સૌરવ ગાંગુલીની જેમ પત્ની અથવા પ્રેમિકાને તણાવનું કારણ માનતા લોકોએ વાંચવો જોઈએ આ સર્વે – people who consider wife and gf reason of stress like sourav ganguli should know result of this survey

[ad_1]

હાઈલાઈટ્સ:

  • મહિલાઓને લગતા એક નિવેદનને કારણે વિવાદમાં સપડાયા સૌરવ ગાંગુલી.
  • માત્ર પત્ની અને ગર્લફ્રેન્ડ તણાવ આપે છે, સૌરવ ગાંગુલીએ પ્રશ્નના ઉત્તરમાં કહ્યું.
  • સૌરવ ગાંગુલી જેવા લોકોએ 18 રાજ્યોમાં થયેલા આ સર્વેનું પરિણામ વાંચવુ રહ્યું.

નવી દિલ્હી- બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી પોતાના એક નિવેદનને કારણે વિવાદમાં મૂકાયા છે. થોડા દિવસો પહેલા ગુરુગ્રામમાં એક ઈવેન્ટ દરમિયાન સૌરવ ગાંગુલીને જ્યારે પૂછવામાં આવ્યું કે, તેઓ પોતાના જીવનમાં સ્ટ્રેસનો સામનો કેવી રીતે કરે છે. આના જવાબમાં સૌરવ ગાંગુલીએ કહ્યુ હતું કે, જીવનમાં કોઈ સ્ટ્રેસ નથી, માત્ર પત્ની અને ગર્લફ્રેન્ડ જ તણાવ આપતા હોય છે. ગાંગુલીએ ભલે આ વાત મજાકમાં કહી હોય, પરંતુ મોટી સંખ્યામાં એવા લોકો છે જે ખરેખર આ વાતને હકીકત સમજતા હોય છે. પરંતુ તેઓ દેશમાં મહિલામાં દેશની સ્થિતિથી વાકેફ નથી.

તાજેતરમાં જ રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેનું પરિણામ સામે આવ્યુ હતું. આ સર્વેમાં 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં સામે આવ્યુ હતું કે, 14 રાજ્યોની 30 ટકાથી વધારે મહિલાઓએ પતિ દ્વારા કરવામાં આવતી હિંસાને યોગ્ય જણાવી હતી. અહીં ચોંકાવનારી બાબત એ છે કે, પત્નીઓની મારપીટને યોગ્ય જણાવનાર પુરુષોની સંખ્યામાં મહિલાઓની સંખ્યા ઓછી હતી.

સૌરવ ગાંગુલી વધુ એક વિવાદમાં ફસાયા, સ્ત્રીઓ પર કરેલી ટિપ્પણીનો લોકોએ કર્યો વિરોધ
તણાવની વાત કરીએ તો, કદાચ ભારતીય મહિલાઓ સૌથી વધારે તણાવમાં રહે છે. NFHSના આંકડા અનુસાર, મોટાભગના ઘરોમાં મહિલાઓની સ્થિતિ બીજા દરજ્જાની હોય છે. સર્વેમાં શામેલ 18 રાજ્યોમાંથી 14ની 30 ટકાથી વધારે મહિલાઓ જ્યારે ઘરેલુ હિંસાને યોગ્ય જણાવતી હોય તો તમે વિચારી શકો છો કે બિનસત્તાવાર સ્થિતિ કેટલી ખરાબ હશે.

ઉલ્લેખનીય છે કે તેલંગણા, આંધ્ર પ્રદેશ અને કર્ણાટકમાં 75 ટકાથી વધારે મહિલાઓએ પુરુષો દ્વારા થતી મારપીટને યોગ્ય જણાવી છે. આ આંકડો ખરેખર ચિંતાજનક છે. આ મહિલાઓને જ્યારે મારપીટ પાછળનું કારણ પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, ઘર અથવા બાળકોના કામમાં કમી રહી જવી, સાસરીયાઓ પ્રત્યે નારાજગી વ્યક્ત કરવી અથવા તેમના સન્માનમાં કમી રહી જવી વગેરે જેવા મુખ્ય કારણો આપ્યા.

હાઈકોર્ટની ઓનલાઈન સુનાવણી દરમિયાન વકીલે મહિલા સાથે કરી અશ્લીલ હરકત, વિડીયો વાયરલ
હૈદરાબાદ સ્થિત એક એનજીઓ રોશનીના ડિરેક્ટર ઉષાશ્રીએ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, કોરોનાકાળ દરમિયાન ઘરેલુ હિંસા અને યૌન શોષણના કેસ ઘણાં વધી ગયા. પરિવાર વચ્ચે તણાવ વધી ગયો અને અમારી પાસે આવનારા કોલ્સની સંખ્યામાં પણ વધારો થયો. ભારતમાં આજે પણ એવા ઘણા પરિવાર છે જ્યાં નજીવી બાબતોમાં મહિલાઓને માર મારવામાં આવે છે. પત્ની બાળકોનું ધ્યાન ના રાખી શકે, શારીરિક સંબંધ બાંધવાની ના પાડે, જમવાનું સારું ના બને, તો તેમને મારવામાં આવે છે. મહિલાઓનો વ્યવહાર સમાજ દ્વારા નક્કી કરવામાં આવ્યો છે. જો આ ગુનાઓ રોકવા હશે તો મહિલાઓએ આ મારપીટનો સ્વીકાર કરવાનું બંધ કરવું પડશે. અને સૌરવ ગાંગુલી જેવી હસ્તીઓએ આ પ્રકારના નિવેદનો આપતા પહેલા વધારે સંવેદનશીલ રહેવું પડશે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *