[ad_1]
હાઈલાઈટ્સ:
- નાણાકીય રીતે સદ્ધર બનવા માટે આવકના ઓછામાં ઓછા 20 ટકાની બચત કરવી જરૂરી
- ફાઇનાન્શિયલ નિષ્ણાતોના મત પ્રમાણે રોકાણમાં ડિસિપ્લિન જાળવવી જરૂરી
- ઘણા રોકાણકારો તેમના રોકાણના નિર્ણયને ભવિષ્ય માટે ટાળી રહ્યા છે જે જોખમી બની શકે
આજે બધા રોકાણકારો તેમના એસઆઈપી (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન)માં દર વર્ષે 10 ટકાનો વધારો કરવા માંગે છે. ટૂંકમાં કહીએ તો એક કરોડ રૂપિયાનાં ફંડનું જે સ્વપ્ન હતું તેવું જ સ્વપ્ન એસઆઈપીમાં 10 ટકા વૃદ્ધિનું છે.
એક મ્યુચ્યુઅલ ફંડ એડવાઈઝર નવા ક્લાયન્ટ વિશે વાત કરે છે. તેઓ જણાવે છે કે નવા ક્લાયન્ટ એસઆઈપી દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં દર મહિને નાની રકમનું રોકાણ કરતા હતા. તેમની પાસે બહુ મોટું ભંડોળ હતું. પરંતુ તેઓ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ વધારતા ન હતા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ ભવિષ્યમાં ફંડ કેવી રીતે એકઠું કરી શકશે, ત્યારે તેમણે કહ્યું કે તેઓ દર મહિને એસઆઈપીમાં 10 ટકાનો વધારો કરવાનો વિશ્વાસ ધરાવે છે અને આ રીતે તેનું ફંડ પણ વધી જશે.
ઘણા રોકાણકારો અત્યારે એસઆઈપીમાં રોકાણ નથી વધારતા પરંતુ ભવિષ્યમાં ગમે ત્યારે રોકાણ વધારવાના સ્વપ્ન જોતા હોય છે.
વાઈઝ ઇન્વેસ્ટના સીઈઓ હેમંત રસ્તોગી કહે છે કે શિસ્તબદ્ધ રીતે રોકાણ કરનારા લોકો જ આ લક્ષ્ય સુધી પહોંચી શકશે. ઘણા રોકાણકારો યોજનાઓ મોટી બનાવે છે, પરંતુ શિસ્તના અભાવે તેનું પાલન કરી શકતા નથી.
ઘણા રોકાણકારો તેમના રોકાણના નિર્ણયને ટાળી રહ્યા છે. તેમને લાગે છે કે તેઓ ભવિષ્યમાં યોગ્ય સમય આવશે ત્યારે રોકાણ કરશે. પરંતુ નિષ્ણાતો આવી ટેવ સામે ચેતવે છે. તેઓ કહે છે કે ભવિષ્યમાં તમારી કારકિર્દી કેવી હશે તે કોઈ નથી જાણતું. તમને દર વર્ષે ચોક્કસ પગારવધારો મળશે તે પણ નક્કી નથી. આવા કોઈ પણ વ્યાપક ફેરફારથી તમારી રોકાણ યોજનાઓ ખોરવાઈ શકે છે.
તેથી જ તેઓ નાણાકીય જીવનમાં ડિસિપ્લિનના મહત્ત્વ પર ભાર મુકે છે. તેઓ કહે છે કે તેઓ ક્લાયન્ટને એ સમજાવતા હોય છે કે તેમણે જંગી ફંડ એકઠું કરવું હોય તો મુશ્કેલ નિર્ણયો લેવા પડશે.
રસ્તોગી કહે છે કે રોકાણકારોએ તેમના ફાઇનાન્શિયલ જીવનમાં એક ફોર્મ્યુલાને અનુસરવી જોઈએ. આ ફોર્મ્યુલા પ્રમાણે તમારે 50 ટકા રકમ જરૂરિયાત માટે, 30 ટકા ઇચ્છાઓ માટે અને 20 ટકા રકમ બચત માટે ફાળવવી જોઈએ.
તમારા પ્લાનને ગમે તેમ વળગી રહો. તેનાથી તમારું રોકાણ આપોઆપ વધશે. નહીંતર એસઆઈપીમાં તમે વધારો નહીં કરી શકો.
[ad_2]
Source link
















Leave a Reply