gandhinagar police: જીવન ટૂંકાવનારી યુવતીનો ફોન લઈને ભાગી ગયો ધંધાનો ભાગીદાર, પોલીસે નોંધ્યો ગુનો – businessman booked for run away with the phone of business partner who ends life

[ad_1]

હાઈલાઈટ્સ:

  • દોઢ વર્ષથી ઋત્વિક ઠક્કર સાથે આયાત-નિકાસના ધંધામાં સામેલ હતી મૃતક યુવતી
  • છઠ્ઠી નવેમ્બરે ઋત્વિક ઠક્કરે યુવતીની માતાને ફોન કરીને તેને ચેક કરવા માટે કહ્યું હતું
  • પોલીસે લોકેશન ચેક કરતાં મૃતક યુવતીનો ફોન ઋત્વિક ઠક્કર પાસે હોવાની થઈ હતી જાણ

અમદાવાદઃ 6 નવેમ્બરે જીવન ટૂંકાવનાર યુવતીના ધંધાના ભાગીદાર અને ગાંધીનગરના વેપારી સામે આપઘાતની દુષ્પ્રેરણા આપવા બદલનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

સેક્ટર 24માં રહેતી મૃતક કોમલ રાવલનો (ઉંમર 25) ફોન લઈને ભાગી ગયો હોવાનો ખુલાસો થયા બાદ ગાંધીનગરની સેક્ટર 21ની પોલીસે સેક્ટર 26માં રહેતા ઋત્વિક ઠક્કર સામે ગુનો નોંધ્યો હતો.

ઓમિક્રોનના દર્દીઓમાં જોવા મળે છે ત્રણ મુખ્ય લક્ષણો, ડેલ્ટા વેરિયન્ટથી છે એકદમ અલગ
ગાંધીનગર પોલીસના જણાવ્યા પ્રમાણે, એપ્રિલ, 2020માં કોરોના મહામારી દરમિયાન કોમલે નોકરી ગુમાવ્યા બાદ તે અને ઋત્વિક દોઢ વર્ષથી આયાત-નિકાસનો વેપાર કરી રહ્યા હતા.

કોમલના પિતા અશ્વિન રાવલ, જેઓ કપડાના વેપારી છે તેમણે પોલીસને જણાવ્યું હતું કે, 5મી નવેમ્બરે પોતાના રૂમમાં જતા પહેલા કોમલે પરિવાર સાથે ડિનર લીધું હતું.

છ નવેમ્બરે 12.30 કલાકે ઋત્વિકે કોમલના માતા સીમાને ફોન કર્યો હતો અને નિરાશા સાથે તેમની દીકરીની તપાસ કરવાનું કહ્યું હતું. કોમલે પોતાને નુકસાન પહોંચાડ્યું હોવાની આશંકા તેણે વ્યક્ત કરી હતી.

અ’વાદ એરપોર્ટ પર પ્રવાસીઓને ડ્રોપ કરવા આવતી કારને હવે ₹90 નહીં ચૂકવવા પડે
પરિવારના સભ્યો પહેલા માળ પર આવેલા કોમલના રૂમમાં ગયા હતા અને ત્યાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. તેઓ તેને તરત ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. ઋત્વિક કોમલના ઘરે ગયો હતો અને કોઈને કહ્યા વગર તેનો ફોન લઈને જતો રહ્યો હતો.

કોમલના પિતા અશ્વિને પોલીસને જણાવ્યું હતું કે, ઋત્વિકે કોમલને છેલ્લો ફોન કર્યો હતો. અશ્વિનના દીકરા સાગરે રાતે ઋત્વિકને ફોન કરીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ આવવાનું કહેતા અડાલજ-ઉવરસદ રોડ પર તેનો અકસ્માત થયું હોવાનું કહ્યું હતું.

જ્યારે સાગરે કોમલને ફોન કર્યો ત્યારે તેણે કોઈ રિપ્લાય મળ્યો નહોતો. પોલીસે ફોનનું લોકેશન ચેક કર્યું હતું અને તે ઋત્વિક પાસે હોવાની જાણ થઈ હતી.

કોમલના પિતાએ દીકરીના મોત પાછળ ઋત્વિક જવાબદાર હોવાનો અને તેથી જ તે તેનો ફોન લઈને ભાગી ગયો હોવાનો આરોપ લગાવ્યો હતો. ગાંધીનગર 21ની પોલીસે ઋત્વિક સામે ગુનો નોંધ્યો હતો.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *