[ad_1]
હાઈલાઈટ્સ:
- જો નવું બિલ કાયદો બની જશે જો છોકરીઓ માટે લગ્નની ઉંમર 21 વર્ષની થઈ જશે
- આ ભયના કારણે હૈદરાબાદમાં મુસ્લિમો પોતાની છોકરીઓના તાબડતોબ નિકાહ કરાવી રહ્યા છે
- હૈદરાબાદના એક મૌલવીએ જણાવ્યું હતું કે આ મુસ્લિમ પર્સનલ લોમાં ઘૂસણખોરી છે
આ મસ્જિદોમાં જે નિકાહ થઈ રહ્યા છે તેમાં છોકરીઓની ઉંમર 18થી 20 વર્ષની વચ્ચે છે. મોટા ભાગના નિકાહ 2022-2023માં કોઈ પણ સમયે થવાના હતા પરંતુ બિલ પાસ થઈ જવાના ડરે તેમના પરિવારોમાં ખળભળાટ મચી ગયો છે અને તેઓ નક્કી તારીખ પહેલા જ નિકાહ કરાવી દેવાની દોડમાં લાગી ગયા છે.
રાહ જોઈ શકું નહીં
બાબાનગરના એક રહેવાસીએ જણાવ્યું હતું કે, અમે અમારી પુત્રીના લગ્ન 2022ની મધ્યમાં કરવાની તૈયારી કરી હતી કેમ કે તેના પિતા તાજેતરમાં જ નોકરીની શોધમાં શ્રીલંકા ગયા હતા. અમને આશા હતી કે તેઓ લગ્નની વ્યવસ્થા કરવા માટે થોડા રૂપિયા કમાવીને આવશે. પરંત જ્યારે અમે બિલ અંગે સાંભળ્યું તો અમારે તાબડતોબ નિકાહ કરાવવા પડ્યા.
અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ ઓલ્ડ સિટીમાં રહેનારા અડધો ડઝન જેટલા પરિવારો સાથે વાતચીત કરી હતી જેમણે આ જ કારણથી પોતાની પુત્રીઓના નિકાહની તારીખોને આગળ વધારી છે. જોકે, હાલમાં મોટા ભાગના નિકાહમાં આર્થિક કારણોસર વિદાય ટાળી દેવામાં આવી છે.
લોકડાઉનમાં નોકરી ગઈ
લોકડાઉનમાં નોકરી ગુમાવનારા રહેમત અલીએ જણાવ્યું હતું કે, અમે અમારી પુત્રીને થોડું ફર્નિચર, સોનું, કપડા અને રોકડા રૂપિયા સાથે સાસરે મોકલવા ઈચ્છતા હતા. પરંતુ હાલમાં હું પરિવાર માટે ભોજનની વ્યવસ્થા કરવા માટે સંઘર્ષ કરી રહ્યો છું. રહેમતની 2020ના લોકડાઉન દરમિયાન ડ્રાઈવરની નોકરી છૂટી ગઈ હતી. રહેમતની પાંચ છોકરીઓ અને એક છોકરો છે. તેમણે પોતાની દીકરીના નિકાહ 26 ડિસેમ્બરે કરાવ્યા હતા અને વિદાય માટે ચાર-પાંચ મહિનાનો સમય માંગ્યો છે.
ટીઆરએસની યોજના પર આધાર રાખએ છે ઘણા નિકાહ
ચંદ્રયાનગુટ્ટા રહેવાસી યુગલ પોતાની પુત્રીના લગ્ન માટે કેસીઆરની શાદી મુબારક યોજના પર આધાર રાખે છે. 2014માં ટીઆરએસ સરકારે આ યોજનાની શરૂઆત કરી હતી. આ યોજના એસસી, એસટી, ઈબીસી અથવા લઘુમતીઓને 1 લાખ રૂપિયાની આર્થિક મદદ આપે છે. યોજનાનો લાભ લેવા માટે છોકરીઓની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ.
થોડા દિવસની અંદર 40 નિકાહ
આ વિસ્તારના એક સ્થાનિક નેતા ફિરોઝ ખાને જણાવ્યું હતું કે, પરિવાર નિકાહ કરાવી રહ્યા છે જેથી તેઓ તાત્કાલિક યોજના માટે અરજી કરી શકે અને આગામી કેટલાક મહિનામાં તેમને મદદ મળી શકે. એક વખત પ્રક્રિયા પૂરી થઈ ગયા બાદ તેઓ નિકાહ કરી શકે છે. આગામી થોડા દિવસની અંદર આ વિસ્તારમાં 40થી વધારે નિકાહ થવાના છે.
નવા બિલ સામે મૌલાનાએ ઉઠાવ્યા સવાલ
બિલ અંગે પ્રતિક્રિયા આપતા મુસ્લિમ ધર્મગુરૂ અને અમરત-એ-મિલ્લત-એ-ઈસ્લામિયા તેલંગાણા અને આંધ્રના પ્રમુખ મૌલાના ઝફર પાશાએ જણાવ્યું હતું કે આ મુસ્લિમ પર્સનલ લોમાં ઘૂસણખોરી છે. તેમણે કહ્યું હતું કે, ઈસ્લામમાં એક મુસ્લિમ યુવતી યૌવન પ્રાપ્ત કર્યા બાદ લગ્ન કરી શકાય છે. જો બિલ પાસ થાય છે તો આ છોકરીઓની સુરક્ષા સંબંધીત ઘણા મુદ્દાઓ હશે.
[ad_2]
Source link