Board Exam in Gujarat: ગુજરાતમાં ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા પાછી ઠેલાઈ, 14ના બદલે 28 માર્ચથી શરૂ થશે – in gujarat std-10 and 12 board exams postponed and will start from march 28 instead of march 14 2022

[ad_1]

| I am Gujarat | Updated: Dec 22, 2021, 7:21 PM

શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, ધોરણ-9 અને 11ના વિદ્યાર્થીઓની પરીક્ષા પણ પાછી ઠેલવામાં આવી છે

 

હાઈલાઈટ્સ:

  • રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તેવામાં શિક્ષણ વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે
  • ધોરણ 9થી 12ની પરીક્ષાઓ પાછી ઠેલવામાં આવી, વિભાગ દ્વારા પરીક્ષાઓ બે સપ્તાહ પાછી ઠેલવામાં આવી
  • પરીક્ષા પાછી ઠેલાવાના કારણે વિદ્યાર્થીઓને તૈયારીનો સમય વધારે મળશે

એક તરફ કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટે વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે ગુજરાતમાં પણ તેના કેસ વધી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. શાળાઓમાં પણ અત્યાર સુધી 30થી વધુ કેસ નોંધાયા છે. જેની અસર હવે બાળકોના શિક્ષણ પર પણ પડી રહી છે. રાજ્ય સરકાર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.
ગૌણ સેવા પેપર લીક: અસિત વોરા CMને મળ્યા, રાજીનામું આપે તેવી અટકળોતેવામાં હવે ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે ધોરણ 10 અને 12ની પરીક્ષા પાછી ઠેલી છે. ધોરણ 9 અને 11ની પરીક્ષા પણ પાછી ઠેલવામાં આવી છે. હવે ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા 14 માર્ચના બદલે 28 માર્ચે શરૂ થશે. જ્યારે 9 અને 11ની પરીક્ષા 30 માર્ચના બદલે 12 એપ્રિલે શરૂ થશે. આ ઉપરાંત ઉનાળુ વેકેશનની તારીખમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

exam6

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે બુધવારે જાહેર કર્યું હતું કે, રાજ્યની માન્યતા ધરાવતી તમામ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓના હિતમાં શૈક્ષણિક વર્ષ 2021-22માં હવે પછી લેવાનારી ધોરણ 9થી 12ની બીજી પ્રિલીમ પરીક્ષા તથા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જામનગર: જમાઈએ ભરણપોષણ પેટે આપેલી માતબર રકમ સસરાએ પાછી આપી9થી 12 ધોરણની પરીક્ષા લંબાઈ હોવાના કારણે 32 લાખ જેટલા વિદ્યાર્થીઓને લાભ થશે. વધુ સમય મળતા વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારીઓ કરવા માટે પણ સમય મળી રહેશે. હવે તેમને તૈયારીઓ માટે બે સપ્તાહ જેટલો વધારાનો સમય મળશે.

exam7

નોંધનીય છે કે ઓમિક્રોનના કારણે ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. મંગળવારે ગુજરાતમાં કોરોનાના નવા 87 કેસ નોંધાયા હતા. જ્યારે બે દર્દીઓના મોત થયા હતા. રાજ્યમાં મંગળવારે સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા હતા. અમદાવાદમાં 33 કેસ નોંધાયા હતા. ઓમિક્રોનને લઇને દુનિયાભરની આરોગ્ય સંસ્થાઓ અને વૈજ્ઞાનિકો ચેતવણી આપી ચૂક્યા છે કે, ઓમિક્રોનને લઇને બેદરકારી સમગ્ર દુનિયાને ભારે પડી શકે છે. તેમના મત મુજબ, ઓમિક્રોન વિશ્વસ્તરે કોરોનાની ત્રીજી લહેરનું કારણ બની શકે છે.

આસપાસના શહેરોના સમાચાર

Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ

Web Title : in gujarat std-10 and 12 board exams postponed and will start from march 28 instead of march 14 2022
Gujarati News from I Am Gujarat, TIL Network

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *