amit shah on ram mandir: ‘જેનામાં તાકાત હોય તે રામ મંદિરનું નિર્માણ રોકીને બતાવે’, અયોધ્યામાં ગાજ્યા અમિત શાહ – stop construction of ram mandir if anyone can, said amit shah in ayodhya

[ad_1]

હાઈલાઈટ્સ:

  • કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે હનુમાનગઢી મંદિરમાં કર્યા દર્શન
  • અયોધ્યામાં સપા, કોંગ્રેસ અને બસપા પર કર્યા આકરા પ્રહાર
  • રામસેવકોને ગોળીઓ વરસાવવાની વાતનો ઉલ્લેખ કરી સાધ્યુ નિશાન

અયોધ્યાઃ ભાજપના સિનિયર નેતા અને દેશના ગૃહ મંત્રી અમિત શાહે અયોધ્યામાં વિપક્ષી પક્ષો પર જોરદાર નિશાન સાધ્યું હતું. અમિત શાહે કહ્યું કે, હવે કોઈનામાં તાકાત નથી કે રામ મંદિરના નિર્માણને રોકીને બતાવે. તેઓએ સપા, બસપા અને કોંગ્રેસ પર આકરા પ્રકાર કરતા કારસેવકો પર ગોળીઓ ચલાવાનો ઉલ્લેખ પણ કર્યો હતો. શાહે કહ્યું કે, આજે યૂપીમાં માફિયા આવીને પોલીસ સામે સરન્ડર કરે છે.

અયોધ્યા પહોંચેલા અમિત શાહે કહ્યું કે, જે લોકો રામ મંદિરને બનવાથી રોકવા માગે છે, હું તેઓને કહેવા માગીશ કે, રોકી શકે તો રોકી લે, પરંતુ કોઈનામાં એટલી તાકાત નથી. પીએમ મોદીએ કાશી વિશ્વનાથ કોરિડરનું પુનઃનિર્માણ કર્યું. ઔરંગજેબના જમાનામાં જે બાબા વિશ્વનાથનના દર્શન માટે જતા, તેઓ ઉદાસ થઈને પાછા આવતા હતા.
ગિરનાર પર્વત પર તોફાની પવન ફુંકાયો, રોપ-વે સેવા બંધ કરવાની ફરજ પડી
અમિત શાહે કહ્યું કે, આ ફૂઈ ભત્રીજા અને કોંગ્રેસ પાર્ટી ક્યારેય યૂપીનો વિકાસ ન કરી શકે. સપાના શાસનમાં અહીં આખા રાજ્યમાં ગુંડારાજ અને માફિયાની બોલબાલા હતી. આપણા લોકોને પલાયન માટે મજબૂર કરવામાં આવતા હતા. યોગીજીની સરકાર આવ્યા બાદ પલાયન કરાવવાવાળા ખુદ ભાગી રહ્યા છે. પહેલાં માફિયાઓથી પોલીસ ડરતી હતી, જ્યારે હવે માફિયા પોલીસની સામે સરન્ડર કરી રહ્યા છે.

અમિત શાહે કહ્યું કે, આ ફૂઈ અને ભત્રીજાના શાસનમાં અમારી આસ્થાના પ્રતિકોનું સન્માન નહોતું થતું. આજે પીએમ મોદી, યૂપીના મુખ્યમંત્રી યોગીજી દરેક આસ્થાના સ્થળને ગૌરવ અપાવવા માટેનું કામ કરી રહ્યા છે. જ્યારે દેશમાં જનતાએ પૂર્ણ બહુમત સાથે ભાજપની સરકાર બનાવી, નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા અને આજે હું જોઈને આવ્યો છું કે, રામલલ્લાનું મંદિર એ જ સ્થાને આજે બની રહ્યું છે.
આર્થિક વિવાદમાં બિલ્ડરનું અપહરણ, 80 લાખ ચૂકવ્યા બાદ છોડી દેવાયો
તેઓએ કહ્યું કે, શ્રીરામના ભવ્ય મંદિરને બનાવવાથી રોકવા માટે કોંગ્રેસ, સપા અને બસપાએ પોતના શાસનમાં ખૂબ જ પ્રયાસ કર્યા હતા. તમને બધાને યાદ હશે કે આ લોકોએ કારસેવકો પર ગોળીઓ ચલાવી હતી. રામસેવકો પર દંડા વરસાવ્યા હતા, રામસેવકોને મારીને સરયુ નદીમાં ફેંકી દીધા હતા આ પહેલાં અમિત શાહે હનુમાનગઢી મંદિરમાં દર્શન કર્યા હતા.

અમિત શાહે કહ્યું કે, આ ભૂમિએ વર્ષો સુથી પ્રભુ રામલલ્લાના જન્મસ્થળ માટે સંઘર્ષ કર્યો છે. અહીં અનેક વાર વિનાશ પણ થયો અને નિર્માણ પણ થયું. પરંતુ દરેક વખતે વિનાશ પર નિર્માણે જીત મેળવી. ભાજપની સરકારમાં અયોધ્યાને પોતાનું પ્રાચીન ગૌરવ પરત અપાવવાનું કામ કર્યુ છે. અયોધ્યામાં પ્રભુ શ્રીરામના નામથી શ્રીરામ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બની રહ્યું છે, જે વિશ્વના દરેક ખૂણેથી રામ ભક્તોને અયોધ્યા લાવવાનું કામ કરશે.

Big Boss ના સેટ બહાર ફોટોગ્રાફર્સની એક વાત પર હર્ષ લિંબાચિયા શરમાઈ ગયો

[ad_2]

Source link