ધંધામાં નુકસાન થતાં પિયરમાંથી 18 લાખ લઈ આવવા કહ્યું, ના પાડતાં પતિએ કાઢી મૂકી – ahmedabad woman files complaint against husband and in laws for who kicked out her

[ad_1]

હાઈલાઈટ્સ:

  • ધંધામાં નુકસાન થતાં સાસરિયાંએ મહિલાને પિયરમાંથી રૂપિયા લઈ આવવા કહ્યું દબાણ
  • લગ્ન થયાના બે મહિનાની ્અંદર જ પતિ તેમજ સાસુ-સસરાએ દેખાડ્યું હતું અસલી રૂપ
  • મહિલાએ અત્યાચારથી કંટાળીને સાસરિયાં સામે પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ

અમદાવાદઃ રાજ્યભરમાં મહિલાઓ સાથે થતાં અત્યારચારના કેસ વધી રહ્યા છે. દહેજ પ્રતિબંધક કાયદો હોવા છતાં કેટલાક લોકો સુધર્યા નથી અને પત્ની/વહુને દહેજ લાવવા માટે દબાણ કરતાં રહે છે. જો તે આમ ન કરે તો તેને ઘરમાંથી કાઢી મૂકવામાં આવે છે અથવા તેને માર મારીને શારીરિક તેમજ માનસિક શોષણ કરવામાં આવે છે. ખાસ કરીને છેલ્લા કેટલાક મહિનામાં આવા કેસ ખૂબ જ વધ્યા છે.

અમદાવાદી પત્નીએ પતિ પર બળાત્કારનો આરોપ મૂક્યો, કોર્ટે નિર્દોષ જાહેર કર્યો
બુધવારે અમદાવાદમાં પૈસાની બાબતને લઈને મહિલા પર થયેલા અત્યાચારનો કેસ નોંધાયો હતો. વાત એમ છે કે, કપડાના ઘંધામાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે પતિએ પત્નીને તેના માતા-પિતાના ઘરેથી 18 લાખ રૂપિયા લઈ આવવા કહ્યું હતું. પરંતુ 45 વર્ષીય મહિલાએ તેમ કરવાનો ઈનકાર કરી દેતા પતિએ તેને અપશબ્દો કહ્યા હતા, માર માર્યો હતો અને ઘરમાંથી કાઢી મૂકી હતી. મહિલાએ એરપોર્ટ પોલીસ સમક્ષ આઈપીસીની કલમ 498A (ક્રૂરતા), 294A (b) (અશ્લીલ શબ્દોનો ઉપયોગ) અને 323 (પીડા આપવી) હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

નિશા વાધવાની (નામ બદલ્યું છે) ફરિયાદમાં પતિ સહિત સાત લોકોના નામ નોંધાવ્યા હતા. મહિલાએ કહ્યું હતું કે, તેના લગ્ન 1999માં થયા હતા અને સરદારનગરમાં પતિ સાથે રહેવા લાગી હતી. તેણે કહ્યું હતું કે, તેના લગ્નના બે મહિનામાં જ, તેના સાસરિયાંએ તેને અપશબ્દો કહેવાનું શરૂ કરી દીધુ હતું અને અવારનવાર પિયરમાંથી પૈસા લઈ આવવાનું કહેતા હતા. પતિ પણ તેનું શોષણ કરતો હોવાનો ઉલ્લેખ તેણે ફરિયાદમાં કર્યો હતો.

પોતાની ત્રણ દીકરીઓની હત્યાના ખોટા કેસમાં ફસાયેલા પિતાને 19 વર્ષે ન્યાય મળ્યો
મહિલાએ કહ્યું હતું કે, પરિવાર તેના અથવા દીકરા-દીકરીના ખર્ચ માટે રૂપિયા આપવાનો ઈનકાર કરચો હતો. તેણે કહ્યું હતું કે, તેને પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે પૈસા મેળવવા નોકરી કરવા મજબૂર કરાઈ હતી.

તેણે વધુમાં કહ્યું હતું કે, જ્યારે તેણે તેના પિતાને આ વિશે જાણ કરી તો તેઓ 2.25 લાખ લઈને શહેરમાં આવ્યા હતા, આ સિવાય તેઓ મુંબઈથી નિયમિત રૂપિયા મોકલતા રહેતા હતા. તેણે જણાવ્યું હતું કે, પરિવારે હાલમાં કપડાનો ધંધો શરૂ કર્યો હતો, જેમાં 18 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. આ દેવું ચૂકવવા માટે તેના પર દબાણ કરવાનું શરૂ કરી દીધું હતું.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *