covid 19: કોરોના: ગુજરાતમાં નવા 51 કેસ નોંધાયા, સૌથી વધુ અમદાવાદમાં 18 દર્દી – new cases of coronavirus in gujarat in last 24 hours

[ad_1]

હાઈલાઈટ્સ:

  • ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 817874 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.
  • જ્યારે કુલ મૃત્યુઆંક 10101 નોંધાયો છે.
  • રાજ્યમાં એક્ટિવ કેસો 571 છે જેમાં 4 દર્દી વેન્ટિલેટર પર જ્યારે 567 દર્દીઓ સ્ટેબલ છે.

અમદાવાદ: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના નવા 51 કેસ નોંધાયા છે અને સામે 55 દર્દી સાજા થયા છે. રાજ્યમાં આજે પણ કોરોના વાયરસના કારણે એકપણ દર્દીનું મોત નીપજ્યું નથી. રાજ્યમાં આજે સાંજે 4 વાગ્યા સુધીમાં કુલ 87,189 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. રાજ્યમાં કોવિડ-19થી સાજા થવાનો દર 98.71 ટકા નોંધાયો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 817874 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 10101 નોંધાયો છે. રાજ્યમાં એક્ટિવ કેસો 571 છે જેમાં 4 દર્દી વેન્ટિલેટર પર જ્યારે 567 દર્દીઓ સ્ટેબલ છે.

FG-iu_TVkAUYyYG


છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 18, વડોદરા કોર્પોરેશનમાં 10, સુરત કોર્પોરેશનમાં 6, કચ્છ-નવસારી-રાજકોટ કોર્પોરેશનમાં 3, રાજકોટ (જિલ્લા)માં 2, દેવભૂમિ દ્વારકા-ગાંધીનગર કોર્પોરેશન-જામનગર કોર્પોરેશન-ખેડા-મહેસાણા-વલસાડમાં 1 કેસ નોંધાયો છે.

FG-iu-oVUAUVH4K

ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના વધુ 3 કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા હવે 10 પર પહોંચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લાવાર દર્દીઓમાં જામનગરના ત્રણ, સુરત અને વડોદરામાં બે-બે અને ગાંધીનગર, મહેસાણા અને આણંદમાં એક-એકનો સમાવેશ થાય છે. જામનગરમાં ત્રણ દર્દીઓને રજા આપવામાં આવી છે. રાજ્યમાં ઓમિક્રોનના કેસોની સંખ્યામાં સતત વધારો થતાં આરોગ્ય વિભાગની ચિંતા વધી ગઈ છે. દુનિયાના અનેક દેશોમાં ફેલાયેલા કોરોનાના નવા વેરિયન્ટની અમદાવાદમાં પણ એન્ટ્રી થઈ ગઈ છે! ખાનગી ટીવી ચેનલના રિપોર્ટ મુજબ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરવામાં આવેલા ઓમિક્રોન વોર્ડમાં સારવાર હેઠળ મૂળ આણંદના 48 વર્ષીય વ્યક્તિમાં નવા વેરિયન્ટની પુષ્ટિ થઈ હોવાનું જાણવા મળ્યું છે. એવું પણ જાણવા મળ્યું છે કે, આ દર્દી લંડનથી દુબઈનો પ્રવાસ કરીને અમદાવાદ આવ્યા હતા.
સાવરકુંડલા અમરેલી વચ્ચે ટ્રક-કાર વચ્ચે ભીષણ અકસ્માતમાં એક જ પરિવારનાં 3 લોકોનાં મોત
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને આણંદ શહેરની હદમાં નવા 3 કેસ નોંધાયા છે. આ 3 કેસની સાથે જ ઓમિક્રોન કેસની સંખ્યાનો આંકડો 10 પર પહોંચ્યો છે. શુક્રવારે 17 ડિસેમ્બરે વડોદરામાં 2 કેસ નોંધાયા હતા. જ્યારે જામનગરમાં ઓમિક્રોન વેરિયન્ટના ત્રણેય દર્દીઓને હોસ્પિટલથી રજા આપી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ઓમિક્રોનનો પહેલો કેસ જામનગરમાં નોંધાયો હતો. જ્યાં 72 વર્ષીય વૃદ્ધ ઝિમ્બાવવેથી પરત ફર્યા બાદ તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ટ્રાવેલ હિસ્ટ્રી હોવાથી તેમના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલાયા હતા. જેમાં તેમને ઓમિક્રોનનો ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ હતી. ત્યારબાદ સંપર્કમાં આવેલા પત્ની અને સાળાને પણ ઓમિક્રોનનો ચેપ લાગ્યો હતો. જો કે, હવે ત્રણેય દર્દી સ્વસ્થ થઈ ગયા છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *