killing of many puppies: 250થી વધુ શ્વાનની ‘હત્યા’ કરનારી વાંદરાઓની ટોળકીમાંથી બે કેદ કરાયા – maharashtra 2 monkeys involved in the killing of many puppies have been captured by a nagpur forest dept team

[ad_1]

હાઈલાઈટ્સ:

  • વાંદરાઓનું સમૂહ લગભગ 250 કૂતરાઓને મારી ચૂક્યું છે. ગામના લોકોએ જણાવ્યું કે વાંદરાઓ બદલો લેવા માટે આવું કરી રહ્યા છે.
  • વાંદરાઓની સંખ્યા એટલી વધારે થઈ ગઈ છે કે ગામના લોકો ડરના કારણે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.
  • ગામના લોકોની ફરિયાદ બાદ નાગપુરની ફોરેસ્ટ ટીમે 2 વાંદરાને પકડ્યા છે.

નાગપુર: મહારાષ્ટ્રના બીડ જિલ્લાના માજલગામમાં વાંદરાઓ અને કૂતરાઓ વચ્ચેની લડાઈનો એક વિચિત્ર કિસ્સો આજકાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ન્યૂઝ રિપોર્ટ્સ મુજબ, વાંદરાઓનું સમૂહ લગભગ 250 કૂતરાઓને મારી ચૂક્યું છે. ગામના લોકોએ જણાવ્યું કે વાંદરાઓ બદલો લેવા માટે આવું કરી રહ્યા છે.

શું છે સમગ્ર ઘટના?

ગામના લોકોના જણાવ્યા મુજબ, સૌપ્રથમ કૂતરાઓએ વાંદરાના એક બચ્ચાને મારી નાખ્યું હતું. જેથી નારાજ વાંદરાઓના સમૂહે કૂતરાઓને મારવાનું શરૂ કર્યું. વાંદરાઓ હવે કૂતરાઓને ખેંચીને લઈ જઈ રહ્યા છે અને આ કૂતરાઓને ધાબા અથવા વૃક્ષ પરથી નીચે ફેંકી રહ્યા છે. ગામમાં દરરોજ કૂતરાના મોત વિશે જાણવા મળી રહ્યું છે. ત્યાં વાંદરાઓની સંખ્યા એટલી વધારે થઈ ગઈ છે કે ગામના લોકો ડરના કારણે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.

ફોરેસ્ટ વિભાગે 2 વાંદરાને પકડ્યા છે

મહારાષ્ટ્રના બીડ જિલ્લાના માજલગામમાં વાંદરાઓ અને કૂતરાઓ વચ્ચેની લડાઈ મામલે મહારાષ્ટ્રનો ફોરેસ્ટ વિભાગ પણ સક્રિય થઈ ગયો છે. ગામના લોકોની ફરિયાદ બાદ નાગપુરની ફોરેસ્ટ ટીમે 2 વાંદરાને પકડ્યા છે. વન્યજીવ વિભાગનું કહેવું છે કે ઝડપાયેલા આ બંને વાંદરાને પાસેના કોઈ જંગલમાં છોડી મૂકાશે.
રાજ્યોમાં ચૂંટણીઓ પહેલાં જે નેતાઓનાં ઘરે IT, ED, CBIની રેડ પડી તેમનાથી જ હારી BJP
ગુસ્સે ભરાયેલા વાંદરા આવું કામ કરી શકે છે

વન્ય જીવ વિભાગના અધિકારીઓનું કહેવું છે કે ઘણાં દિવસોથી આ વાત અંગેની ફરિયાદ મળી રહી હતી કે બે વાંદરા, ગલુડિયાઓને નિશાન બનાવી રહ્યા છે. જ્યારે આ વાંદરાઓને પકડવાનો પ્રયાસ કરવામાં આવે ત્યારે તેઓ બચી છૂટવામાં સફળ થતા હતા. પણ, શનિવારે આ વાંદરાઓને પકડવામાં સફળતા મળી. આ વાંદરાઓને પાંજરામાં કેદ કરાયા છે. અધિકારીઓએ એવું પણ જણાવ્યું છે કે એવું બની શકે છે કે કોઈ ઘટનામાં કૂતરાઓએ વાંદરાના બચ્ચા પર હુમલો કર્યો અને બદલો લેવાના હેતુથી વાંદરાઓ આ ગલુડિયાઓને નિશાન બનાવી રહ્યા હોય.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *