kunj bansal: આગામી દિવસોમાં કેવી રહી શકે છે માર્કેટની સ્થિતિ, શું કહે છે શેર એક્સપર્ટ કુંજ બંસલ? – stock news kunj bansal, cio, karvy capital says these corrections give opportunities, bring in valuation correction

[ad_1]

હાઈલાઈટ્સ:

  • શેરબજારમાં આવી રહેલા ઘટાડાના કારણે હવે કંપનીઓનું વેલ્યુએશન યોગ્ય લેવલ પર આવી રહ્યું છે.
  • શેરબજારમાં જોવા મળી રહેલી નબળી સ્થિતિ વાસ્તવમાં મજબૂત કરેક્શન (સુધારો) છે અને આ શેરબજાર માટે જરૂરી ચીજવસ્તુ છે.
  • તેમણે કહ્યું કે શેરબજારમાં નબળી સ્થિતિ આગામી કેટલાંક દિવસ સુધી ચાલુ રહી શકે છે.

ગત અઠવાડિયે શેરબજારની સ્થિતિ મજબૂત જોવા મળી નથી. ત્યારે શેર એક્સપર્ટનું કહેવું છે કે ઘણી એવી પરિસ્થિતિઓ બની છે કે જેના કારણે શેરબજારમાં જોવા મળેલી નબળી સ્થિતિ આગામી દિવસોમાં પણ જોવા મળી શકે છે. કાર્વી કેપિટલના ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર કુંજ બંસલે કહ્યું કે શેરબજારમાં અત્યારે જોવા મળી રહેલી નબળી સ્થિતિ લાંબાગાળાના રોકાણકારો માટે એક તક સમાન છે. શેરબજારમાં આવી રહેલા ઘટાડાના કારણે હવે કંપનીઓનું વેલ્યુએશન યોગ્ય લેવલ પર આવી રહ્યું છે.

કુંજ બંસલે કહ્યું કે જ્યારે શેરબજારમાં તેજી નોંધાય છે ત્યારે આપણે એક વાત ભૂલ જઈએ છે કે એક એવો પણ વર્ગ છે જે શેરોની મોંઘવારીના કારણે પરેશાન થઈ રહ્યો છે. આ કારણે હવે શેરબજારની નબળી સ્થિતિમાં તેઓ માટે ખુશીની તક આવી છે. બીજી વાત એ છે કે છેલ્લાં લગભગ દોઢ વર્ષથી શેરબજારની રેલીમાં ઘણી કંપનીઓનું વેલ્યુએશન વધી ગયું હતું. જો ગત એકથી દોઢ મહિનાની વાત કરીએ તો ઘણી કંપનીઓનું વેલ્યુએશન હવે ઉચિત સ્તર પર આવી રહ્યું છે. છેલ્લાં કેટલાંક દિવસોથી શેરબજારના એક્સપર્ટ એવું પણ કહી રહ્યા હતા કે જો બજારમાં કરેક્શન (સુધારો) નોંધાઈ રહ્યું નથી તો પછી બજારમાં તેજી કેમ આવી રહી છે અને આ તેજી ક્યાં સુધી કાયમ રહેશે.
રાજ્યોમાં ચૂંટણીઓ પહેલાં જે નેતાઓનાં ઘરે IT, ED, CBIની રેડ પડી તેમનાથી જ હારી BJP
આ તમામ સવાલોના જવાબ હવે શેરબજારમાં જોવા મળી રહેલી નબળી સ્થિતિના કારણે મળી રહ્યા છે. શેર એક્સપર્ટ કુંજ બંસલે કહ્યું કે શેરબજારમાં જોવા મળી રહેલી નબળી સ્થિતિ વાસ્તવમાં મજબૂત કરેક્શન (સુધારો) છે અને આ શેરબજાર માટે જરૂરી ચીજવસ્તુ છે. તેમણે કહ્યું કે શેરબજારમાં નબળી સ્થિતિ આગામી કેટલાંક દિવસ સુધી ચાલુ રહી શકે છે. પરંતુ, તેમણે એવું નથી જણાવ્યું કે શેરબજારમાં ક્યાં સુધી નબળી સ્થિતિ રહેશે પણ તેમણે કહ્યું કે શેરબજારની અત્યારની નબળી સ્થિતિ શેરબજારમાં ભવિષ્યમાં મજબૂત સ્થિતિને જોતાં સારું પગલું સાબિત થઈ શકે છે. જેથી કંપનીઓનું વેલ્યુએશન ઉચિત સ્તરે આવશે અને રોકાણકારોને રોકાણ કરવાની તક મળશે.

Disclaimer: આ અહેવાલનો હેતુ માત્ર જાણકારી આપવાનો છે. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *