15-years-old cheque: અમદાવાદનો કિસ્સો.. 15 વર્ષ જૂના ચેકથી 50 હજાર રૂપિયા બેંક ખાતામાંથી ટ્રાન્સફર થયા – 50k transfer to another bank account by using 15-years-old cheque in ahmedabad

[ad_1]

હાઈલાઈટ્સ:

  • અમદાવાદમાં વેપારીના ખાતામાંથી 15 વર્ષ જૂના ચેકથી 50,000 રૂપિયા ઉપડી ગયા
  • વેપારી બેંકમાં પૈસા ઉપાડવા માટે ગયા ત્યારે બધું જાણીને તેમને ભારે આશ્ચર્ય થયું હતું
  • તેમણે આ અંગે શહેરના એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે

અમદાવાદઃ શહેરના લૉ ગાર્ડન વિસ્તારમાં બનેલી ઘટનામાં વેપારીના બેંક ખાતામાંથી 50 હજાર રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા છે. આ અંગે રવિવારે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. બેંકમાંથી ડેબિટ થયેલા રૂપિયા 15 વર્ષ જૂના ચેકના આધારે ઉપાડવામાં આવ્યા છે. હવે આ રૂપિયા કોણ લઈ ગયું બેંકે શું ભૂલ કરી વગેરે તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. (સાંકેતિક તસવીર)

15 વર્ષ જૂનો ચેક અને તેના આધારે રૂપિયા 50 હજાર ઉપાડવામાં આવ્યા છે, આ કેસ રહસ્યમય બની રહ્યોછે અને રાષ્ટ્રીય બેંકની બેદરકારી પણ છતી થઈ રહી છે, જે ચેકમાં વર્ષ 2006માં રૂપિયા ઉપાડવા માટે મંજૂરી અપાઊ હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની ગાઈડલાઈન્સ પ્રમાણે ચેક જે તારીખે લખાયો હોય તે બાદ તેની સમય અવધી 3 મહિના સુધી રહે છે.

અમદાવાદીઓને રાહત, AMC જાન્યુઆરીથી લાવશે પ્રોપર્ટી ટેક્સ વ્યાજ માફી યોજના
લૉ ગાર્ડન વિસ્તારમાં આવેલા ઠાકોરભાઈ ટાવરમાં રહેતા મયૂર વૈદ્ય જણાવે છે કે તેઓ નહેરુનગરમાં આવેલી તેમની બેંકની બ્રાન્ચમાંથી લગભગ 40,000 જેટલા રૂપિયા ઉપાડવા માગતા હતા. જ્યારે બેંકના કર્મચારીએ તેમનું અકાઉન્ટ ચેક કર્યું ત્યારે મયૂર વૈદ્યને જણાવ્યું કે તેમના અકાઉનમાં પૂરતું બેલેન્સ નથી. જ્યારે વેપારી મયૂરે પોતાના ખાતાનું સ્ટેટમેન્ટ લઈને તપાસ કરી તો તેમાં કંઈક લોચો હોવાનું જણાવ્યું હતું.

બેંક સ્ટેટમેન્ટ તપાસતા માલુમ પડ્યું કે તેમના ખાતામાંથી ચેકથી 50,000 રૂપિયા પાનકિલ એન દવેના ખાતામાં 21 ડિસેમ્બરના રોજ ટ્રાન્સફર થયા છે. વેપારીએ જણાવ્યું કે તેઓ આ પાનકિલ એન દવે નામના વ્યક્તિને ક્યારેય મળ્યા જ નથી અને આવું નામ પણ તેમણે સાંભળ્યું નથી. આ કેસમાં વધારે તપાસ કરતાઈ તો વેપારીને માલુમ પડ્યું કે તેમણે જે ચેક વર્ષ 2006માં આપ્યો હતો જેના આધારે ખાતામાંથી રૂપિયા ઉપાડવામાં આવ્યા છે. જોકે, આ RBIની ગાઈડલાઈન્સની વિરુદ્ધમાં થયું છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ટાટા ગ્રૂપ 300 રૂમની લક્ઝરી હોટેલ શરૂ કરશે
એલિવેટરના ધંધા સાથે સંકળાયેલા મયૂર વૈદ્યએ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું કે, બેંકવાળાએ અન્ય ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરતા પહેલા બરાબર વિગતો ચકાસવી જોઈએ. તેઓ કોઈને કઈ રીતે 15 વર્ષ જૂના ચેક પર રૂપિયા ટ્રાન્ફર કરી શકે છે. આ RBIની ગાઈડલાઈન્સની વિરુદ્ધમાં થયું છે.

વેપારી મયૂરે જણાવ્યું કે બેંકવાળાએ તેમની ભૂલ સ્વીકારી છે અને તેઓએ જણાવ્યું કે રૂપિયા તેમના ખાતામાં પરત લાવી આપશે.

એલિસબ્રિસ પોલીસ આ કેસમાં એ તપાસ કરશે કે કોણે મયૂર વૈદ્યના ખાતામાંથી 15 વર્ષ જૂના ચેકનો ઉપયોગ કરીને રૂપિયા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા છે કે પછી આમાં કોઈ બેંક ઓફિસની મિલીભગત હતી.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *