new cases of coronavirus: કોરોના: ગુજરાતમાં નવા 68 કેસ, સૌથી વધુ અમદાવાદમાં 20 દર્દી નોંધાયા – new cases of coronavirus in gujarat in last 24 hours

[ad_1]

હાઈલાઈટ્સ:

  • રાજ્યમાં આજે સાંજે 4 વાગ્યા સુધીમાં કુલ 2,94,532 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું.
  • ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 817687 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 10,100 નોંધાયો છે.
  • રાજ્યમાં એક્ટિવ કેસો 580 છે જેમાં 6 દર્દી વેન્ટિલેટર પર જ્યારે 574 દર્દીઓ સ્ટેબલ છે.

અમદાવાદ: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના નવા 68 કેસ નોંધાયા છે અને સામે 43 દર્દી સાજા થયા છે. રાજ્યમાં આજે કોરોનાના કારણે એકપણ દર્દીનું મોત નીપજ્યું નથી. રાજ્યમાં કોવિડમાંથી સાજા થવાનો દર 98.71 ટકા નોંધાયો છે. રાજ્યમાં આજે સાંજે 4 વાગ્યા સુધીમાં કુલ 2,94,532 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 817687 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 10,100 નોંધાયો છે. રાજ્યમાં એક્ટિવ કેસો 580 છે જેમાં 6 દર્દી વેન્ટિલેટર પર જ્યારે 574 દર્દીઓ સ્ટેબલ છે.

FGvJuvVVUA0uAXl


છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 20, વડોદરા કોર્પોરેશનમાં 12, સુરત કોર્પોરેશનમાં 9, રાજકોટ કોર્પોરેશનમાં 7, ગાંધીનગર-નવસારીમાં 5-5, જામનગર કોર્પોરેશનમાં 3, કચ્છ અને વલસાડમાં 2-2, ભરૂચ-રાજકોટ (જિલ્લો)-સુરત (જિલ્લો)માં 1 કેસ નોંધાયો છે.

FGvJvbkVgAUAM9J

દેશના કેટલાંક રાજ્યોમાં કોવિડથી મૃત્યુ થયેલા સ્વજન માટે વળતરની માગ કરતી અરજીઓની સંખ્યા સત્તાવાર મૃત્યુ સંખ્યાને વટાવી ગઈ છે. જે બાબતે કેન્દ્ર સરકારે બુધવારે સુપ્રીમ કોર્ટ સમક્ષ સ્પષ્ટતા કરી કે આ પાછળનું કારણ મૃત્યુના ઓછા આકંડા આપવાનું નથી પરંતુ કોર્ટ દ્વારા કોરોનાથી મૃત્યુ ગણવા અંગેના માપદંડોને વિસ્તૃત કરવામાં આવતા સત્તાવાર મૃત્યુઆંક કરતા વળતર માટેની અરજી વધુ આવી છે. કોર્ટે આગળ કહ્યું કે “મૃત્યુઆંકને છૂપાવવામાં આવ્યા હોઈ શકે છે અથવા ન પણ હોઈ શકે. અમે અહીં તે કહેવા નથી આવ્યા. પરંતુ 10,000 મૃત્યુઆંક કરતા ઘણી મોટી સંખ્યામાં અરજીઓ આવી છે ત્યારે એક સામાન્ય માણસ એવું વિચારી શકે છે… પરંતુ અમારી ચિંતા એ છે કે લોકોને રાહત મળવી જોઈએ અને સરકારે તે દિશામાં કામ કરવું જોઈએ.” બેન્ચે કહ્યું. ગુજરાત સરકારે પોતાના નવા સોગંદનામામાં કોર્ટને જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં કુલ 40,467 અરજીઓ મળી છે, જેમાંથી 26,836 અરજીઓ મંજૂર કરવામાં આવી છે અને 23,848 પરિવારોને વળતર ચૂકવવામાં આવ્યું છે.

દેશમાં ઓમિક્રોન વેરિયન્ટના કેસો વધતા જઈ રહ્યા છે. એવામાં એક ટોચના હેલ્થ એક્સપર્ટે ડરામણી વાત કરી છે. તેમણે કહ્યું કે, કોરોના વાયરસની ત્રીજી લહેરને કોઈ રોકી શકશે નહીં. તેમણે સલાહ આપતા કહ્યું કે, લોકોની સુરક્ષા માટે બૂસ્ટર ડોઝ પર વિચાર કરવો જોઈએ, ખાસ કરીને સ્વાસ્થ્યકર્મીઓને સૌથી પહેલા બૂસ્ટર ડોઝ આપી સલામત કરવા જોઈએ.
નેશનલ લેવલની મહિલા શૂટરે કર્યો આપઘાત, સોનુ સૂદે ટ્રેનિંગ માટે ગિફ્ટમાં આપી હતી રાઈફલ
ડો. સેઠે ઓમિક્રોન મામલા સંબંધમાં ઈંગ્લેન્ડનું ઉદાહરણ આપતા કહ્યું કે, ઈંગ્લેન્ડમાં જે લોકોનું વેક્સિનેશન નથી થયું અને જેમની પ્રતિરક્ષા પ્રતિક્રિયા ખરાબ છે, તેમને હોસ્પિટલમાં એડમિટ કરાવાઈ રહ્યા છે. જોકે, તેમણે આશા વ્યક્ત કરી કે, આ વેરિયન્ટ એક ઈમર્જન્સી સમસ્યા ઊભી નહીં કરે, જેના માટે ઓક્સિજનની જરૂર પડે. બીજી તરફ, દક્ષિણ આફ્રિકાનું ઉદાહરણ આપતા ડો. સેઠે કહ્યું કે, ‘દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોનના કેસો ઝડપથી વધ્યા છે, પરંતુ મોત ઓછા થઈ રહ્યા છે. મને આશા છે કે, એવી જ સ્થિતિ આખી દુનિયામાં રહેશે.’

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *