ed releases nirav modi assets: EDએ રિલીઝ કરી નીરવ મોદીની સંપતિઓ, આ હતું કારણ – ed releases nirav modi assets, this is the reason

[ad_1]

હાઈલાઈટ્સ:

  • નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે આ સંપતિઓની નીલામી માટે એક લિક્વિડેટર નિયુક્ત કર્યા છે
  • ઈડીએ કોર્ટના આદેશ પર આ સંપતિઓ રિલીઝ કરી છે, જેથી તેની નીલામી પીએનબી કરી શકે
  • ઈડી હાલ વિદેશમાં નીરવ મોદીની સંપતિઓ સીઝ કરવાનો પ્રયાસ કરી રહી છે

નવી દિલ્હીઃ એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ભાગેડુ નીરવ મોદીની સંપતિઓને રિલીઝ એટલે કે ડિ-અટેચ કરી દીધી છે. જેની કિંમત 1000 કરોડ રૂપિયા છે. જેમાં કાલા ઘોડા સ્થિત એ ઈમારત પણ સામેલ છે કે જ્યાં રિધમ હાઉસ હતું. આ સિવાય નેપાનેસિયા રોડ સ્થિત એક ફ્લેટ, કુર્લાની એક ઓફિસ બિલ્ડીંગ અને નીરવ મોદીની કેટલીક જ્વેલરી સામેલ છે. ઈડીએ કોર્ટના આદેશ બાદ આ સંપતિઓ રિલીઝ કરી છે. જેથી તેની નીલામી કરીને પંજાબ નેશનલ બેંક કૌભાંડની રકમ વસૂલી કરી શકે.

નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે આ સંપતિઓની નીલામી માટે એક લિક્વિડેટર નિયુક્ત કર્યા છે. ઈડી કેટલીક સંપતિઓ અગાઉ પણ રિલીઝ કરી ચૂકી છે. હવે પીએનબી આ સંપતિઓની નીલામી કરી પોતાના પૈસા વસૂલ કરશે. આ સંપતિઓમાં અહમદનગર જિલ્લા સ્થિત એક સોલાર પ્લાન્ટ પણ સામેલ છે. ઈડીએ પીએનબીને લગભગ 6 કરોડ રૂપિયા પણ સોંપ્યા છે, જેમાં નીરવ મોદીની કાર, પેઈન્ટિંગ્સ સહિત કેટલીંક મોંઘી ચીજવસ્તુઓની નીલામી કરીને મેળવ્યા હતા.
15થી 18 વર્ષના બાળકોને 3 જાન્યુઆરીથી અપાશે કોરોના વેક્સિન: PM મોદી
નીરવ મોદીએ પીએનબીમાં લગભગ 6500 કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યુ હતુ. હાલ તે લંડનની એક જેલમાં બંધ છે. ભારત સરકાર તેના પ્રત્યર્પણ માટે પ્રયાસ કરી રહી છે. નીરવ મોદીની કેટલીક સંપતિઓ કે જે પીએનબી પાસે ગિરવે નહોતી રાખવામાં આવી તે ઈડીના તાબે રહેશે. જેમાં વર્લી સ્થિત સમુદ્ર મહેલ બિલ્ડીંગ સામેલ છે. જેની કિંમત લગભગ 100 કરોડ રૂપિયા છે. આ સિવાય જેસલમેરમાં એક વિંડમિલ પણ છે.

ઈડી હાલ વિદેશમાં નીરવ મોદીની સંપતિઓ પર કબજો મેળવવાનો પ્રયાસ કરી રહી છે. નીરવ મોદીએ 2017માં પોતાની કંપની ફાયરસ્ટાર ડાયમંડ દ્વારા પ્રતિષ્ઠિત રિધમ હાઉસ બિલ્ડીંગ ખરીદી હતી. તેનો પ્લાન આને હેરિટેજ પ્રોપર્ટીમાં કન્વર્ટ કરવાનો હતો. કહેવાય છે કે નીરવ મોદીએ મોટા ભાગની સંપતિ પીએનબી કૌભાંડમાંથી મેળવેલી રકમમાંથી ખરીદી હતી.
ક્રિસમસના ‘મિનિ’ વેકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનો ધસારો, હોટેલો પેક!
નાણાં મંત્રી નિર્મલા સીતારામન આ અઠવાડિયે સોમવારે લોકસભામાં જણાવ્યું હતું કે, વિજય માલ્યા અને નીરવ મોદીની સંપતિ વેચીને 13,109 કરોડ રૂપિયાની વસૂલી કરવામાં આવી છે. સીતારામને કહ્યું કે, બેંકોએ અત્યારસુધી આ બંને ભાગેડુ ડિફોલ્ટર્સની સંપતિ વેચીને આ રકમ મેળવી છે. ઈડી દ્વારા આ વર્ષે જુલાઈમાં જ વિજય માલ્યા અને નીરવ મોદીની સંપતિ વેચીને કરવામાં આવેલી રિકવરી અંગે જાણકારી આપી હતી, પરંતુ નાણાં મંત્રીએ આની સત્તાવાર જાણકારી સંસદમાં સોમવારે આપી હતી.

ડૉગ્સ પાછળ મહિને હજારો રુપિયા ખર્ચી રહ્યા છે અમદાવાદીઓ!

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *