[ad_1]
હાઈલાઈટ્સ:
- અલગ-અલગ 12 ટ્રાન્ઝેક્શનથી મીઠાઈની દુકાનના અકાઉન્ટમાંથી ઉપડ્યા 75 લાખ
- ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો અને બે દિવસ બાદ રિકનેક્ટ થયો ત્યાં સુધીમાં પૈસા ઉપડી ગયા
- ટેલિકોમ કંપનીનો સંપર્ક કરવા પર KYC ડોક્યુમેન્ટ સબમિટ કરાવવા માટે કહ્યું હતુ
52 વર્ષના અનિષ ત્રિવેદી, જેઓ કંદોઈ ભોગીલાલ મુળચંદમાં 20 વર્ષથી કામ કરે છે, તેમણે જણાવ્યું હતું કે, કંપનીના 6 કરન્ટ અકાઉન્ટ છે, જેની સાથે તેમના અને કંપનીના માલિકના મોબાઈલ નંર લિંક છે. ત્રિવેદીએ કહ્યું હતું કે, કોઈ પણ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે તેમના મોબાઈલ ફોન પર વન ટાઈમ પાસવર્ડ (ઓટીપી) આવે છે.
અમદાવાદ: એસપી રિંગ રોડ પર નિર્માણાધીન બ્રિજનો એક ભાગ તૂટી પડ્યો
27મી નવેમ્બરે સાંજે આશરે 8.15 કલાકે, તેમનો ફોન અચાનક ડિસ્કનેક્ટ થઈ ગયો હતો જે બાદ તેમણે તેમના મિત્રનો ફોન કર્યો હતો જે ટેલિકોમ કંપનીમાં કામ કરે છે. તેમના મિત્રએ સિમ કાર્ડ 2G ફોનમાં મૂકવા માટે કહ્યું હતું, પરંતુ તેમને તેમ છતાં સિગ્નલ મળ્યું નહોતું.
જે બાદ તેમણે ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડરનો સંપર્ક કર્યો હતો અને તેમને કેવાયસી (નો યોર કસ્ટમર) ડોક્યુમેન્ટ્સ સબમિટ કરાવવા માટે કહેવામાં આવ્યું હતું, જે તેમણે કર્યું હતું, પરંતુ બે દિવસ બાદ પણ તેમનું સિમ કાર્ડ રિ-એક્ટિવેટ થયું નહોતું. બે દિવસ બાદ, 29મી નવેમ્બરે સાંજે આશરે 8 કલાકે, તે કામ કરવા લાગ્યું હતું અને તેમને બેંકિંગ ટ્રાન્ઝેક્શનના મેસેજ મળવા લાગ્યા હતા.
તેમને એક બેંક અકાઉન્ટમાંથી 50 લાખ અને બીજા અકાઉન્ટમાંથી 25 લાખ રૂપિયા અલગ-અલગ 12 ટ્રાન્ઝેક્શનથી ઉપડ્યા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. ત્રિવેદીએ તેમના બેંકરનો ફોન કર્યો હતો અને પૈસા 27 નવેમ્બરથી 29 નવેમ્બર દરમિયાન પાંચ અલગ-અલગ અકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હોવાની જાણ થઈ હતી.
ગુજરાતીઓ ચેતી જજો: ફરી માથું ઊંચકી રહ્યો છે કોરોના, નવા 87 કેસ અને 2નાં મોત
આ મોડસ ઓપરેન્ડી પર સાયબર ક્રાઈમ એક્સપર્ટે કહ્યું હતું કે, સાયબર ગુનેગારો, પીડિતોનો ડેટા જેમ કે, તેમના બેંક અકાઉન્ટ, ક્રેડિટ કાર્ડ, પાન નંબર, સરનામું, જન્મ તારીખ અને મોબાઈલ ફોન નંબરની વિગતો સુરક્ષિત કર્યા પછી, નકલી પાન કાર્ડ બનાવે છે અને પીડિતના નામ પરથી નવું સિમ કાર્ડ ઈશ્યૂ કરે છે.
એક વખત નવું સિમ કાર્ડ ઈશ્યૂ થઈ જાય બાદમાં, પીડિતનો જૂના સિમ કાર્ડ સાથેનો મોબાઈલ ફોન ડિએક્ટિવેટ થઈ જાય છે. તે ખાતરી કરવામાં આવી છે કે પૈસા ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા હોય ત્યારે પીડિતને તેમના બેંક અકાઉન્ટના ઉપયોગ વિશે મેસેજ ન મળે.
આવા કેસમાં, પીડિતનો મોબાઈલ ફોન ડિસ્કનેક્ટ થઈ જાય છે. કારણ કે, સાયબર ગુનેગારો નવા સિમ કાર્ડ માટે અરજી કરે છે. તેઓ તેમના બેંક અકાઉન્ટ ચેક કરે છે ત્યારબાદ જ પીડિતને તેમની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થાય છે.
[ad_2]
Source link
Leave a Reply