[ad_1]
હાઈલાઈટ્સ:
- બંધારણ દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં સંબોધન કર્યું
- સંબોધન દરમિયાન વિરોધી પક્ષો પર પારિવારિક પાર્ટીના મુદ્દે પ્રહાર
- આજનો દિવસ બાબા સાહેબ, ડૉ રાજેન્દ્ર પ્રસાદને યાદ કરવાનો દિવસ
તો તેઓ લોકતંત્રની રક્ષા કઈ રીતે કરશે?
બંધારણની ભાવનાને ઠેસ પહોંચાડી છે. બંધારણની એક-એક કલમને ઠેસ પહોંચાડી છે, જ્યારે રાજકીય પક્ષો પોતાનું લોકતાંત્રિક કેરેક્ટર ગુમાવી દે છે. જે પક્ષ પોતે લોકતાંત્રિક કેરેક્ટર ગુમાવી ચૂક્યા છે, તેઓ લોકતંત્રની રક્ષા કઈ રીતે કરશે? આજે દેશમાં કાશ્મીરથી કન્યાકુમારી.. ભારતના દરેક ખુણામાં જાવ, ભારતમાં એક એવા સંકટ તરફ આગળ વધી રહ્યો છે, જે બંધારણને સમર્પિત લોકો માટે ચિંતાનો વિષય છે. લોકતંત્ર પ્રત્યે આસ્થા રાખનારા લોકો માટે ચિંતાનો વિષય છે. અને તે છે પારિવારિક પાર્ટીઓ.
એક પરિવારમાંથી એકથી વધારે લોકો પાર્ટીમાં ના આવે
રાજકીય પક્ષો પાર્ટી ફોર ધ ફેમિલી, પાર્ટી બાય ધ ફેમિલી.. અને આગળ કહેવાની જરુર નથી લાગતી. જ્યારે હું કહું છું કે પારિવારિક પાર્ટીઓ, તેનો મતલબ હું એવો નથી કહેતો કે પરિવારમાંથી એકથી વધારે લોકો પાર્ટીમાં ના આવે.. યોગ્યતા ના આધારે.. જનતાના આશીર્વાદથી.. કોઈ પરિવારમાંથી એકથી વધારે લોકો રાજકારણમાં આવે.. તેનાથી પાર્ટી પરિવારવાદી નથી બની જતી. પરંતુ જે પાર્ટી પેઢી દર પેઢી એક પરિવાર ચલાવી રહ્યો છે. પાર્ટીની તમામ વ્યવસ્થા પરિવારો પાસે રહે, તે લોકતંત્રના સ્વાસ્થ્ય માટે સંકટ હોય છે.
બાબા સાહેબ આંબેડકર, ડૉ રાજેન્દ્ર પ્રસાદને યાદ કરવાનો દિવસ
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજનો દિવસ બાબા સાહેબ આંબેડકર, ડૉ રાજેન્દ્ર પ્રસાદ જેવા દુરંદેશી મહાનુભાવોને નમન કરવાનો છે. આજનો દિવસ આ ગૃહને પ્રણામ કરવાનો છે. મોદીએ કહ્યું કે, આજે પૂજ્ય બાપુને પણ નમન કરવાનો દિવસ છે. આઝાદીના આંદોલનમાં જે લોકોએ બલિદાન આપ્યું, તે સૌને નમન કરવાનો છે.
હજારો વર્ષોની મહાન પરંપરાની અભિવ્યક્તિ છે બંધારણ
વડાપ્રધાને કહ્યું, આપણું બંધારણ માત્ર અનેક કલમોનો સંગ્રહ નથી, આપણું બંધારણ સહસ્ત્રો વર્ષની મહાન પરંપરા, અખંડ કલમોની આધુનિક અભિવ્યક્તિ છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ બંધાણ દિવસને એટલા માટે પણ મનાવવો જોઈએ, કારણ કે આપણો જે રસ્તો છે, તે સાચો છે કે નહીં, તેનું મુલ્યાંકન કરવા માટે મનાવવો જોઈએ. વડાપ્રધાને કહ્યું બાબા સાહેબ આંબેડકરની 125મી જયંતી હતી, અમને બધાને લાગ્યું કે આનાથી મોટો પવિત્ર અવસર કયો હોઈ શકે છે કે બાબ સાહેબ આંબેડકરે જે દેશને ભેટ આપી છે, તેને આપણે હંમેશા સ્મૃતિ ગ્રંથના રૂપમાં યાદ કરતા રહ્યા.
[ad_2]
Source link
Leave a Reply