[ad_1]
Nilay Bhavsar | I am Gujarat | Updated: Jan 1, 2022, 8:14 PM
રાજ્યમાં આજે ઓમિક્રોનના નવા 23 કેસો નોંધાયા છે અને ઓમિક્રોનના કુલ કેસનો આંકડો 136 પર પહોંચ્યો છે.

પ્રતીકાત્મક તસવીર
હાઈલાઈટ્સ:
- રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 1,52,072 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. રાજ્યમાં સાજા થવાનો દર 98.31 ટકા નોંધાયો છે.
- ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 818755 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસો 3927 છે જેમાં 11 દર્દી વેન્ટિલેટર પર જ્યારે 3916 દર્દીઓ સ્ટેબલ છે.
- રાજ્યમાં કોરોનાના કારણે વધુ 1 દર્દીનું મોત થતાં કુલ મૃત્યુઆંક 10,119 પર પહોંચ્યો છે.

રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 1,52,072 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. રાજ્યમાં સાજા થવાનો દર 98.31 ટકા નોંધાયો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 818755 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસો 3927 છે જેમાં 11 દર્દી વેન્ટિલેટર પર જ્યારે 3916 દર્દીઓ સ્ટેબલ છે.

જ્યારે રાજ્યમાં આજે ઓમિક્રોનના નવા 23 કેસો નોંધાયા છે અને ઓમિક્રોનના કુલ કેસનો આંકડો 136 પર પહોંચ્યો છે.

રાજ્યમાં બાળકોને કોરોનાથી સુરક્ષિત કરવા માટે આગામી 3થી 9 જાન્યુઆરી દરમિયાન કોરોના વેક્સિનેશન અભિયાન હાથ ધરાશે. જેમાં 15થી 18 વર્ષના બાળકોને આવરી લેવાશે. તો 7 જાન્યુઆરીએ મહાઅભિયાન હેઠળ એક પણ બાળક રહી ન જાય તેવા પ્રયાસ કરાશે. આ માહિતી રાજ્યના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે આપી હતી. જે અંતર્ગત રાજ્યના મન્યુનિસિપલ કમિશનરો, જિલ્લા કલેક્ટરો સાથે અભિયાનની તૈયારીઓની ચર્ચા વિચારણા માટે વીડિયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી.
મનોજ અગ્રવાલે મીડિયાને આ માહિતી આપતા જણાવ્યું કે, બાળકોને કોરોના વેક્સિન આપવા માટે તૈયારીઓ અને વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે. આ અભિયાન હેઠળ રાજ્યના 15થી 18 વર્ષના અંદાજે 36 લાખ બાળકોને આવરી લેવાનું આયોજન છે. જેમાં શાળાઓ, આઈટીઆઈ કે શાળાએ ન જતા બાળકોને પણ સમાવી લેવાશે. આ સિવાય દિવ્યાંગ સંસ્થાઓ, અનાથાશ્રમો તથા માનસિક રીતે અસ્વસ્થ હોય એવા બાળકોને સાચવતી સંસ્થાઓને પણ આવરી લેવામાં આવશે.
આસપાસના શહેરોના સમાચાર
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
Gujarati News from I Am Gujarat, TIL Network
[ad_2]
Source link