coronavirus: ગુજરાતમાં કોરોનાના નવા કેસો 200ને પાર, અમદાવાદમાં 98 દર્દી – new cases of coronavirus found in gujarat in last 24 hours

[ad_1]

| I am Gujarat | Updated: Dec 27, 2021, 9:30 PM

રાજ્યમાં કોરોના વાયરસના કારણે વધુ 1 દર્દીનું મોત થતાં કુલ મૃત્યુઆંક 10,114 પર પહોંચ્યો છે. રાજ્યમાં કોવિડ-19થી સાજા થવાનો દર 98.65 ટકા નોંધાયો છે.

 

પ્રતીકાત્મક તસવીર

હાઈલાઈટ્સ:

  • ગુજરાતમાં ઓમિક્રોનના નવા 24 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 73 ઓમિક્રોનના કેસ નોંધાયા છે.
  • ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 818363 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે
  • જ્યારે એક્ટિવ કેસો 1086 છે જેમાં 14 દર્દી વેન્ટિલેટર પર જ્યારે 1072 દર્દીઓ સ્ટેબલ છે.

અમદાવાદ: શું ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે? છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના નવા 204 કેસો નોંધાયા છે અને સામે 65 દર્દી સાજા થયા છે. રાજ્યમાં કોરોના વાયરસના કારણે વધુ 1 દર્દીનું મોત થતાં કુલ મૃત્યુઆંક 10,114 પર પહોંચ્યો છે. રાજ્યમાં કોવિડ-19થી સાજા થવાનો દર 98.65 ટકા નોંધાયો છે.

FHntFo2VEAUoKVb


ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 818363 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે જ્યારે એક્ટિવ કેસો 1086 છે જેમાં 14 દર્દી વેન્ટિલેટર પર જ્યારે 1072 દર્દીઓ સ્ટેબલ છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 98, રાજકોટ કોર્પોરેશનમાં 33, સુરત કોર્પોરેશનમાં 22, વડોદરા કોર્પોરેશનમાં 16, ગાંધીનગર કોર્પોરેશનમાં 4 નવા કેસ નોંધાયા છે.

FHntFrrVkAAiXqP

ગુજરાતમાં ઓમિક્રોનના નવા 24 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 73 ઓમિક્રોનના કેસ નોંધાયા છે. જેની વિગતો નીચે મુજબ છે.

q7

પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, કોરોનાની ત્રીજી લહેર આવે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. જેને પગલે રાજ્ય સરકાર સજ્જ છે. હોસ્પિટલમાં આઈસીયુ બેડ સહિત તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. જો કોરોનાની ત્રીજી લહેર આવે તો તેની સામે આરોગ્યલક્ષી તમામ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે. મહેસાણા ખાતે આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા એક એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. આ એપ્લિકેશનની મદદથી તમારી નજીકની કઇ હોસ્પિટલમાં બેડ ખાલી છે તેની માહિતી મળશે. ઓક્સિજન બેડ સહિત તમામ માહિતી આ એપ્લિકેશનની મદદથી લોકોને મળી રહેશે. નાગરિકોને હોસ્પિટલ શોધવા માટે અગવડ ના પડે તેવી વ્યવસ્થા આ એપમાં કરાઈ છે. ટૂંક સમયમાં એપ્લિકેશન પણ લોંચ કરવામાં આવશે.
દેશમાં ઓમિક્રોનના દર્દી વધીને 578 થયા, દિલ્હી અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ
કોરોના વાયરસની સંભવિત ત્રીજી લહેરની દહેશત વચ્ચે રાજ્યમાં ઠેર-ઠેર યોજાતા સરકારી કાર્યક્રમોમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન ન થતું હોવાનું સામે આવ્યું છે. ત્યારે બે દિવસ પહેલા સુરતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના સ્વાગત કાર્યક્રમમાં હાજર રહેલા ભાજપ જિલ્લા પ્રમુખ બાદ ભાજપ મહામંત્રી કિશોર બિંદલનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. આ ઉપરાંત શહેરના ડે. મેયરનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આમ ભાજપના મેળાવડા બાદ નેતાઓમાં કોરોનાનું સંક્રમણ વધ્યું હોય તેમ લાગી રહ્યું છે.

આસપાસના શહેરોના સમાચાર

Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ

Web Title : new cases of coronavirus found in gujarat in last 24 hours
Gujarati News from I Am Gujarat, TIL Network

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *