gujarat omicron cases: રાજ્યમાં ઓમિક્રોનનો ચોથો કેસ નોંધાયો, સુરતની વ્યક્તિ સંક્રમિત હોવાનું સામે આવ્યું – a case of omicron was found in surat, a total of four cases were registered in gujarat

[ad_1]

હાઈલાઈટ્સ:

  • રાજ્યમાં ઓમિક્રોનનો વધુ એક કેસ નોંધાયો
  • સાઉથ આફ્રિકાથી પરત આવેલાં સુરતનો વ્યક્તિ ઓમિક્રોનથી સંક્રમિત
  • રાજ્યમાં ઓમિક્રોનનાં કુલ 4 કેસ થયા, અગાઉ 3 કેસ જામનગરમાં નોંધાયા છે

સમગ્ર દેશ સહિત દુનિયાભરમાં ઓમિક્રોનનો હાહાકાર જોવા મળી રહ્યો છે. ઈંગ્લેન્ડમાં આજે ઓમિક્રોનને કારણે વિશ્વમાં પ્રથમ મોત નિપજ્યું છે. તેવામાં ગુજરાતમાં પણ આજે ઓમિક્રોનનો વધુ એક નોંધાયો છે. સાઉથ આફ્રિકાથી પરત ફરેલાં સુરતના એક વ્યક્તિનો ઓમિક્રોનથી સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. 8 ડિસેમ્બરના રોજ તે કોરોના પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેના રિપોર્ટ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલાયા હતા. આ અગાઉ રાજ્યમાં જામનગરમાં ઓમિક્રોનનાં 3 કેસ સામે આવી ચૂક્યા છે.

સુરતના વરાછા વિસ્તારના અશ્વિની કુમાર રોડ પર આવેલાં દેવજીનગર ખાતે રહેતાં અને ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલાં 42 વર્ષના પુરુષનો 8મી ડિસેમ્બરના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ સાઉથ આફ્રિકાથી પરત આવેલાં હોવાને કારણે તેઓના નમૂના જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાં સુરતનો વ્યક્તિ ઓમિક્રોન સંક્રમિત હોવાનું સામે આવ્યું છે.

સાઉથ આફ્રિકાથી પરત ફર્યાં બાદ દિલ્હી અને અમદાવાદ ખાતે કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સુરતનો આ વ્યક્તિ એક અઠવાડિયા પહેલાં સાઉથ આફ્રિકાથી પરત આવ્યો હતો, અને ભારત પરત ફર્યાં બાદ દિલ્હીમાં તેણે સૌ પ્રથમ કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો, પણ અહીં તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જે બાદ દિલ્હીથી અમદાવાદ આવતાં સમયે અમદાવાદ ખાતે પણ તેનો રિપોર્ટ નેગેટિવ જ આવ્યો હતો. જો કે, તે બાદ કોરોનાનાં લક્ષણો જણાતાં તેઓએ ફરીથી કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો અને આ સમયે તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
ઓમિક્રોને પહેલો ભોગ લીધો, યુકેમાં એક દર્દીનું મોત.. 63 દેશોમાં દેખાયો નવો વેરિયંટ
કોરોના પોઝિટિવ આવ્યા બાદ વરાછાના 42 વર્ષીય વ્યક્તિને સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. અને હાલ તેઓની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત સાઉથ આફ્રિકાથી પરત ફર્યાં બાદ વ્યક્તિ કોરોના પોઝિટિવ આવતાં સુરતના આરોગ્ય વિભાગ દ્વારા તેના પરિવારનાં લોકો સહિત તેની સાથે પ્રવાસ કરનારા તમામ વ્યક્તિઓનાં ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. જો કે, આ તમામ લોકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

અગાઉ જામનગરમાં નોંધાઈ ચૂક્યા છે ઓમિક્રોનનાં 3 કેસ

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સૌપ્રથમ ઓમિક્રોનનો કેસ જામનગરથી સામે આવ્યો હતો. ઝિમ્બાબ્વેથી પરત ફરેલ જામનગરના 72 વર્ષીય વૃદ્ધ ઓમિક્રોન સંક્રમિત થયા બાદ તેમની 45 વર્ષીય પત્ની અને 35 વર્ષના સાળા પણ ઓમિક્રોનથી સંક્રમિત થયા હતા. તેમના પત્ની વૃદ્ધની સાથે ઝિમ્બાબ્વેથી પરત ફર્યા હતા, જ્યારે તેમનો સાળો અમદાવાદ એરપોર્ટ ખાતે તેમને લેવા માટે ગયો હતો.
જામનગરમાં Omicronના વધુ બે કેસ નોંધાયા, દર્દીના પત્ની અને સાળો પોઝિટિવ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 58 કેસ, 1 દર્દીનું મોત

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના નવા 58 કેસ નોંધાયા છે અને બીજી બાજુ 56 દર્દી સાજા થયા છે. રાજ્યમાં કોરોનાના કારણે વધુ 1 દર્દીનું મોત થતાં કુલ મૃત્યુઆંક 10099 પર પહોંચ્યો છે. રાજ્યમાં આજે સાંજે 4 વાગ્યા સુધીમાં કુલ 2,56,452 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. રાજ્યમાં કોવિડ-19થી સાજા થવાનો દર 98.71 ટકા નોંધાયો છે.
કોરોના: ગુજરાતમાં નવા 58 દર્દી નોંધાયા, વલસાડમાં એકનું મોત
ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 817543 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ 549 છે જેમાં 5 દર્દી વેન્ટિલેટર પર જ્યારે 544 દર્દી સ્ટેબલ છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 18, વડોદરામાં 12, ભાવનગર કોર્પોરેશન અને કચ્છમાં 5-5, નવસારી અને રાજકોટ કોર્પોરેશનમાં 4-4, પાટણ અને સુરત કોર્પોરેશનમાં 2-2, અમદાવાદ (જિલ્લો)-ગાંધીનગર (જિલ્લો)-ગાંધીનગર કોર્પોરેશન-ગીર સોમનાથ-રાજકોટ (જિલ્લો)-વડોદરા (જિલ્લો)માં 1 કેસ નોંધાયો છે. જ્યારે વલસાડમાં 1 દર્દીનું મોત નોંધાયું છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *