ફોટઃ ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, પ. બંગાળમાં કેસ વધતા સરકારની ઉંઘ હરામ

[ad_2]

Source link