coronavirus in Gujarat: ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જેવી સ્થિતિ, બુધવારે 500થી વધુ કેસ નોંધાતા ફફડાટ – coronavirus cases surge in gujarat more than 500 cases register in a single day

[ad_1]

હાઈલાઈટ્સ:

  • છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 65 દર્દીઓ સાજા થાય, એક દર્દીનું મોત
  • રાજ્યમાં હાલમાં કોરોનાના 1902 એક્ટિવ કેસ છે જેમાંથી 11 દર્દીઓ વેન્ટિલેટર પર છે
  • અમદાવાદ કોર્પોરેશનમાં 265 કેસ નોંધાયા છે, જ્યારે સુરતમાં 72 કેસ સામે આવ્યા છે

ઓમિક્રોનના ફફડાટ વચ્ચે ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં વિસ્ફોટ થયો છે. રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસ 500ને પાર પહોંચી ગયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના 548 કેસ નોંધાયા છે. જ્યારે એક દર્દીનું મોત થયું છે અને 65 દર્દીઓ સાજા થયા છે.

cases corona

રાજ્યમાં હાલમાં 1902 એક્ટિવ કેસ છે જેમાંથી 11 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને 1891 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધી કુલ 8,18,478 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા છે જ્યારે 10,116 લોકોના મોત થયા છે. ગુજરાતમાં રિકવરી રેટ 98.55 ટકા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1,94,376 લોકોએ રસી લીધી છે. જ્યારે અત્યાર સુધી 8,90,14,828 લોકોએ રસી લીધી છે.

cases corona2

ગુજરાતમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 265 કેસ નોંધાયા છે. જ્યારે સુરત કોર્પોરેશનમાં 72 કેસ સામે આવ્યા છે. બે આંકડાના કેસ જ્યાં નોંધાયા છે તેમાં વડોદરા કોર્પોરેશનમાં 34, આણંદમાં 23, ખેડામાં 21, રાજકોટ કોર્પોરેશનમાં 20, અમદાવાદ જિલ્લા અને કચ્છમાં 13-13 કેસ નોંધાયા છે.

ગુજરાતમાં ઓમિક્રોનના કેસ
છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં ઓમિક્રોનના 19 નવા કેસ સામે આવ્યા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં 8 કેસ છે. આ ઉપરાંત વડોદરા કોર્પોરેશનમાં ત્રણ, સુરત કોર્પોરેશનમાં છ અને આણંદમાં બે કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધી ઓમિક્રોનના 97 કેસ નોંધાયા છે જેમાં સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં 33 અને વડોદરા કોર્પોરેશનમાં 21 કેસ સામે આવ્યા છે.

cases corona3

દેશમાં કોરોનાના કેસો ગણતરીના દિવસોમાં જ રોકેટ ગતિએ વધવાનું અનુમાન
દુનિયાભરમાં અત્યારે કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટને કારણે ફફડાટ મચી ગયો છે. તમામ દેશોની સરકારો તેના સંક્રમણને રોકવાનો પ્રયત્ન કરી રહી છે. વૈજ્ઞાનિકો, નિષ્ણાંતો આ વેરિયન્ટ પર રિસર્ચ કરી રહ્યા છે અને રિસર્ચને આધારે શક્યતાઓ વ્યક્ત કરી રહ્યા છે. ભારતમાં પણ ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે ત્યારે એવી શંકા વ્યક્ત કરવામાં આવી છે કે આગામી દિવસોમાં કોરોના કેસ ફરી એકવાર મોટી સંખ્યામાં વધી શકે છે.

યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ ખાતે જજ બિઝનેસ સ્કૂલના પ્રોફેસર પૉલ આ બાબતે જણાવે છે કે, ભારતમાં થોડા દિવસ સુધી દરરોજ મોટી સંખ્યામાં કેસ નોંધાશે, પરંતુ આ સમયગાળો ઘણો ઓછો હશે. ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટી તરફથી એક કોવિડ 19 ઈન્ડિયા ટ્રેકર તૈયાર કરવામાં આવ્યું છે. પ્રોફેસર જણાવે છે કે, થોડા દિવસમાં સંક્રમણ વધવાની શરુઆત થશે. હવે દરરોજના કેસ કેટલા પ્રમાણમાં વધશે તે કહેવું હમણાં મુશ્કેલ છે.

[ad_2]

Source link