AMCનો કેવો વહીવટ? એક ખાડો પૂરવા માટે 48.55 કરોડ ખર્ચશે, કન્સલ્ટન્ટને ચૂકવાશે 50 લાખ – amc paid 50 lakhs for consulting of area filling opposite gandhi ashram

[ad_1]

હાઈલાઈટ્સ:

  • AMC દ્વારા ગાંધી આશ્રમના રિ-ડેવલપમેન્ટનું કામ શરુ કરવામાં આવ્યું.
  • ગાંધી આશ્રમની સામે ચંદ્રભાગામાં ખાડો ભરવાનો ખર્ચ 48 કરોડ રુપિયા.
  • ઈજનેરોની ટીમ હોવા છતાં કન્સલ્ટન્ટને 50 લાખ રુપિયા ચૂકવવામાં આવ્યા.

કોઈ પણ સરકાર અથવા તંત્ર દ્વારા જ્યારે કોઈ નવી યોજના શરુ કરવામાં આવે, નવા પ્રોજેક્ટનો પ્રસ્તાવ મૂકવામાં આવે તો ધ્યાનમાં રાખવું જરુરી છે કે તેની પાછળ નાગરિકોના કરના પૈસા વપરાશે, માટે તેનો અસરકારક ઉપયોગ થવો જોઈએ. પરંતુ તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે વહીવટ કરવામાં આવ્યા છે તે કોઈ પણ વ્યક્તિના ગળે ઉતરી શકે તેમ નથી. એએમસી દ્વારા કરવામાં આવેલા આ ખર્ચ વિષે જાણીને સામાન્ય નાગરિકને ચોક્કસપણે પ્રશ્ન થશે કે, પ્રજાના પૈસાનો આવો દુરૂપયોગ કેમ?

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાંધીઆશ્રમ રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત ડિપોઝીટરી વર્ક માટે 235 કરોડથી વધારે રુપિયાના ખર્ચની રજુઆત કરવામાં આવી છે. આ કામગીરી માટે મલ્ટીમીડિયા કન્સલ્ટન્ટ પ્રાઈવેટ લિમિટેડની નિમણુક કરવામાં આવી છે. હવે અહીં ચોંકાવનારી વાત એ છે કે એએમસી પાસે હોનહાર એન્જિનિયર્સની ફોજ હોવા છતાં તેઓ પુરાણ કરવા જેવી બાબતોની સલાહ માટે 50 લાખ રુપિયા કન્સલ્ટિંગના ચૂકવશે. પોતાના ઈજનેર હોવા છતાં એએમસીએ ખાનગી કંપની પાસે સલાહ લેવા જવાની જરુર કેમ પડી તે એક પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. આટલુ જ નહીં, ગાંધી આશ્રમની સામે પુરાણ કરવા પાછળ 48.55 કરોડ રુપિયા ખર્ચવામાં આવશે.

વિદ્યાર્થીઓ અને વાલીઓ મૂંઝવણમાં! આખરે JEE માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ક્યારે શરુ કરાશે?
ગાંધીઆશ્રમની સામે ચંદ્રભાગા પાસે એક ખાડો ભરવાનો છે. પીરાણા ડમ્પ સાઈટ પરથી રેતી લાવેની આ ખાડો ભરવાનો છે, તમ છતાં તેની પાછળ આટલી મોટી રકમ ખર્ચવાનો નિર્ણય સમજની બહાર છે. આ સિવાય, એક સ્થળેથી રેતી લાવીને બીજા સ્થળે નાખવા જેવા કામ માટે લાખો રુપિયા કન્સલ્ટિંગ પણ આપવામાં આવશે. આ કામ એએમસીના ઈજનેરો પણ કરી શકતા હતા, તેમ છતા પ્રોજેક્ટના ભાગ રુપે કન્સલ્ટન્ટની જરુર કેમ પડી? આ પ્રકારના પ્રશ્નો સામાન્ય નાગરિકને થાય તે સ્વાભાવિક છે.

અમદાવાદીઓને રાહત, AMC જાન્યુઆરીથી લાવશે પ્રોપર્ટી ટેક્સ વ્યાજ માફી યોજના
ઉલ્લેખનીય છે કે ગાંધી આશ્રમના પાછળના ભાગમાં પુરાણની કામગીરી શરુ થઈ ગઈ છે. પીરાણા સાઈટથી અહીં ચાર લાખ મેટ્રિક ટન રેતી લાવવામાં આવી છે. નોંધનીય છે કે ઘણાં લોકો દ્વારા ગાંધી આશ્રમના આ નવીનીકરણ પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અને તેમાં આ રીતે પ્રજાના પૈસાનો વિચાર્યા વગરનો ઉપયોગ જોઈને લોકો વધારે રોષે ભરાઈ શકે છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *