Covid death compensation in gujarat: 10 દિવસમાં કોરોના મૃતકોના પરિવારજનોને સહાય ચૂકવાશે: મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી – covid death compensation will be paid within 10 days says revenue minister

[ad_1]

હાઈલાઈટ્સ:

  • કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 50,000 રૂપિયા વળતર ચૂકવાશે.
  • સિવિલ હોસ્પિટલમાં કોરોનાથી મૃત્યુ પામેલા સ્વજનનું ડેથ સર્ટિફિકેટ લેવા લાઈન લાગી.
  • 10 દિવસમાં વળતર ચૂકવી અપાશે તેમ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું.

અમદાવાદ: કોરોનાથી મૃત્યુ પામેલા સ્વજનનું ડેથ સર્ટિફિકેટ લેવા સિવિલ હોસ્પિટલમાં લાઈનમાં ઊભેલા લોકોમાંથી એક ઈસનપુરમાં રહેતા આશા પંચોલી (નામ બદલ્યું છે) પણ હતા. આશા પંચોલી પોતાના પતિનું ડેથ સર્ટિફિકેટ લેવા લાઈનમાં ઊભા હતા.

કોરોનાના લીધે સ્વજન ગુમાવનારા અમદાવાદના 3,412 પરિવારોને ચૂકવાશે ₹50,000નું વળતર

આશાબેને કહ્યું, “અમને અમારા સગાસંબંધીઓ દ્વારા જાણકારી આપવામાં આવી કે પહેલા અમારે હોસ્પિટલમાંથી ડેથ સર્ટિફિકેટ મેળવવું પડશે અને ત્યારબાદ તેને અન્ય દસ્તાવેજો સાથે મામલતદાર કચેરીમાં સબમિટ કરવું પડશે. વેરિફિકેશન થયા બાદ અમને 50,000 રૂપિયા વળતર ચૂકવાશે. મારા પતિના મૃત્યુ પછી હું ઘરકામ કરીને ગુજરાન ચલાવી રહી છું અને મારા બે બાળકોના ભણવાનો ખર્ચ ઉઠાવું છું. ત્યારે વળતરના રૂપિયાથી અમારી થોડી મદદ થશે.”

રાજ્યના અધિકારીઓ દાવો કરી રહ્યા છે કે, કોરોના પીડિતના પરિવારજનોને 50,000 રૂપિયા વળતર મળી રહે તે માટેની પ્રક્રિયા સરળ છે પરંતુ ઘણાં અમદાવાદીઓને જરૂરી દસ્તાવેજો એકત્ર કરવામાં આંખે પાણી આવી ગયા છે.

રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ગુરુવારે કહ્યું, “કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોની વિગતો એકઠી કરવા માટેના નિર્દેશો અમે આપી દીધા છે. મૃતકોના પરિવારજનોને ફોર્મ ભરવામાં અને અન્ય પ્રક્રિયાઓ પૂરી કરવામાં પણ મદદ મળશે. જેથી તેમને આગામી 10 દિવસમાં 50,000 રૂપિયા વળતર મળી જાય.”

રાજ્યના વહીવટીતંત્રએ જણાવ્યું કે, મામલતદાર કચેરી ખાતે ફોર્મ લેવામાં આવશે અને વળતર ચૂકવવા માટેના દસ્તાવેજો એકઠા કરી યોગ્ય છે કે કેમ તેની ચકાસણી થશે. ડેથ સર્ટિફિકેટમાં મૃત્યુનું કારણ કોરોના લખેલું બશે તેમને અને RT-PCR, RAT અથવા મોલેક્યુલર ટેસ્ટ પોઝિટિવ આવ્યાના 30 દિવસમાં દર્દીનું મૃત્યુ થયું હશે તો તેમના પરિવારજનોને વળતર આપવામાં આવશે.

ગુજરાતમાં 13.6 લાખ મોબાઈલ સબ્સ્ક્રાઈબર ઘટ્યા, કોરોનાની બીજી લહેર જવાબદાર

જો કોઈ મૃતકના પરિજન પાસે ડેથ સર્ટિફિકેટ કે RT-PCR રિપોર્ટ ના હોય તો શું કરવાનું? ડિઝાસ્ટર રિસપોન્સ સેન્ટરના સત્તાવાર નિવેદન પ્રમાણે, જે-તે વ્યક્તિએ ડિસ્ટ્રિક્ટ ઈમર્જન્સી રિસપોન્સ સેન્ટર મુજબ, કલેક્ટરની ઓફિસમાં અરજી આપવી પડશે. “જો કોઈ વ્યક્તિ પાસે ફોર્મ 4 (ઈન્સ્ટીટ્યૂશનલ ડેથ) અથવા ફોર્મ 4A (નોન-ઈન્સ્ટીટ્યૂશન ડેથ) ના હોય, ડેથ સર્ટિફિકેટમાં મોતનું કારણ લખવામાં ના આવ્યું હોય, પોઝિટિવ ટેસ્ટ રિપોર્ટ ના હોય તો તેમણે ફોર્મ ભરીને અરજી આપવાની રહેશે”, તેવો પત્રમાં ઉલ્લેખ છે. કોરોના દ્વારા મૃત્યુ થયું છે તે સુનિશ્ચિત કરતી કમિટિના મેમ્બર સેક્રેટરી પાસે મોકલવામાં આવશે અને તેઓ નિર્ણય કરશે, તેમ આગળ જણાવાયું હતું.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *