new cases of coronavirus: કોરોના: ગુજરાતમાં નવા 177 કેસ, અમદાવાદમાં 50ને પાર – new cases of coronavirus in gujarat in last 24 hours

[ad_1]

| I am Gujarat | Updated: Dec 26, 2021, 9:21 PM

આજે રાજ્યમાં ઓમિક્રોનનો એકપણ નવો કેસ નોંધાયો નથી અને કોરોનાના કારણે એકપણ દર્દીનું મોત નીપજ્યું નથી.

 

પ્રતીકાત્મક તસવીર

હાઈલાઈટ્સ:

  • રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 41,031 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું.
  • કોવિડ-19થી સાજા થવાનો દર 98.67 ટકા નોંધાયો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 818298 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે
  • જ્યારે કુલ મૃત્યુઆંક 10,113 નોંધાયો છે. એક્ટિવ કેસો 948 છે જેમાં 10 દર્દી વેન્ટિલેટર પર જ્યારે 938 દર્દીઓ સ્ટેબલ છે.

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 177 કેસ નોંધાયા છે અને 66 દર્દી સાજા થયા છે. રાજ્યમાં આજે કોરોનાના કારણે એકપણ દર્દીનું મોત નીપજ્યું નથી.

FHilWZnUYAgRYuh


રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 41,031 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. કોવિડ-19થી સાજા થવાનો દર 98.67 ટકા નોંધાયો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 818298 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે જ્યારે કુલ મૃત્યુઆંક 10,113 નોંધાયો છે. એક્ટિવ કેસો 948 છે જેમાં 10 દર્દી વેન્ટિલેટર પર જ્યારે 938 દર્દીઓ સ્ટેબલ છે.

FHilWaGVQAI6Cj5

છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 52, રાજકોટ કોર્પોરેશનમાં 24, સુરત કોર્પોરેશનમાં 20, વડોદરા કોર્પોરેશનમાં 15, રાજકોટમાં 12, વલસાડમાં 8, સુરતમાં 5, અમરેલી-ગીર સોમનાથ-ખેડા-કચ્છમાં 4, બનાસકાંઠા-જામનગર કોર્પોરેશનમાં 3, આણંદ-ગાંધીનગર (જિલ્લો)-ગાંધીનગર કોર્પોરેશન-જુનાગઢ કોર્પોરેશનમાં 2, અમદાવાદ-ભરૂચ-ભાવનગર (જિલ્લો)-ભાવનગર કોર્પોરેશન-જામનગર-મહેસાણા-નવસારી-પંચમહાલ-સાબરકાંઠા-તાપી-વડોદરામાં 1 કેસ નોંધાયો છે. આજે રાજ્યમાં ઓમિક્રોનનો એકપણ નવો કેસ નોંધાયો નથી.

11

ઓમિક્રોનનો ખતરો સતત વધી રહ્યો છે. ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની ખાસ કોરોના ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં આવેલા ઓમિક્રોન વોર્ડમાં છેલ્લા 11 દિવસથી માત્ર એક જ દર્દી સારવાર હેઠળ હતા. આખા વોર્ડમાં તેઓ એક માત્ર દર્દી હોવાથી દિવસ પસાર કરવો ખૂબ જ મુશ્કેલ બની જતું હતું. આ દર્દીએ પોતાની દિનચર્યામાં જણાવ્યા મુજબ સૌથી વધુ સમય તેઓ શ્રીમદ્ ભાગવત કથા અને શિવ મહાપુરાણ સાંભળીને પસાર કરતા હતા. તે ઉપરાંત ઘરના સભ્યો સાથે વીડિયો કોલ કરીને પોતાનો સમય પસાર કરતા હતા. તબીબોએ કહ્યું કે ઓમિક્રોન દર્દી ઝડપથી સાજા થઈ રહ્યા છે.
ઓમિક્રોનના ડર વચ્ચે દિલ્હીમાં રાત્રિ કર્ફ્યુનું એલાન, વધી રહ્યા છે કોરોનાના કેસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે બાળકોના વેક્સિનેશનની જાહેરાત કરી હતી. 3 જાન્યુઆરીથી 15-18 વર્ષની ઉંમરના બાળકોનું વેક્સિનેશન શરૂ થઈ જશે. જોકે, એમ્સના સીનિયર વૈજ્ઞાનિક ડો. સંજય કે રાયએ સરકારના આ નિર્ણય સામે સવાલ ઊભા કર્યા છે. તેમણે કેન્દ્રના આ નિર્ણયને ‘અવૈજ્ઞાનિક’ જણાવ્યો. સાથે જ એમ પણ કહ્યું કે, તેનથી કોઈ વધારે ફાયદો નહીં થાય. રાય ઈન્ડિયન પબ્લિક હેલ્થ એસોસિએશનના પ્રેસિડન્ટ પણ છે. તેમણે કહ્યું કે, સરકારે આ પગલું ઉઠાવતા પહેલા એ દેશોના આંકડાનું વિશ્લેષણ કરવું જોઈતું હતું, જ્યાં પહેલેથી જ વેક્સિનેશન થઈ રહ્યું છે. તેમણે પોતાના દ્રષ્ટિકોણને સ્પષ્ટ કરતા કહ્યું કે, કોઈપણ હસ્તક્ષેપનો હેતુ હોવો જોઈએ. તેમનો ઉદ્દેશ્ય કોરોના સંક્રમણ કે ગંભીરતા કે મોતને રોકવાનો છે. તેમણે કહ્યું કે, ‘પરંતુ રસી વિશે આપણી પાસે જે પણ નોલેજ છે, તે મુજબ, તે ઈન્ફેક્શનને મોટું નુકસાન પહોંચાડવામાં અસમર્થ છે. કેટલાક દેશોમાં લોગ બુસ્ટર શોટ લીધા પછી પણ સંક્રમિત થઈ રહ્યા છે.’

આસપાસના શહેરોના સમાચાર

Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ

Web Title : new cases of coronavirus in gujarat in last 24 hours
Gujarati News from I Am Gujarat, TIL Network

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *