[ad_1]
હાઈલાઈટ્સ:
- કોરોના વાયરસની વૈશ્વિક મહામારીનો અંત નજીક દેખાઈ રહ્યો છે
- નવા વર્ષની શરુઆત સાથે કોરોનાથી ઝડપી છૂટકારો મળી શકે છે
- કોરોનાથી ઝડપી છૂટકારો મેળવવા સામાન્ય બાબતો ધ્યાનમાં રાખવી
સૌથી પહેલા એ દેશોમાં કોરોનાની મહામારી સામાન્ય બની જશે જ્યાં વેક્સીનેશન કવરેજ ઘણું સારું છે, આ સિવાય અમેરિકા અને બ્રિટન કે પછી એવા દેશ કે જ્યાં સંક્રમણના કારણે મોટા પ્રમાણમાં લોકોમાં કોરોના સામે ઈમ્યુનિટી ઉભી થઈ ગઈ છે, જેમ કે ભારત. આ રીતે સંક્રમણના વિશાળ આંકડા પણ આશાનું કિરણ સાબિત થઈ રહ્યા છે.
જુલાઈમાં ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે દેશભરમાં સીરો સર્વે કર્યો હતો. આ પ્રમાણે 8 રાજ્યોમાં 70% સીરો-પ્રિવેલેન્સ રહ્યું એટલે કે સર્વેમાં 70% વસ્તીમાં કોરોના સામે એન્ટિબોડી મળી છે. સીએમસી વેલ્લોરમાં ક્લિનિકલ વાયરોલોજી એન્ડ માક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટના હેડ અને રિટાયર્ડ પ્રોફેસર ટી જૈબન જોને અમારા સહોયગી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, “અમે કહી શકીએ છીએ કે અમે એન્ડેમિક સ્ટેજ પર પહોંચી ગયા છીએ. પરંતુ આ વેક્સીનેશનના કારણે નહીં, પરંતુ નેચરલ ઈન્ફેક્શનના કારણે છે.”
બીજી લહેર દરમિયાન ભારે અસર થયેલા દિલ્હીમાં પાછલા મહિનાના સીરો સર્વે રિપોર્ટ મુજબ 90% કરતા વધુ વસ્તીમાં સારી ઈમ્યુનિટી મળી છે. એટલે કે રાજધાનીમાં નવી લહેરની આશંકા લગભગ નહીવત છે, શરત એટલી કે કોઈ નવો વેરિયન્ટ ના આવે. સર્વેમાં એ પણ માલુમ પડ્યું કે વેક્સીનેશનથી લોકોમાં મજબૂત ઈમ્યુનિટી બની છે.
વાયરસનો ખાતમો થતો દેખાઈ રહ્યો છે
WHO કોવિડ-19 રિસ્પોન્સને લીડ કરનારી મહામારી એક્સપર્ટ મારિયા વૈન કર્ખાવે આ મહિને રોઈટર્સને જણાવ્યું હતું કે, અમને લાગે છે કે, “અમને લાગે છે કે 2022ના અંતમાં અમે આ વાયરસને કાબૂમાં કરી લઈશું.. ત્યાં સુધીમાં સંક્રમણને ગંભીર થતાત અને મોતના કેસમાં ઘટાડો કરી શકીશું.” જોકે, દુનિયાભરમાં કોરોનાના એક પણ કેસ ના હોય, ત્યાં સુધી પહોંચવા માટે થોડી રાહ જોવી પડશે. વાયરસમાં ઝડપથી ફેલાવાની ક્ષમતા, મ્યુટેન્ટ થવાની શક્તિ અને તેની સાથે જોડાયેલી અનપ્રેડિક્ટેબલિટી આ કામને વધારે પડકારજનક બનાવે છે.
એક્સપર્ટ મુજબ, હાલ સૌથી સારો રસ્તો એ છે કે, જેટલું શક્ય હોય, વધારેમાં વધારે લોકો સુધી વેક્સીન પહોંચવી જોઈએ. જેમાં સરકારને કોરોના સામે લડવા માટે લાંબા સમયની રણનીતિ બનાવવાનો સમય મળશે. ખાસ કરીને સંભવિત એન્ડેમિક ફેઝ માટે રણનીતિ માટે સમય મળી શકશે.
વેક્સીનેશનની સાથે એન્ટીવાયરલ દવા દ્વારા ઈલાજ કારગત સાબિત થઈ રહ્યો છે. જરુર પડવા પર જ વેક્સીનના બુસ્ટર ડોઝ આપવામાં આવશે. એવું માનીને ચાલો કે હવે જનજીવન સામાન્ય બનશે, પરંતુ કોરોનાને ફેલાતો અટકાવવા માટે ગાઈડલાઈન્સનું પાલન કરવું હિતાવહ છે.
[ad_2]
Source link
Leave a Reply