મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડતી શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન હવે ગાંધીનગર સુધી જશે – mumbai ahmedabad shatabdi express train will now run from gandhinagar

[ad_1]

હાઈલાઈટ્સ:

  • વાઈબ્રન્ટ સમિટ અગાઉ પશ્ચિમ રેલવેએ લીધો મહત્વનો નિર્ણય.
  • મુંબઈ-અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ હવે ગાંધીનગર સુધી જશે.
  • શતાબ્દી એક્સપ્રેસ અમદાવાદ નહીં ગાંધીનગર સ્ટેશનથી ઉપડશે.

અમદાવાદ- ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરના લોકોને રાહત આપનારો એક નિર્ણય પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. રેલવે દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડતી સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ હવે ગાંધીનગરથી ઉપડશે અને ગાંધીનગર સુધી જશે. ઉલ્લેખનીય છે કે મુંબઈથી ઉપડતી આ ટ્રેન પહેલા અમદાવાદ રેલવે સ્ટેશન સુધી આવતી હતી, પરંતુ હવે તે આગળ ગાંધીનગર સુધી જશે.

પશ્ચિમ રેલવેના અધિકારીઓએ જણાવ્યું કે, શુક્રવાર એટલે કે 24મી ડિસેમ્બરથી આ નિર્ણયને અમલમાં મૂકવામાં આવશે. શુક્રવારથી ટ્રેન ગાંધીનગર સુધી જવાની શરુઆત કરશે. સવારે 6.10 વાગ્યે શતાબ્દી એક્સપ્રેસ મુંબઈથી નીકળશે અને બપોરે 12.22 વાગ્યે તે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પહોંચશે. આ ટ્રેન 12.37ના સુમારે અમદાવાદથી ગાંધીનગર જવા નીકળશે અને 1.40ની આસપાસ ગાંધીનર પહોંચી જશે. પહેલા આ ટ્રેન મુંબઈથી સવારે 6.40એ નીકળતી હતી અને 12.55એ અમદાવાદ પહોંચી જતી હતી.

ગુજરાતમાં ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા પાછી ઠેલાઈ, 14ના બદલે 28 માર્ચથી શરૂ થશે
આ જ પ્રકારે ટ્રેન ગાંધીનગરથી બપોરે 2.20 વાગ્યે નીકળશે અને 3.05 સુધીમાં અમદાવાદ રેલવે સ્ટેશન પહોંચી જશે. ટ્રેન મુંબઈ સ્ટેશન 9.45એ પહોંચશે. અગાઉ ટ્રેન અમદાવાદથી 2.50એ ઉપડતી હતી અને 9.20 સુધીમાં મુસાફરોને મુંબઈ પહોંચાડી દેતી હતી. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે, લોકલ ટ્રેન સિવાય શતાબ્દી ટ્રેન ગાંધીનગર રેલવે સ્ટેશનથી ઉપડતી પાંચમી ટ્રેન હશે. આ પહેલા ઈન્દોર જતી શાંતિ એક્સપ્રેસ હરિદ્વાર જતી યોગા એક્સપ્રેસ, વારાણસી જતી GNC BSB SPL, અમદાવાદ થઈને દિલ્હીથી મુંબઈ જતી ગરીબરથ ટ્રેન ગાંધીનગર સ્ટેશન પર રોકાતી હતી.

અમદાવાદ: થલતેજ અને ગુરુકુળમાં આવેલી સ્કૂલોના બે વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત
ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી મહિનામાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટમાં મોટી સંખ્યામાં મહેમાનો અન્ય રાજ્યોમાંથી આવતા હોય છે. એક અધિકારી જણાવે છે કે, વાઈબ્રન્ટ સમિટમાં ભાગ લેવા મુંબઈથી આવતા મહેમાનોની સુવિધાને ધ્યાનમાં રાખીને આ સમયે ટ્રેનનો રુટ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હોઈ શકે છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *