monkey kill dogs: વાનરોએ લીધો ભયંકર બદલો, ઊંચાઈએથી ફેંકીને 250 શ્વાનને મોતને ઘાટ ઉતાર્યાં – monkeys throws 250 dogs from heights to take revenge in maharashtra villages

[ad_1]

હાઈલાઈટ્સ:

  • શ્વાનોએ વાનરના બચ્ચાને મારી દેતાં વાનરોએ લીધો ભયંકર બદલો
  • મહારાષ્ટ્રના મજલગાંવ અને લાઉલ ગામમાં વાનરોએ 250 શ્વાનોને મારી નાખ્યા
  • વાનરોના નિશાના પર હવે શાળાએ જતાં નાના બાળકો આવતાં સ્થાનિકો ચિંતામાં

મહારાષ્ટ્રના બીડ જિલ્લાના મજલગાંવ અને લાઉલ ગામમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં વાનરોમાં બદલાની એવી ભાવના જોવા મળી છે કે, જેને સાંભળીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. અહીંના ગામમાં શ્વાનોએ વાનરના બચ્ચાને મારી નાખતાં વાનરો વિફર્યા હતા અને હવે તેઓ એક બાદ એક શ્વાનોને ઊંચાઈએથી ફેંકીને મોતને ઘાટ ઉતાર્યા છે. અને હવે વાનરોના નિશાના પર મનુષ્યો પર આવી રહ્યા છે. જે બાદ ગ્રામજનો દ્વારા વન વિભાગની મદદ માગવામાં આવી રહી છે.

વાનરોએ બદલો લેતાં એક મહિનામાં 250 શ્વાનને મારી નાખ્યા

મીડિયા રિપોર્ટ્સ અનુસાર મહારાષ્ટ્રના બીડ જિલ્લાના મજલગાંવ ગામમાં છેલ્લા એક મહિનામાં વાનરો દ્વારા અંદાજે 250 જેટલાં શ્વાનોને મારી નાખવામાં આવ્યા છે. વાનરો શ્વાનને પહેલાં પકડી પાડે છે અને બાદમાં તેઓને ઊંચાઈવાળી જગ્યાઓએ લઈ જઈને ત્યાંથી નીચે ફેંકી દે છે, જેને કારણે શ્વાનોના કરુણ મોત નિપજે છે. એટલું જ નહીં પણ મજલગાંવથી 10 કિમી દૂર લાઉલ ગામમાં પણ વાનરોની એક બાદ એક શ્વાનોને મોતને ઘાટ ઉતારવામાં આવી રહ્યા છે. અને લવુલ ગામમાં આજે એવી સ્થિતિ છે કે, ગામની ગલીઓમાં એકપણ શ્વાન જોવા મળી રહ્યું નથી.

શ્વાનના ટોળાંએ વાનરના બચ્ચાને મારી નાખતાં બદલો લીધો

સ્થાનિકોના જણાવ્યા અનુસાર વાનરો શ્વાનો સાથે બદલો લઈ રહ્યા છે. આ બદલાની શરૂઆત ત્યારે થઈ જ્યારે શ્વાનોનાં ટોળાંએ વાનરના બચ્ચાને મારી નાખ્યો હતો. જે બાદ વાનરો દ્વારા શ્વાનોના બચ્ચાને પકડી લેવામાં આવે છે અને બાદમાં તેને ઊંચાઈવાળી જગ્યા જેમ કે બિલ્ડિંગ અને ઝાડ પરથી નીચે ફેંકી દે છે.

વાનરોએ હવે શાળાએ જતાં નાના બાળકોને નિશાન બનાવવાનું શરૂ કર્યું

વાનરોના ભયંકર બદલાને કારણે અહીં રહેતાં લોકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. વાનરોના આંતક સામે ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી. પણ વન વિભાગ દ્વારા હજુ સુધી એકપણ વાનરને પકડી પાડવામાં સફળતા મળી નથી. બીજી બાજુ શ્વાનને બચાવતાં સમયે અનેક પુરુષોને પણ ઈજાઓ પહોંચી છે. અને બિલ્ડિંગ પરથી શ્વાનને બચાવવા જતાં તેઓ પણ નીચે પડ્યા હોવાના કિસ્સા બની ચૂક્યા છે. અને હવે તો વાનરોનાં ટોળાંએ નાના બાળકોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. શાળાએ જતાં બાળકોને વાનરો નિશાન બનાવી રહ્યા છે, જેને કારણે સ્થાનિકોમાં ભારે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *