ahmedabad sessions court: અમદાવાદી પત્નીએ પતિ પર બળાત્કારનો આરોપ મૂક્યો, કોર્ટે નિર્દોષ જાહેર કર્યો – court acquitted husband after wife complain of raping in ahmedabad

[ad_1]

હાઈલાઈટ્સ:

  • 19 વર્ષના લગ્ન જીવન પછી પરિણીતાએ પતિ પર બળાત્કારનો આરોપ લગાવ્યો
  • અમદાવાદમાં પતિ પર લાગેલા બળાત્કારના આરોપમાં કોર્ટે પતિને રાહત આપી
  • પત્નીએ વર્ષ 2017માં કરેલી ફરિયાદ બાદ સેશન્સ કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો
  • તપાસમાં જણાયું કે બળાત્કારનો આરોપ મૂક્યો ત્યારે બન્ને સાથે જ રહેતા હતા

અમદાવાદઃ લગ્નના 19 વર્ષ પછી એક મહિલાએ પોતાના પતિ પર બળાત્કારનો આરોપ મૂક્યો હતો, જેના પર સેશન્સ કોર્ટમાં કેસ ચાલ્યો, જ્યાં કોર્ટે જણાવ્યું કે અહીં બળાત્કારના આરોપ લાગુ ના કરી શકાય, અને આ જ અવલોકન સાથે પતિને મૂક્ત કરયો છે, જ્યારે પત્નીની ગવાહી શંકાસ્પદ મનાઈ છે. (તસવીરઃ સાંકેતિક)

લગ્નેત્તર સંબંધોમાં બળાત્કારના પૂરાવા અને કાયદાકીય જોગવાઈના અભાવે કોર્ટે તે વ્યક્તિને એ આધાર પર મૂક્ત કર્યો છે કે તેની પત્ની દ્વારા કોર્ટને નરમાશ રાખવા અંગે અનુરોધ કર્યો હતો. સાથે કોર્ટે એ પણ જણાવ્યું કે આરોપ મુકનારી મહિલા માનસિક રીતે બીમાર છે અને ઘણાં વર્ષોથી તેની દવા ચાલી રહી છે.

કેસની વિગતો પ્રમાણે, સાબરમતીના 51 વર્ષના વ્યક્તિને કેટલા સાક્ષી ફરી ગયા અને કોર્ટે પત્ની પર પતિ દ્વારા બળાત્કાર કરાયો હોવાની વાત સ્વીકારી ના હોવાથી પાછલા અઠવાડિયે મુક્ત કરવામાં આવ્યો હતો. આ દંપતીના વર્ષ 1998થી સાથે રહે છે અને તેમના બે બાળકો પણ છે. મહિલાએ પતિ પર વર્ષ 2017માં બળાત્કારનો આરોપ મૂક્યો હતો, કેસ કરવામાં આવ્યો ત્યારે પતિ-પત્ની સાથે જ રહેતા હતા.

અમદાવાદ મેટ્રોનું મહત્વનું કામ પૂર્ણ, 15 ઓગસ્ટ 2022 પહેલા દોડતી કરવાનો નિર્ધાર
મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે પતિ ભાડું આપવા માટે ઘરે આવ્યો હતો અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. જ્યારે પતિએ પોતાના બચાવમાં જણાવ્યું કે, પત્નીએ તેને આકર્ષિત કર્યો હતો અને પોતે સમાગમ માટે બળજબરી નહોતી કરી. પતિ પર આઈપીસીની કલમ 376 હેઠળ ગુનો નોંધાવવામાં આવ્યો હતો. સાક્ષીઓની પૂછપરછ અને દલીલો સાંભળ્યા બાદ કોર્ટે કહ્યું કે આ કેસ કલમ 376 હેઠળ નથી આવતો કારણ કે આરોપી પતિ છે અને બન્ને લગ્ન સંબંધથી જોડાયેલા છે.

મહિલાએ એવો દાવો કર્યો હતો કે આ ઘટના બની ત્યારે તે પતિથી અલગ રહેતી હતી, કોર્ટે કહ્યું કે આ વૈવાહિક બળાત્કારની પરિભાષામાં અપવાદ ગણાશે. અહીં કલમ 376 આધારે પણ તપાસ કરવામાં આવી, જેમાં 15 વર્ષ કરતા નાની ઉંમરની પત્ની પર બળાત્કારના કેસમાં 2 વર્ષની સજાની જોગવાઈ છે. કોર્ટ નિષ્કર્ષ પર આવી કે અહીં પતિ-પત્ની અલગ નહોતા રહેતા માટે 376B લાગુ નહીં કરી શકાય. આ સાથે કેસ કલમ 375 હેઠળ પણ નહોતો આવતો.

આજે દિલ્હીમાં વાઈબ્રન્ટ સમિટનો પ્રથમ રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે
આ સિવાય આ કેસમાં પતિને મુક્ત કરવાની સાથે કોર્ટે પત્નીના કહેવા પર ભરણપોષણ અને ઘરેલુ હિંસા એક્ટ પ્રમાણે કેસ પેન્ડિંગ ગણાવ્યો છે. પત્નીએ દાવો કર્યો હતો કે તેના કપડા ફાડી નાખવામાં આવ્યા હતા તે દાવો શંકાસ્પદ છે. આ સિવાય આઈપીસીની કલમ 375 અને 376 સહમતિના સંબંધમાં 7 જોગવાઈ છે. મહિલાનું નિવેદન એ દર્શાવવા માટે પુરતું હતું કે તેણે સહમતી નહોતી આપી, પરંતુ આરોપી પતિ છે અને કાયદાકીય રીતે તેઓ અલગ નહોતા માટે સહમતીની જરુરીરિયાત મહત્વહીન બની જાય છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *