[ad_1]
હાઈલાઈટ્સ:
- કૃષિ કાયદા રદ કરવાના નિર્ણય અંગે સી વોટરનો સર્વે
- 52 ટકા લોકોએ કહ્યું કે, પીએમ મોદીનો આ નિર્ણય યોગ્ય છે
- 58.6 ટકા લોકોએ પીએમ મોદીને ખેડૂતોના સમર્થક ગણાવ્યા
52 ટકા લોકોએ પીએમ મોદીનો આ નિર્ણય યોગ્ય ગણાવ્યો
સી વોટરના સર્વેમાં મહત્વના લોકોએ પીએમ મોદીના નિર્ણયને આવકાર્યો હતો. 52 ટકા લોકોએ કહ્યું કે, પીએમ મોદીનો આ નિર્ણય યોગ્ય છે. 50 ટકાથી વધુ લોકોએ કહ્યું કે, કૃષિ કાયદા ખેડૂતો માટે ફાયદાકારક હતા. જ્યારે 30.6 ટકા લોકોએ આ કાયદા નુકસાનકારક હોવાનું જણાવ્યું હતું. જ્યારે 40.7 ટકા લોકો કૃષિ કાયદા રદ કરવા સરકારને શ્રેય આપવામાં આવ્યો હતો, તેમજ 22.4 ટકા લોકોએ આ નિર્ણયનો શ્રેય વિપક્ષી દળોને તો 37 ટકા લોકોએ પ્રદર્શનકારીઓને શ્રેય આપ્યો હતો.
58.6 ટકા લોકોએ પીએમ મોદીને ખેડૂતોના સમર્થક ગણાવ્યા
આ સર્વેમાં મોટાભાગના લોકોએ પીએમ મોદીને ખેડૂતોના હિતેચ્છુ ગણાવ્યા હતા. 58.6 ટકા લોકોએ પીએમ મોદીને ખેડૂતોના સમર્થક ગણાવ્યા, જ્યારે 29 ટકા લોકોએ વિરોધી ગણાવ્યા હતા. આ ઉપરાંત 56.7 ટકા લોકોએ માન્યું કે, આ આંદોલન મોદી સરકારની આગેવાનીવાળી એનડીએ સરકારને નબળી પાડવા એક કાવતરું હતું, જો કે 35 ટકા લોકોનું મંતવ્ય તેનાથી વિરોધી હતું.
55 ટકા લોકોએ માન્યું કે વિધાનસભાની ચૂંટણીમાં નિર્ણયની અસર પડશે
આ ઉપરાંત સર્વેમાં એ વાત સામે આવી છે કે, આગામી ચૂંટણીઓમાં આ નિર્ણય ખુબ જ લાભકારી નીવડશે. 55 ટકા લોકોનું કહેવું છે કે, 2022ની શરૂઆતમાં થનાર વિધાનસભાની ચૂંટણીઓમાં તેનો પ્રભાવ પડશે. જ્યારે 30.8 ટકા લોકોનું માનવું છે કે, આ નિર્ણયથી ચૂંટણીમાં કોઈ અસર થશે નહીં. આ ઉપરાંત એનડીએના લગભગ 53 ટકા મતદારોએ માન્યું કે, ચૂંટણીમાં તેની અસર પડશે, જ્યારે 56 ટકાથી વધારે વિપક્ષના મતદારોએ પણ માન્યું હતું કે, ચૂંટણીમાં તેની અસર પડશે.
કૃષિ કાયદાનો વિરોધ રાજનીતિથી પ્રેરિત હોવાનું 56 ટકા લોકોએ માન્યું
આ ઉપરાંત નિર્ણયનો શ્રેય કોને આપશો તેના સવાલમાં એનડીએના 47 ટકા મતદારોએ મોદી સરકારનું નામ સૂચવ્યું હતું, જ્યારે 36 ટકા લોકોએ વિપક્ષી દળોએ તેનાથી અસહમતિ વ્યક્ત કરી હતી. જ્યારે કાયદાના વિરોધના હેતુ અંગે પુછ્યું તો 56 ટકા લોકોએ કહ્યું કે, વિરોધ રાજનીતિથી પ્રેરિત હતો, જ્યારે 48 ટકા વિપક્ષી મતદારોએ પણ આ જ મંતવ્ય આપ્યું હતું.
[ad_2]
Source link
Leave a Reply