dahod gujarat: દાહોદઃ મજૂરી કામ કરતા પરિવારનું બે વર્ષનું બાળક કોરોના પોઝિટિવ – just two years old kid covid-19 positive in dahod

[ad_1]

હાઈલાઈટ્સ:

  • દાહોદમાં બાળકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ચિંતા વધી
  • બે વર્ષના બાળકને ઝાડા-ઉલ્ટી થયા બાદ કરાવેલો રિપોર્ટ પોઝિટિવ
  • જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો થતાં તંત્ર વધારે સતર્ક બન્યું છે

દાહોદઃ ગુજરાતમાં જે પ્રમાણે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે તેના લીધે ચિંતા પણ વધી રહી છે. આવામાં લોકોને સચેત રહેવા અને સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી રહી છે. ગુજરાતમાં વધતા કેસો વચ્ચે એક ચોંકાવનારી વિગતો સામે આવી છે કે જેમાં 2 વર્ષના બાળકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઘટના દાહોદની છે.

મળતી વિગતો પ્રમાણે મજૂરી કામ કરતા પરિવારના બે વર્ષના બાળકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળકને સતત ઝાડા-ઉલ્ટી ચાલુ રહેતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, આ દરમિયાન બાળકનો કોરોના રિપોર્ટ પણ કરવામાં આવ્યો હતો જે પોઝિટિવ આવ્યો છે. જિલ્લામાં સતત વધતા કેસ વચ્ચે બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા લોકોમાં ચિંતાનો વધારો થયો છે.

ફરી બેકાબૂ બન્યો કોરોના! ભારતમાં સાડા ત્રણ મહિના બાદ દૈનિક કેસ 27 હજારને પાર
આવામાં બાળકના મજૂરી કામ કરતા માતા-પિતાનો પણ કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો જોકે, તેમના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

હવે આ બાળકને ઓમિક્રોનનું સંક્રમણ છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી શકે છે. મહત્વનું છે કે, ગુજરાતમાં ઓમિક્રોનના વધુ 23 કેસ નોંધાયા છે, જેમાંથી અમદાવાદમાં 11 અને સુરતમાં 4 નોંધાયા છે. આ સાથે અમદાવાદના 50એ પહોંચ્યા છે. દેશમાં ઓમિક્રોનના સૌથી વધારે 460 કેસ મહારાષ્ટ્રમાં છે, જ્યારે રાજસ્થાનનો આંકડો 121 પર પહોંચ્યો છે. જ્યારે દિલ્હીમાં વધુ 31 કેસ આવતા કુલ ઓમિક્રોન સંક્રમણ 351 થઈ ગયા છે.

અમદાવાદમાં ધડાધડ વધી રહ્યા છે કોરોનાના કેસ, બે દિવસમાં એક્ટિવ સંક્રમણ બમણા

કોરોનાઃ ગુજરાતની સ્થિતિ

શનિવારે સાંજે 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના નવા 1069 કેસો નોંધાયા છે, બીજી બાજુ 103 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાના કારણે વધુ 1 દર્દીનું મોત થતાં કુલ મૃત્યુઆંક 10,119 પર પહોંચ્યો છે. નવા કેસોમાં અમદાવાદ કોર્પોરેશનમાં 559, સુરત કોર્પોરેશનમાં 156, વડોદરા કોર્પોરેશનમાં 61, રાજકોટ કોર્પોરેશનમાં 41, આણંદ અને ખેડામાં 39, કચ્છમાં 22, વલસાડમાં 21, રાજકોટ જિલ્લામાં 20, ગાંધીનગર કોર્પોરેશનમાં 17 દર્દીઓ નોંધાયા છે. નવસારીમાં 1 દર્દીનું મોત થયું છે.

[ad_2]

Source link