[ad_1]
હાઈલાઈટ્સ:
- એક કાર્યક્રમમાં નીતિન ગડકરીએ ચોંકાવનારો ખુલાસો કર્યો
- 1995માં મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે માટે રિલાયન્સનું 3600 કરોડ માટેનું ટેન્ડર રદ કર્યું
- ટેન્ડર રદ કરતાં ધીરુભાઈ અંબાણી, બાળાસાહેબ ઠાકરે નારાજ થયા
- 1600 કરોડમાં સમગ્ર પ્રોજેક્ટ પૂર્ણ કરી 2000 કરોડ રૂપિયા બચાવ્યા
1995માં રિલાયન્સનું 3600 કરોડ રૂપિયાનું રદ કરી દીધું
વર્ષ 1995માં જ્યારે નીતિન ગડકરી રાજ્ય મંત્રી હતા ત્યારે મુંબઈ-પુણે એક્સપ્રેસ વે માટે તેમની પાસે રિલાયન્સનું ટેન્ડર આવ્યું હતું. આ ટેન્ડર 3600 કરોડ રૂપિયાનું હતું, જે નીતિન ગડકરીને ખુબ જ વધારે લાગ્યું હતું. તેવામાં તેઓએ રિલાયન્સનું ટેન્ડર રિજેક્ટ કરી દીધું હતું. જેના કારણે ધીરુભાઈ અંબાણીની સાથે સાથે મુખ્યમંત્રી પણ નારાજ થઈ ગયા હતા અને પુછ્યું હતું કે, આખરે આવું કેમ કર્યું? જેના જવાબમાં ગડકરીએ કહ્યું હતું કે, તે પ્રોજેક્ટ માટે પ્રજા પાસેથી પૈસા એકત્ર કરશે, અને તે સમયે લોકો આ વાત પર તેમના પર હસી રહ્યા હતા.
મુખ્યમંત્રી મનોહર જોશીએ ગડકરીને કહ્યું હતું કે, આવું કરીને દેખાડો. જે બાદ મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન બનાવ્યું હતું. ગડકરીએ કહ્યું કે, જે બાદ તે લેપટોપ લઈને રોકાણકારોની પાસે જતા હતા અને તેઓને યોજનાઓ અંગે જણાવતા હતા. આ સાથે ગડકરીએ કહ્યું કે, પણ આજનો સમય અલગ છે અને હવે રોકાણકારો સામેથી અમારી પાસે આવે છે અને રોકાણની વાતો કરે છે.
રતન ટાટાએ કહ્યું કે, તમે તો અમારાથી પણ વધારે સ્માર્ટ નીકળ્યા
ગડકરીએ જણાવ્યું કે, મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશને મુંબઈ-પુણે એક્સપ્રેસ વેનો પ્રોજેક્ટ 1600 કરોડ રૂપિયામાં પૂરો કરી દીધો હતો. અને રિલાયન્સના 3600 કરોડના ટેન્ડરને રદ કરતાં ગડકરીએ 2000 કરોડ રૂપિયા બચાવી દીધા હતા. આ મામલે રતન ટાટાએ ગડકરીને કહ્યું હતું કે તમે તો અમારાથી પણ સ્માર્ટ નીકળ્યા. કેમ કે, ટાટાને પણ લાગી રહ્યું ન હતું કે ઈન્ફ્રા પ્રોજેક્ટ માટે બજારથી પૈસા ઉઠાવી શકાય છે.
[ad_2]
Source link
Leave a Reply