Ahmedabad schools children covid positive: બેદરકાર ના રહો! અમદાવાદની 7 સ્કૂલોના 12 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત – twelve children of seven schools in ahmedabad infected with coronavirus

[ad_1]

હાઈલાઈટ્સ:

  • ઉદ્ગમ અને મહારાજા અગ્રસેનમાં ત્રણ-ત્રણ બાળકો કોરોના સંક્રમિત.
  • લોટસ સ્કૂલ અને સીએન વિદ્યાલયના પણ એક-એક બાળકો કોરોનાનો શિકાર બન્યા.
  • કોરોના સંક્રમિત થયેલા વિદ્યાર્થીઓના વર્ગોનું ઓફલાઈન શિક્ષણ બંધ કરવા સૂચના અપાઈ.

અમદાવાદ: ગુજરાતમાં કોરોના વિસ્ફોટ થયો છે સાથે જ અમદાવાદની સ્કૂલોમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી છે. એક જ દિવસમાં 7 સ્કૂલોના 12 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. મહારાજા અગ્રસેનમાં એકસાથે ત્રણ બાળકો જ્યારે ઉદ્ગમ સ્કૂલમાં પણ 3 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આમ, અમદાવદ શહેરમાં રોજેરોજ કોરાનાના કેસ વધી રહ્યા છે તેમ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયાના કેસ પણ વધ્યા છે. સ્કૂલોમાં કોરોનાના કેસો વધતાં જિલ્લા શિક્ષણાધિકારીએ વર્ગો બંધ કરાવાનો આદેશ આપ્યા છે.

દેશમાં ઓમિક્રોનથી પહેલુ મોત, નાઇજીરિયાથી આવેલા સંક્રમિતે દમ તોડ્યો

અમદાવાદમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને ત્રીજી લહેરમાં સૌથી વધુ જોખમ બાળકોને હોવાનું કહેવાઈ રહ્યું છે ત્યારે તેમના સંક્રમિત થયાના કિસ્સામાં પણ વૃદ્ધિ નોંધાઈ છે. અમદાવાદમાં સૌપ્રથમ છારોડીની નિરમા સ્કૂલમાં એકસાથે ત્રણ વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા હતા અને ત્યારબાદ રોજેરોજ શાળાઓમાં કોરોના સંક્રમણ વધતું દેખાઈ રહ્યું છે. ગુરુવારે એકસાથે 9 જેટલા વિદ્યાર્થીઓ સંક્રમિત થતાં વાલીઓમાં ફફડાટ છે.

વેજલપુરમાં આવેલી લોટસ સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયો છે. જ્યારે બોપલ સ્થિત ડીપીએસમાં પણ નવમા ધોરણનો એક વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યો છે. આ વિદ્યાર્થીના પરિવારે સ્કૂલને આ અંગેની માહિતી આપી હતી. આ વિદ્યાર્થી 28 ડિસેમ્બરે સ્કૂલમાં આવ્યો હતો જેથી તે વર્ગનું ઓફલાઈન શિક્ષણ 7 જાન્યુઆરી 2022 સુધી અટકાવી દેવાયું છે. આ ઉપરાંત વર્ગના અન્ય વિદ્યાર્થીઓનો તકેદારીના ભાગરૂપે કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે.

મેમનગરમાં આવેલી મહારાજા અગ્રસેનમાં પણ એકસાથે ત્રણ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં ધોરણ 10માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અને ધોરણ 2ના એક વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. અહેવાલ પ્રમાણે, ધોરણ 10 અને ધોરણ 2ના સંક્રમિત વિદ્યાર્થીઓ ભાઈ-બહેન છે. આ વિદ્યાર્થીઓ 10 ડિસેમ્બરથી જ સ્કૂલે ના આવ્યા હોવાની માહિતી મળી છે. સંત કબીર સ્કૂલમાં ઝોરણ 11માં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી અને પ્રાથમિક વિભાગનો એક વિદ્યાર્થી પોઝિટિવ આવ્યો છે.

રાજ્યમાં 15-18 વર્ષના બાળકોના રસીકરણ માટે યોજાશે મેગા ડ્રાઈવ

આ ઉપરાંત સીએન વિદ્યાલયનો એક વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયો છે. મેમનગર સ્થિત એચ.બી. કાપડિયા સ્કૂલનો એક વિદ્યાર્થી પણ કોરોના પોઝિટિવ છે. જોકે, આ વિદ્યાર્થી પણ લાંબા સમયથી સ્કૂલે ના આવ્યો હોવાની માહિતી મળી છે. જેથી વાલીએ સ્કૂલને આ અંગેની માહિતી આપી હતી. આમ, શહેરની કુલ સાત સ્કૂલોના બાર વિદ્યાર્થીઓ એક જ દિવસમાં કોરોનાની ઝપેટમાં આવ્યા છે. જેથી અમદાવાદ શહેરના ડીઈઓ હિતેન્દ્રસિંહ પઢેરિયા અને અમદાવાદ ગ્રામ્યના ડીઈઓ આર.આર. વ્યાસે સ્કૂલોના જે-તે વર્ગો બંધ કરવા માટે સૂચના આપી છે. અમદાવાદ શહેરમાં અત્યાર સુધી 11 જેટલી ખાનગી સ્કૂલોમાં કોરોનાએ પગપેસારો કર્યો છે.

[ad_2]

Source link