gujarat school students covid positive: ડિસેમ્બરમાં ગુજરાતમાં 100થી વધુ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત, માત્ર ઓનલાઈન શિક્ષણ આપવું જોઈએ? – more than 100 school kids infected with coronavirus in the month of december in gujarat

[ad_1]

હાઈલાઈટ્સ:

  • અમદાવાદની વધુ બે સ્કૂલના ત્રણ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે.
  • ઉદ્ગમ અને ઝેબાર સ્કૂલ ફોર ચિલ્ડ્રનના ત્રણ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ છે.
  • આ સ્કૂલોમાં આગામી 10 દિવસથી ઓનલાઈન અભ્યાસ કરાવવાનો નિર્ણય લેવાયો છે.

અમદાવાદ: સ્કૂલો શરૂ થયા બાદ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયાના કેટલાય કેસ સામે આવ્યા છે. હાલમાં જ અમદાવાદમાં વધુ ત્રણ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતાં રાજ્યના શહેરી વિસ્તારોમાં વિદ્યાર્થીઓને કોરોનાનો ચેપ લાગ્યાનો આંકડો 100ને પાર થયો છે. શિક્ષણ વિભાગના સૂત્રોનું માનીએ તો છેલ્લા એક મહિનામાં જ 100થી વધુ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. જેમાંથી 20 કેસ અમદાવાદના, 21 રાજકોટના અને 22 સુરતના છે તેમ સૂત્રોએ ઉમેર્યું.

દક્ષિણ આફ્રિકાથી આવ્યા રાહતના સમાચાર, ઓમિક્રોનના કેસ 38 ટકા ઘટ્યા

બુધવારે જિલ્લા શિક્ષણાધિકારીને જાણકારી આપવામાં આવી કે, અમદાવાદની બે અલગ-અલગ સ્કૂલોમાં અભ્યાસ કરતાં ત્રણ વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાંથી બે વિદ્યાર્થીઓ ઉદ્ગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રનના છે જ્યારે એક વિદ્યાર્થી ઝેબાર સ્કૂલ ફોર ચિલ્ડ્રનનો છે.

“ઉદ્ગમ સ્કૂલમાંથી ધોરણ 5નો વિદ્યાર્થી અને ધોરણ 8ની વિદ્યાર્થિની જ્યારે ઝેબાર સ્કૂલમાંથી ધોરણ 10ની વિદ્યાર્થિનીની કોરોના સંક્રમિત થઈ છે. વિદ્યાર્થી છેલ્લે ગત સોમવારે સ્કૂલે આવ્યો હતો જ્યારે બંને વિદ્યાર્થિનીઓ ગત ગુરુવારથી સ્કૂલે આવી નથી. એક સ્પોર્ટ્સ ઈવેન્ટમાં ભાગ લેવા વિદ્યાર્થી ગુજરાત બહાર ગયો હતો”, તેમ સૂત્રોએ કહ્યું.

જે ધોરણોના વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે તેમને આગામી 10 દિવસ સુધી ઓનલાઈન અભ્યાસ કરાવાનો નિર્ણય લેવાયો છે. ઉદ્ગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન અને ઝેબાર સ્કૂલ ફોર ચિલ્ડ્રનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર મનન ચોક્સીએ જણાવ્યું, “અમે વર્ગખંડો અને સ્કૂલના પરિસરમાં સેનિટાઈઝેશન કરાવ્યું છે. અમે આ ધોરણોમાં પીરિયડ લેવા જતાં શિક્ષકોના પણ ટેસ્ટ કરાવીશું. હાલ અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને પદ્ધતિથી અભ્યાસ ચાલુ રાખ્યો છે. જો કેસ વધશે તો અમે પ્રત્યક્ષ શિક્ષણ બંધ કરી દઈશું.”

ફ્રાંસમાં આવી કોરોનાની ‘સુનામી’, એક જ દિવસમાં 2 લાખથી વધુ કેસો નોંધાયા

રાજ્યના શિક્ષણ સચિવ વિનોદ રાવના કહેવા અનુસાર, સ્કૂલો માટે પ્રત્યક્ષ શિક્ષણ ચાલુ રાખવું ફરજિયાત નથી અને સંપૂર્ણપણે ઓનલાઈન અભ્યાસ કરાવવાનો વિકલ્પ ખુલ્લો છે. અડાલજમાં આવેલી ડિવાઈન ચાઈલ્ડ ઈન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી રૂચિ ચૌધરીએ કહ્યું કે, સ્કૂલોમાં પૂરતી સંખ્યામાં વિદ્યાર્થીઓ આવી રહ્યા છે અને હાજરીમાં ઘટાડો જોવા મળ્યો નથી કારણકે ઘણાં વાલીઓને લાગે છે કે બાળકના સર્વાંગી વિકાસ માટે પ્રત્યક્ષ શિક્ષણ જ સૌથી સારું છે.

[ad_2]

Source link