[ad_1]
હાઈલાઈટ્સ:
- શોધખોળ કરવા છતાંય બોટ ન મળતા બોટ માલિકે ફરિયાદ નોંધાવી, પરિવારમાં ચિંતાનો માહોલ
- 27 નવેમ્બરે 8 માછીમાર જગવંદન નામની બોટ અરબ સાગરમાં માછીમારી કરવા માટે ગયા હતા
- બોટના ના મળતા માલિક અને પરિવારે મુંબઈ કોસ્ટગાર્ડ પોલીસમાં ફરિયાદ નોંધાવતા શોધખોળ
મીડિયા રિપોર્ટ મુજબ 8 માછીમાર જગવંદન નામની બોટ અરબ સાગરમાં માછીમારી ગઈ હતી. જે 10 દિવસ પહેલા દરિયામાં ગુમ થઈ હોવાની માહિતી સામે આવી છે. બોટની શોધખોળ સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવી હતી. પરંતુ 10 દિવસ બાદ પણ બોટની કોઈ માહિતી નથી મળી. આ બોટમાં નવસારીના 5 માછીમાર હોવાનું પણ સામે આવતા સતત શોધખોળ કરવામાં આવી રહી છે.
મીડિયા રિપોર્ટ મુજબ નવસારીને અડીને આવેલા છાપરા ગામે અરડી ફળિયામાં રહેતા અનિલ રમેશભાઈ હળપતિ, તેનો નાનો ભાઈ અમિત રમેશભાઈ હળપતિ, નિમેષ ભીખુભાઈ હળપતિ અને શંકરભાઈ મંગુભાઈ હળપતિ જલાલપોર તાલુકાના કૃષ્ણનગર ખાતે રહેતા ખલાસી બલીભાઈ ડાહ્યાભાઈ ટંડેલની સામે મુંબઈમાં રહેતા કૈલાસ સોલંકીની જગવંદન નામની બોટમાં 27 નવેમ્બરના રોજ માછીમારી કરવા માટે મુંબઈ દરિયામાં ગયા હતા. દરમિયાન મધદરયિમાં હવામાન ખરાબ હોવાથી બોટ ગુમ થઈ હતી. બોટમાં જીપીએસ વાયરલેસ સુવિધા હોવા છતાંય કોઈ સંપર્ક થઈ શક્યો નહોતો. જેથી બોટના માલિક કૈલાશભાઈ સોલંકીએ દરિયામાં શોધખોળ હાથ ધરી હતી. પરંતુ આજદિન સુધી તેમનો કોઈ પત્તો લાગ્યો નથી.
જેથી બોટલના માલિક અને નવસારી છાપરા ગામના માછીમારોના પરિવાર દ્વારા મુંબઈ કોસ્ટગાર્ડ પોલીસની મદદ લઈ મધદરિયામાં બોટ સાથે લાપતા બનેલા તમામ માછીમારોની શોધખોળ ચાલી રહી છે. લાપતા બનેલા માછીમારોમાં છાપરા ગામના બે સગાભાઈ અનિલ હળપતિ બે સંતાનોના પિતા છે. જ્યારે તેમનો નાનો બાઈ અપરિણિત છે. નિમેષ હળપતિ તેમના માતા-પિતાનો એકનો એક દીકરો છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.
[ad_2]
Source link
Leave a Reply