farmer protest: આંદોલન ખતમ નથી થયું, હવે પીએમને પૂછીશુ કે ખેડૂતોની આવક બમણી કેવી રીતે કરશો – farmers protest rakesh tikait said movement will continue with agendas

[ad_1]

હાઈલાઈટ્સ:

  • સંયુક્ત ખેડૂત સંગઠનના નેતાઓ આંદોલન ચાલુ રાખવાનું એલાન કરી ચૂક્યા છે
  • રાકેશ ટિકેતનું કહેવુ છે કે, પાકનો સાચો ભાવ મળ્યા પછી જ ખેડૂતોની જીત થશે
  • પીએમ મોદીના નિર્ણયને ખેડૂત નેતાએ એકતરફી ગણાવ્યો છે

નવી દિલ્હીઃ પંજાબ, હરિયાણા સહિત અનેક રાજ્યોના ખેડૂતોના લાંબા વિરોધ પછી કેન્દ્ર સરકારે વિવાદાસ્પદ 3 નવા કૃષિ કાયદા રદ કરવાનો નિર્ણય લીધો છે. પરંતુ ખેડૂત આંદોલન ખતમ થવાના કોઇ સંકેત નથી મળી રહ્યા. ખેડૂત સંગઠનના નેતા રાકેશ ટિકેતે સરકારના નિર્ણયને એકતરફી ઠેરવતાં આંદોલન ચાલુ રાખવાનું એલાન કર્યું છે. જોકે સંયુક્ત ખેડૂત સંગઠનો આ મુદ્દે સતત વિચારણા કરી રહ્યા છે.

સંયુક્ત ખેડૂત સંગઠનના નેતા રાકેશ ટિકેતે આ દરમિયાન ટ્વિટ કરી કહ્યું છે કે, વડાપ્રધાન મોદી એમ કહી રહ્યા છે કે પહેલી જાન્યુઆરીથી ખેડૂતોની આવક બમણી થઇ જશે, તો અમે પૂછી રહ્યા છીએ કે કેવી રીતે? ખેડૂતોની જીત ત્યારે જ થશે જ્યારે એમના પાકની સાચી કિંમત મળશે.

આ પહેલા બુધવારે મોદી કેબિનેટે ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવા માટે બિલને મંજુરી આપી દીધી છે. સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આ અંગેની માહિતી આપી છે.

બીજી તરફ આશરે એક વર્ષથી અનેક રાજ્યોના ખેડૂતો કેન્દ્રના ત્રણ કૃષિ કાયદાઓનો વિરોધ કરવા માટે રાજધાનીની સરહદો પર પ્રદર્શન કરી રહ્યા હતા. જેની સામે પીએમ મોદીએ કૃષિ કાયદા રદ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ ખેડૂત સંગઠનો આંદોલનને પાછુ ખેંચવા માટે તૈયાર નથી. તેઓ અન્ય મુદ્દાઓને લઇને સરકાર વિરુદ્ધ પોતાની લડાઇ ચાલુ રાખવાનું એલાન કરી ચૂક્યા છે.
સંયુક્ત ખેડૂત સંગઠનો ચાલુ રાખશે આંદોલન, અન્ય મુદ્દાઓ માટે પીએમ મોદીને લખશે પત્રકૃષિ કાયદા પાછા ખેંચવાના બિલને બુધવારે મંજૂરી મળે તેવી શક્યતાપીએમ મોદીનું મૃદુભાષી હોવા પર વાંધો છે રાકેશ ટિકેતને! આંદોલન ચાલુ રાખવાના આપ્યા સંકેત

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *