gujarat gram panchayat polls 2021: ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરેરાશ 60 ટકાથી વધુ મતદાન, 21મીએ મતગણતરી – gujarat gram panchayat polls 2021 people queued up to vote early in the morning

[ad_1]

હાઈલાઈટ્સ:

  • રાજ્યની 8684 ગ્રામ પંચાયતોમાં આજે યોજાયેલી ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થઈ ગયું છે.
  • ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રાજ્યમાં સરેરાશ 60 ટકાથી વધારે મતદાન નોંધાયું છે.
  • કેટલાક છમકલાઓને બાદ કરતા સમગ્ર રાજ્યમાં શાંતિપૂર્ણ રીતે ચૂંટણી સંપન્ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

અમદાવાદ: ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 60 ટકાથી વધારે મતદાન નોંધાયું છે. દક્ષિણ ગુજરાતમાં 57 ટકા, ઉત્તર ગુજરાતમાં 62 ટકા, સૌરાષ્ટ્ર અને કચ્છમાં 60 ટકાથી વધુ જ્યારે મધ્ય ગુજરાતમાં 58 ટકા મતદાન થયું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે થયેલા ગ્રામ પંચાયતની ચૂંટણીના મતદાનમાં ક્યાંક નાના-મોટા વિવાદ અને ઘર્ષણ પણ થયા છે તો ક્યાંક આચાર સંહિતાના ભંગની ફરિયાદ પણ થઈ છે. અહીં નોંધનીય છે કે રાજ્યની 8684 ગ્રામ પંચાયતોમાં આજે યોજાયેલી ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયું છે.

રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે પોલીસ અધિકારીઓ, પોલીસ જવાનો અને હોમગાર્ડ સહિતના સ્ટાફનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જ્યારે અતિસંવેદનશીલ મતદાન કેન્દ્રો પર પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે તંત્ર સજ્જ રહ્યું હતું. રાજ્યમાં ગ્રામ પંચાયત માટે આજે મતદાન થયું હતું. રાજ્યની 8684 ગ્રામ પંચાયત માટે ચૂંટણી યોજાઈ હતી.
સાવરકુંડલા અમરેલી વચ્ચે ટ્રક-કાર વચ્ચે ભીષણ અકસ્માતમાં એક જ પરિવારનાં 3 લોકોનાં મોત
રાજ્યની 8684 ગ્રામ પંચાયતોમાં આજે યોજાયેલી ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રાજ્યમાં સરેરાશ 60 ટકાથી વધારે મતદાન નોંધાયું છે. કેટલાક છમકલાઓને બાદ કરતા સમગ્ર રાજ્યમાં શાંતિપૂર્ણ રીતે ચૂંટણી સંપન્ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. સરેરાશ 60 ટકાથી વધારે મતદાન નોંધાયું છે. 6 વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાતમાં 57 ટકા, ઉત્તર ગુજરાતમાં 62 ટકા, સૌરાષ્ટ્ર અને કચ્છમાં 60 ટકા, મધ્ય ગુજરાતમાં 58 ટકા મતદાન નોંધાયું છે.

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના નવા 51 કેસ નોંધાયા છે અને સામે 55 દર્દી સાજા થયા છે. રાજ્યમાં આજે પણ કોરોના વાયરસના કારણે એકપણ દર્દીનું મોત નીપજ્યું નથી. રાજ્યમાં આજે સાંજે 4 વાગ્યા સુધીમાં કુલ 87,189 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. રાજ્યમાં કોવિડ-19થી સાજા થવાનો દર 98.71 ટકા નોંધાયો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 817874 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 10101 નોંધાયો છે. રાજ્યમાં એક્ટિવ કેસો 571 છે જેમાં 4 દર્દી વેન્ટિલેટર પર જ્યારે 567 દર્દીઓ સ્ટેબલ છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 18, વડોદરા કોર્પોરેશનમાં 10, સુરત કોર્પોરેશનમાં 6, કચ્છ-નવસારી-રાજકોટ કોર્પોરેશનમાં 3, રાજકોટ (જિલ્લા)માં 2, દેવભૂમિ દ્વારકા-ગાંધીનગર કોર્પોરેશન-જામનગર કોર્પોરેશન-ખેડા-મહેસાણા-વલસાડમાં 1 કેસ નોંધાયો છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *