jammu kashmir: J & K: નાગરિકોની હત્યામાં સામેલ TRFના કમાંડર સહિત 3 આતંકીઓનો સફાયો – jammu kashmir security forces succeed to kill three terrorist

[ad_1]

હાઈલાઈટ્સ:

  • માર્યા ગયેલા આતંકીઓ પૈકી એક TRFનો કમાંડર હોવાનું સામે આવ્યું
  • ત્રણેય આતંકીઓ સામાન્ય નાગરિકોની હત્યામાં સામેલ હતા
  • શનિવારે પણ કુલગામ ખાતે એક આતંકીને મોતને ઘાટ ઉતાર્યો હતો

શ્રીનગરઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ મહત્વની સફળતા સાંપડી છે. શ્રીનગરના રામબાગ ખાતે આજે સુરક્ષા દળોએ કાર્યવાહી કરતાં 3 આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. જેમાંથી એકની ઓળખ ટીઆરએફના કમાંડર મેહરાન ઢલ્લા તરીકે થઇ છે.

આ આંતકીઓ જમ્મુ-કાશ્મીરમાં વિતેલા દિવસોમાં કરવામાં આવેલી નાગરિકોની હત્યામાં સામેલ હતા. ઢલ્લા બે શિક્ષકો અને એક કાશ્મીરી પંડિતની હત્યામાં સામેલ હતો. હાલમાં આતંકીઓ દ્વારા કાશ્મીરમાં સામાન્ય નાગરિકો સહિત અન્ય રાજ્યોના નાગરિકોની હત્યાના બનાવો સામે આવ્યા હતા. જેમાં આતંકીઓ જાહેરમાં તેમની હત્યા કરી ચૂક્યા હતા. જે પછી સુરક્ષા દળોએ પ્રદેશમાં આંતકી વિરોધી અભિયાન શરુ કર્યા હતા.

માર્યા ગયેલા અન્ય એક આતંકીની ઓળખ મંજૂર અહમદ મીર તરીકે થઇ છે, જ્યારે ત્રીજા આતંકીની ઓળખ મળી નથી. આ આપરેશન અંગે માહિતી આપતાં જમ્મુ-કાશ્મીરના પોલીસ ડીજીપી દિલબાહ સિંહે જણાવ્યું કે, અથડામણમાં કોઇપણ સામાન્ય નાગરિકને નુકસાન પહોંચ્યુ નથી.

વિતેલા દિવસોમાં અહીં આતંકીઓ દ્વારા સામાન્ય નાગરિકોની હત્યા કરવામાં આવી હતી. જેનો મુખ્ય ઉદેશ અહીંના લોકોમાં આતંક ફેલાવાનો હતો. આ ઘટનાઓ પછી કેન્દ્ર સરકારે પણ ઉચ્ચસ્તરની બેઠક યોજી રણનીતિ તૈયાર કરી હતી. જે પછી સુરક્ષા દળોએ આતંકી વિરોધી અભિયાન તેજ કર્યા હતા. આ પહેલા શનિવારે પણ કુલગામમાં એક આતંકીને સુરક્ષા દળોએ મોતને ઘાટ ઉતાર્યો હતો.
નિર્દોષોની હત્યા કરી રહેલા આતંકીઓ વિરુદ્ધ સેનાની કાર્યવાહી, કુલગામમાં પાંચ આતંકીઓનો ખાતમો‘જો કાશ્મીરને સાથે રાખવું હોય તો, અમે ગોડસેના હિન્દુસ્તાનમાં ન રહી શકીએ’, મહેબુબા મુફ્તિની કેન્દ્રને ચેતવણીગોળી વાગી છતાંય આતંકીઓ સામે લડતાં રહ્યા કોન્સ્ટેબલ ઝાકિર હુસૈન, શોર્ય ચક્રથી થયા સન્માનિત

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *