[ad_1]
હાઈલાઈટ્સ:
- 4 ડિસેમ્બરને બનેલી હૃદય કંપાવનારી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો
- ઘરના ગેટ પાસે ઉભેલા આધેડને આખલાએ અચાનક અડફેટે લઈને ગંભીર ઈજા પહોંચાડી હતી
- શહેરના સરદારનગર વિસ્તારમાં આખલાએ આધેડને 10 ફૂટ સુધી ઢસડ્યા બાદ હુમલો કર્યો હતો
પ્રાપ્ત માહિતી અનુસાર 4 ડિસેમ્બરે શહેરના સરદારનગર બ્રહ્માકુમારી ડિવાઈન પેલેસની સામે રહેતા નિર્મળભાઈ ગુજરિયા નામના આધેડ પોતાના ઘરની બહાર નીકળતાં જ આખલાએ તેને શીંગડે ભરાવ્યા હતા. શીંગડાં વડે ઊંચકી આધેડને જમીન પર પટક્યા હતા. ત્ચાર બાદ જમીન પર ઢસડી આખલાએ પોતાના પગ વડે નિર્મળભાઈને ખૂંદયા હતા. આખલાના હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા નિર્મળભાઈને સારવાર માટે ખસેડવામા આવ્યાં હતા.
આ ઘટનાનો વિડીયો પણ સીસીટીવીમાં કેદ થતાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં જોઈ શકાય છે કે, આખલો ઘરની બહાર આવેલા એક વ્યક્તિ પર અચાનક જ હુમલો કરી દે છે અને બાદમાં શિંગડા ભરાવી થોડે દૂર સુધી ઢસડી જાય છે. આ વાતની જાણ થતા પરિવારના લોકો સહિત આસપાસના કેટલાંક લોકો મદદ માટે દોડી આવે છે. ત્યારે આખલો તેમના પર પણ હુમલો કરે છે. ગમે તેમ કરીનો લોકો આ વ્યક્તિને ગાયના ત્રાસમાંથી બચાવી લે છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં દિવસેને દિવસે રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે. આવી ઘટનાઓમાં સામાન્ય જનતા જ ભોગ બનતી હોય છે. થોડા સમય પહેલા ગીર સોમનાથ જિલ્લામાં પણ આવી જ એક ઘટના સામે આવી હતી. જેમાં વૃદ્ધ મહિલાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અવારનવાર બનતી આવી ઘટનાને લઈને સૌથી મોટો સવાલ એ છે કે, આખરે રખડતા ઢોરોનો આતંક ક્યારે અટકશે?
ભાવનગરમાં રખડતા ઢોરનો આતંક, વ્યક્તિ પર હુમલાની ઘટના CCTVમાં કેદ
[ad_2]
Source link
Leave a Reply