[ad_1]
Deepak Bhati | Agencies | Updated: Nov 12, 2021, 12:02 PM
અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર બસ-ટ્રક-ટેમ્પો અથડાયા, મૃતકોમાં ભાજપના નેતા અને તેમના પત્ની હોવાનું સામે આવ્યું

હાઈલાઈટ્સ:
- ભિલાડ નજીક સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં 3ના ઘટનાસ્થળે જ મોત, 4 ઘાયલ
- બનાવની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો
- ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડીને પોલીસ આગળની તપાસ હાથ ધરી
બસ, ટ્રક અને ટેમ્પો વચ્ચે સર્જાયો અકસ્માત
પ્રાપ્ત અહેવાલો અનુસાર અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વલસાડના ભિલાડ નજીક બસ, ટ્રક અને ટેમ્પો વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં ત્રણ લોકોનાં મોત થયાં છે. ભિલાડ નજીક કનાડુ ગામના દંપતી સહિત 3 લોકોના મોત થયા છે, જ્યારે 4થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. તપાસ દરમિયાન મૃતક દંપતી કનાડુ ગામના ભાજપના અગ્રણી મુકેશભાઈ અને તેમની પત્ની હોવાનું સામે આવ્યું છે. તેઓ પત્ની સાથે પરત ઘરે ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં અકસ્માત નડ્યો હતો.
ભાજપ અગ્રણી અને પત્ની સહિત 3નાં મોત
ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામનારા મુકેશભાઈ કનાડુ ગામના રહેવાસી છે અને ભાજપના અગ્રણી છે. તેઓ ઉમરગામ તાલુકા પંચાયતના સભ્ય અને કનાડુ બેઠકના સભ્ય હતા. મુકેશભાઈ પોતાની પત્ની સાથે પરત ફરી રહ્યા હતા ત્યારે ત્રિપલ અકસ્માતમાં બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આ ઉપરાંત અન્ય એક વ્યક્તિનું મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બનાવને પગલે સ્થાનિકો તાત્કાલિક દોડી આવ્યા હતા. બનાવને પગલે ટ્રાફિકજામ પણ સર્જાયો હતો.
જોધપુરમાં રોડ પર મોત બનીને દોડી AUDI કાર, વાયરલ વિડીયોમાં દેખાયો કહેર
ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો. હાલ ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડીને પોલીસે અકસ્માતને મોતનો ગુનો દાખલ કરીને ઘટનાની વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, દિવાળીની રજાઓમાં વાંકાનેર પાસે એક કાર કૂવામાં ખાબકતા અમદાવાદના એક જ પરિવારના 4 સભ્યોનું કરૂણ મોત નીપજ્યું હતું.
આસપાસના શહેરોના સમાચાર
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
Gujarati News from Iam Gujarat, TIL Network
[ad_2]
Source link
Leave a Reply