[ad_1]
હાઈલાઈટ્સ:
- કાર્ડ ટોકનાઈઝેશન સિસ્ટમ એટીએમ/ડેબિટ/ક્રેડિટ કાર્ડને સુરક્ષિત બનાવવા માટે લાવવામાં આવી રહી છે.
- આ સિસ્ટમમાં તમારા કાર્ડની કોઈ માહિતી મર્ચન્ટ પાસે સ્ટોર નહીં રહે.
- આ સિસ્ટમમાં તમે નહીં જોડાવ તો દર વખતે ઓનલાઈન શોપિંગ કરતી વખતે તમારે કાર્ડની માહિતી આપવાની રહેશે.
આરબીઆઈએ એટીએમ/ડેબિટ/ક્રેડિટ કાર્ડને સુરક્ષિત બનાવવા માટે આ વ્યવસ્થા લવાઈ છે કે, કોઈપણ કંપની કે મર્ચન્ટ ગ્રાહકોના કાર્ડની જાણકારી જેમકે, કાર્ડ નંબર, એક્સપાયરી ડેટ કે સીવીવીને સ્ટોર નથી કરતી.
રિઝર્વ બેંકએ એમેઝોન, ફ્લિપકાર્ટ, ઝોમેટો સહિત બધી કંપનીઓએ કહ્યું છે કે, ગ્રાહકોનો પહેલેથી સ્ટોર ડેટા ડિલીટ કરી દે, જેથી ઓનલાઈન ટ્રાન્જેક્શનની સિક્યોરિટીને વધારી શકાય. તો, રિઝર્વ બેંકે વિઝા, માસ્ટરકાર્ડ અને રૂપેને કાર્ડ ઈશ્યૂ કરતી કંપની તરફથી એક ટોકન આપવાની મંજૂરી આપી છે, જેને ટોકનાઈઝેશન કહેવામાં આવી રહ્યું છે.
આ રીતે ગ્રાહકોના કાર્ડની વાસ્તવિક માહિતી મર્ચન્ટની પાસે સ્ટોર નહીં રહે, જેથી ડેટા ચોરી થવાની અને ફ્રોડની ઘટનાઓ પર અંકુશ આવશે. કાર્ડ ટોકનાઈઝેશન એક એવી પ્રક્રિયા છે, જે અંતર્ગત કાર્ડની માહિતીને એક યુનિક કોડ કે ટોકન દ્વારા રિપ્લેસ કરાશે. તેના દ્વારા જરૂરી જાણકારી આપ્યા વિના જ ટ્રાન્જેક્શન કરવાની મંજૂરી મળશે.
ભારતમાં આ કોઈ નવી વ્યવસ્થા નથી. પહેલેથી જ યુનાઈટેડ પેમેન્ટ ઈન્ટરફેસ એટલે કે યુપીઆઈમાં ટોકનાઈઝેશન કોન્સેપ્ટનો ઉપયોગ કરાઈ રહ્યો છે. તેના કારણે તે સથી સુરક્ષિત પેમેન્ટ સિસ્ટમમાંથી એક છે.
જે ગ્રાહકો ઓનલાઈન પેમેન્ટ કરે છે, તેમને ટોકનાઈઝેશનથી ફાયદો થશે. જોકે, એ જરૂરી નથી. જે ગ્રાહકોએ પહેલેથી મર્ચન્ટ્સને કાર્ડની માહિતી સ્ટોર કરવાની મંજૂરી આપેલી છે, તેમણે ફરીથી પોતાના કાર્ડને રજિસ્ટર કરાવવું પડશે, જ્યારે કાર્ડ નેટવર્ક એ માહિતીને બદલે એક ટોકન ઈશ્યૂ કરશે જે ગ્રાહક નથી ઈચ્છતા કે કાર્ડની માહિતી સ્ટોર કરવામાં આવે કે પછી તે માત્ર એક વખત ખરીદી માટે કાર્ડ ડિટેલ આપી રહ્યા છે, તેમને ટોકનાઈઝેશનની પ્રક્રિયાને ફોલો કરવાની કોઈ જરૂર નથી.
જો તમે ટોકનાઈઝેશનનો ભાગ નથી બનવા ઈચ્છતા તો તમે તેનાથી બહાર રહી શકો છો. જોકે, એવી સ્થિતિમાં તમે જેટલી વખત ઓનલાઈન શોપિંગ કરશો તેટલી વખત તમારા કાર્ડની માહિતી આપવી પડશે, કેમકે તમારા કાર્ડની માહિતી સ્ટોર નહીં હોય.
Stock tips for 2022: નવા વર્ષમાં કયા પાંચ બેંક શેર્સ પર લગાવશો દાવ?
[ad_2]
Source link
Leave a Reply