[ad_1]
રોડ શો પહેલા ભૂપેન્દ્ર પટેલને એરપોર્ટ પર આવકારવા માટે ભાજપના નેતાઓ અને કાર્યકરોના હજારોની સંખ્યામાં ભીડ એકઠી થઈ હતી અને તમામ નીતિ-નિયમો નેવે મૂક્યાં છે. સોશિયલ ડિસ્ટન્સ તો દૂર, કાર્યકરો માસ્ક વગર ફરતા જોવા મળ્યા હતા. જેથી કાર્યક્રમ બાદ કોરોના વિસ્ફોટ થાય તેવી પ્રબળ સંભાવના છે. મહત્વનું છે કે, એક તરફ રાજ્ય સરકાર પોતે નાગરિકોને કોરોનાની ગાઈડલાઈનનું ચૂસ્તપણે પાલન કરવા માટે કહી રહી છે અને બીજી તરફ પોતે જ નિયમોનું પાલન ન કરતા રોડ શો યોજીને કોરોનાની સંભવિત ત્રીજી લહેરને આમંત્રણ આપી રહી હોય તેવું લાગી રહ્યું છે.
મીડિયા રિપોર્ટ અનુસાર ધર્મેન્દ્ર કોલેજના ગ્રાઉન્ડમાં સુશાસન સપ્તાહનો સમાપન સમારોહ થશે. બપોરે સમાપન સમારોહ પૂર્ણ જાહેર થશે ત્યાર બાદ મુખ્યમંત્રી ચૌધરી સ્કૂલના મેદાનમાં ઊભી કરેલી પોર્ટેબલ હોસ્પિટલની મુલાકાત લેશે અને ત્યાંથી રૈયા સ્માર્ટસિટીમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટનું નિદર્શન કરી બપોરે 3 કલાકે મેયર બંગલે બેઠક કરશે તેવું જાણવા મળ્યું છે.
[ad_2]
Source link