Covid death certificate: કોરોના ડેથ સર્ટિફિકેટના ફોર્મ વિતરણની નબળી વ્યવસ્થા, અમદાવાદ કલેક્ટર કચેરીએ લોકોને ધરમધક્કા – poor arrangement of form distribution to get covid death certificate at ahmedabad collector office

[ad_1]

અમદાવાદ: કોરોના દરમિયાન મૃત્યુ પામનારા લોકોના પરિવારને સહાયની જાહેરાત સરકારે કરી હતી. જે અંતર્ગત ડેથ સર્ટિફિકેટ માટેના ફોર્મ વિતરણની વ્યવસ્થાનો અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરીમાં સદંતર અભાવ જોવા મળી રહ્યો છે. હજુ સુધી કલેક્ટર કચેરી ખાતે ફોર્મ વિતરણ વ્યવસ્થા કરાઈ નથી. તો બીજી બાજુ કલેક્ટર દ્વારા જિલ્લા પંચાયતમાં ફોર્મ સ્વીકારવાની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યાં હજુ કેટલા ફોર્મ આવ્યા તેની જાણ પણ થઈ નથી. ગયા સપ્તાહે પણ ફોર્મ વિતરણની કાર્યવાહી શરૂ નહોતી થઈ.

કલેક્ટર કચેરીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા આ પ્રકારની કામગીરી સંભાળવામાં આવે છે. એ સમયે કલેક્ટર મારફતે ફોર્મ વિતરણ અંગેની કાર્યવાહી શરૂ કરવાની વાત થઈ હતી પરંતુ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગમાં હજુ ફોર્મ વિતરણની વ્યવસ્થા કરાઈ નથી. 15 નવેમ્બરથી ફોર્મ વિતરણની શરૂઆત થઈ હતી ત્યાથી લોકો રોજ ત્યાં ધક્કા ખાઈ રહ્યા છે. પરંતુ કંટાળેલા અરજદારો હવે ત્યાં પણ જતા નથી.

જિલ્લા પંચાયતના CDHO એટલે કે હેલ્થ અધિકારીને આ અંગેની જવાબદારી સોંપાઈ છે. કોરોનાથી મૃત્યુ પામેલા નાગરિકોના પરિવારજનોને વળતર આપવાની જાહેરાત કરાયા બાદ એવો મુદ્દો ઉઠ્યો હતો કે, ઘણાં મૃતકોના સર્ટિફિકેટમાં મોતનું કારણ કોરોના લખવામાં નહોતું આવ્યું. આ મામલે હોબાળો થતાં હવે ગુજરાત સરકારે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને નવા ડેથ સર્ટિફિકેટ આપવા માટે સમિતિ તૈયાર કરી હતી. આ સમિતિ દ્વારા વિવિધ મુદ્દાઓ ચકાસ્યા બાદ દર્દીનું મોત કોરોનાથી થયું છે કે નહીં તેની ખરાઈ કરીને સર્ટિફિકેટ આપવામાં આવશે. આ માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા 15 નવેમ્બરથી શરૂ થઈ હતી.

કોરોનામાં મૃત્યુ પામેલા નાગરિકોનાં પરિવારજનોને 50 હજાર રૂપિયાનું વળતર ચૂકવવા માટે સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે. કોરોનાથી મૃત્યુ પામેલા નાગરિકોનું ડેથ સર્ટિફિકેટ પણ ફરજિયાત કરાયું છે. જેના ફોર્મની પ્રક્રિયા 15 નવેમ્બરથી શરૂ થઈ છે. જન્મ-મરણ નોંધણીના નિયમો પ્રમાણે, મૃતકને મૃત્યુ વખતે જે તબીબે સારવાર આપી હોય તે મૃત્યુનું કારણ જણાવી શકે છે. એવામાં હોસ્પિટલમાં મૃત્યુ થયું હોય તો ફોર્મ નંબર 4 અને તે સિવાયના કિસ્સામાં ફોર્મ નંબર 4-A પ્રમાણે રજિસ્ટ્રારને મરણની નોંધણી માટે મોકલવામાં આવે છે. ગુજરાતમાં કોરોનાથી મોતને ભેટલા દર્દીઓનાં પરિવારજનોને મૃત્યુના કારણ સાથેનું પ્રમાણપત્ર આપવામાં આવશે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *