ians c voter snap opinion: કૃષિ કાયદા રદ કરવાથી ચૂંટણીમાં ભાજપને થશે ફાયદો? સી-વોટરના સર્વેમાં સામે આવી આ વાત – ians c voter snap opinion poll on farm laws repeal by pm modi led government

[ad_1]

હાઈલાઈટ્સ:

  • કૃષિ કાયદા રદ કરવાના નિર્ણય અંગે સી વોટરનો સર્વે
  • 52 ટકા લોકોએ કહ્યું કે, પીએમ મોદીનો આ નિર્ણય યોગ્ય છે
  • 58.6 ટકા લોકોએ પીએમ મોદીને ખેડૂતોના સમર્થક ગણાવ્યા

એક વર્ષથી વધારે સમય સુધી કૃષિ કાયદાઓનાં વિરોધ બાદ આખરે મોદી સરકારે 19 નવેમ્બરના રોજ કૃષિ કાયદા રદ કરવાનો નિર્ણય કરીન ચોંકાવી દીધા હતા. યુપી, પંજાબ સહિતના રાજ્યોમાં ચૂંટણી પહેલાં જ પીએમ મોદીનો આ નિર્ણયને લોકો માસ્ટરસ્ટ્રોક સમજી રહ્યા છે. તેવામાં પીએમ મોદીના આ નિર્ણયને લઈ ચૂંટણીમાં ફાયદ થશે કે નુકસાન તે અંગે IANS-C Voter Snap Opinion Poll કરવામાં આવ્યો હતો. આ સર્વે કૃષિ કાયદા રદ કર્યાના થોડા કલાકો બાદ કરવામાં આવ્યો હતો.

52 ટકા લોકોએ પીએમ મોદીનો આ નિર્ણય યોગ્ય ગણાવ્યો

સી વોટરના સર્વેમાં મહત્વના લોકોએ પીએમ મોદીના નિર્ણયને આવકાર્યો હતો. 52 ટકા લોકોએ કહ્યું કે, પીએમ મોદીનો આ નિર્ણય યોગ્ય છે. 50 ટકાથી વધુ લોકોએ કહ્યું કે, કૃષિ કાયદા ખેડૂતો માટે ફાયદાકારક હતા. જ્યારે 30.6 ટકા લોકોએ આ કાયદા નુકસાનકારક હોવાનું જણાવ્યું હતું. જ્યારે 40.7 ટકા લોકો કૃષિ કાયદા રદ કરવા સરકારને શ્રેય આપવામાં આવ્યો હતો, તેમજ 22.4 ટકા લોકોએ આ નિર્ણયનો શ્રેય વિપક્ષી દળોને તો 37 ટકા લોકોએ પ્રદર્શનકારીઓને શ્રેય આપ્યો હતો.
કૃષિ કાયદા પાછા ખેંચવાના બિલને બુધવારે મંજૂરી મળે તેવી શક્યતા
58.6 ટકા લોકોએ પીએમ મોદીને ખેડૂતોના સમર્થક ગણાવ્યા

આ સર્વેમાં મોટાભાગના લોકોએ પીએમ મોદીને ખેડૂતોના હિતેચ્છુ ગણાવ્યા હતા. 58.6 ટકા લોકોએ પીએમ મોદીને ખેડૂતોના સમર્થક ગણાવ્યા, જ્યારે 29 ટકા લોકોએ વિરોધી ગણાવ્યા હતા. આ ઉપરાંત 56.7 ટકા લોકોએ માન્યું કે, આ આંદોલન મોદી સરકારની આગેવાનીવાળી એનડીએ સરકારને નબળી પાડવા એક કાવતરું હતું, જો કે 35 ટકા લોકોનું મંતવ્ય તેનાથી વિરોધી હતું.

55 ટકા લોકોએ માન્યું કે વિધાનસભાની ચૂંટણીમાં નિર્ણયની અસર પડશે

આ ઉપરાંત સર્વેમાં એ વાત સામે આવી છે કે, આગામી ચૂંટણીઓમાં આ નિર્ણય ખુબ જ લાભકારી નીવડશે. 55 ટકા લોકોનું કહેવું છે કે, 2022ની શરૂઆતમાં થનાર વિધાનસભાની ચૂંટણીઓમાં તેનો પ્રભાવ પડશે. જ્યારે 30.8 ટકા લોકોનું માનવું છે કે, આ નિર્ણયથી ચૂંટણીમાં કોઈ અસર થશે નહીં. આ ઉપરાંત એનડીએના લગભગ 53 ટકા મતદારોએ માન્યું કે, ચૂંટણીમાં તેની અસર પડશે, જ્યારે 56 ટકાથી વધારે વિપક્ષના મતદારોએ પણ માન્યું હતું કે, ચૂંટણીમાં તેની અસર પડશે.
સંયુક્ત ખેડૂત સંગઠનો ચાલુ રાખશે આંદોલન, અન્ય મુદ્દાઓ માટે પીએમ મોદીને લખશે પત્ર
કૃષિ કાયદાનો વિરોધ રાજનીતિથી પ્રેરિત હોવાનું 56 ટકા લોકોએ માન્યું

આ ઉપરાંત નિર્ણયનો શ્રેય કોને આપશો તેના સવાલમાં એનડીએના 47 ટકા મતદારોએ મોદી સરકારનું નામ સૂચવ્યું હતું, જ્યારે 36 ટકા લોકોએ વિપક્ષી દળોએ તેનાથી અસહમતિ વ્યક્ત કરી હતી. જ્યારે કાયદાના વિરોધના હેતુ અંગે પુછ્યું તો 56 ટકા લોકોએ કહ્યું કે, વિરોધ રાજનીતિથી પ્રેરિત હતો, જ્યારે 48 ટકા વિપક્ષી મતદારોએ પણ આ જ મંતવ્ય આપ્યું હતું.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *