[ad_1]
ઓમિક્રોન વેરિયન્ટથી સ્વસ્થ થયેલા પ્રફુલ શાસ્ત્રીએ મીડિયા સમક્ષ જણાવ્યા અનુસાર ઓમિક્રોનથી કોઈએ ડરવાની જરૂર નથી, પરંતુ સાવચેત રહેવાની જરૂર છે. વેક્સિનને લઈને પ્રફુલ શાસ્ત્રીએ કહ્યું કે, વેક્સીન લીધી છે તો ચિંતા કરવાની જરૂર નથી, અને જેણે વેક્સીન લીધી નથી તેમને જલ્દી જ રસી જોઈએ. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાથી સ્વસ્થ થયા બાદ પુષ્પવર્ષા અને તાલીઓના ગડગડાટ સાથે પ્રફુલ શાસ્ત્રીને રજા આપવામાં આવી હતી. આ દરમિયાન હોસ્પિટલનો સ્ટાફ અને સુપરિટેન્ડેન્ટ પણ હાજર રહ્યા હતા.
ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર રવિવાર સાંજ સુધી રાજ્યમાં કોરોનાના નવા 177 કેસ નોંધાયા છે. જો કે, કોઈ દર્દીનું મોત થયું નથી. નવા નોંધાયેલા કેસોમાં 25 ટકા જેટલા કેસ તો એકલા અમદાવાદ શહેરમાં નોંધાયા છે. નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદના 53, રાજકોટના 36, સુરતના 25 અને વડોદરાના 15 કેસોનો સમાવેશ થાય છે.
[ad_2]
Source link
Leave a Reply