[ad_1]
હાઈલાઈટ્સ:
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એકાએક લીધી સ્વર્ણિમ સંકુલની મુલાકાત.
- મંત્રીઓ પ્રજાના દિવસે હાજર છે કે નહીં તે જોવા માંગતા હતા CM.
- ઓફિસોની બહાર ઉભેલા સામાન્ય લોકોને પણ પ્રશ્નો પૂછ્યા.
નોંધનીય છે કે મહારાષ્ટ્રથી અલગ થઈને ગુજરાત જ્યારે અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું ત્યારથી અમદાવાદ અથવા ગાંધીનગર સ્થિત સચિવાલયમાં લગભગ દરેક અઠવાડિયાના સોમવાર અને મંગળવારે લોકો, સમાજાના આગેવાનો, ધારાસભ્યો- સાંસદો તેમના મત-વિસ્તારના કામો માટેની રજૂઆત કરવા મંત્રીઓની મુલાકાત કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરંતુ એક એવી છાપ ઉભી થઈ રહી હતી કે મંત્રીઓ આ બે દિવસોમાં પણ ગેરહાજર રહે છે, અને હાજર હોય તો પણ લોકોના કામો સંતોષકારક રીતે પૂરા નથી થતા. આ વાતોનો ખુલાસો કરવા 22મી તારીખે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે સ્વર્ણિમ સંકુલ- 1માં બેસતા તમામ મંત્રીઓની ઓફિસોમાં પહોંચ્યા હતા. ભૂપેન્દ્ર પટેલની આ મુલાકાત મંત્રીઓ માટે પણ આશ્ચર્યજનક હતી.
એકાએક મુખ્યમંત્રી આવી પહોંચતા સ્વર્ણિમ સંકુલમાં સન્નાયો છવાઈ ગયો હતો. તેમની આ મુલાકાત દરમિયાન મોટાભાગના કેબિનેટ મંત્રીઓ પોતાની કેબિનમાં હાજર હતા. બે મંત્રીઓ ગેરહાજર હતા. પ્રાપ્ત જાણકારી અનુસાર, પૂર્ણેશ મોદી સુરતમાં એક કાર્યક્રમમાં વ્યસ્ત હતા તેમજ કિરિટસિંહ રાણા જમવા ગયા હતા. આ સિવાય મોટાભાગના મંત્રીઓ હાજર હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓ સાથે તેમના વિભાગોની સમસ્યાઓની, અધિકારીઓના વાણી-વર્તનની મૌખિક જાણકારી મેળવી હતી. આટલુ જ નહીં, મંત્રીઓની કેબિનની બહાર ઉભેલા સામાન્ય લોકોને પણ પ્રશ્નો કર્યા હતા. તેમના શું પ્રશ્નો છે, મંત્રીઓ તેમની સાથે કેવું વર્તન કરે છે, તેમના કામ થાય છે કે કેમ, સંતોષકારક જવાબ મળે છે કે નહીં, મંત્રીઓ બાબતે કોઈ ફરિયાદ છે? વગેરે પ્રશ્નો તેમણે સામાન્ય નાગરિકોને કર્યા હતા.
[ad_2]
Source link
Leave a Reply