‘જય શ્રીરામ કહેવુ ખોટું નથી, પણ તેમની જેમ બનવું પણ જોઈએ’, મોહન ભાગવતે કહી મોટી વાત – rss president mohan bhagwat says it’s important to be like shree ram

[ad_1]

હાઈલાઈટ્સ:

  • રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે કહી મહત્વની વાત.
  • જોરથી જય શ્રીરામના નારા બોલાવનારા લોકોને કહી એક ખાસ વાત.
  • મોહન ભાગવતે કહ્યું લોકોએ જય શ્રીરામની જેમ બનવાની જરૂર છે.

નવી દિલ્હી- રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે જય શ્રીરામના નારા લગાવનારા લોકોને ખાસ સલાહ આપી છે. તેમણે કહ્યું કે, આપણે જય શ્રીરામના નારા જોરથી બોલાવીએ છીએ, પરંતુ શ્રીરામની જેમ બનવું પણ જરૂરી છે. સત્ય એ છે કે આપણે ભગવાન રામ દ્વારા બતાવવામાં આવેલા રસ્તા પર ચાલવાની પણ જરૂર છે. ઉલ્લેખનીય છે કે ભાગવત રાજધાની દિલ્હીમાં રાષ્ટ્રીય સેવા ભારતીના સહયોગથી સંત ઈશ્વર ફાઉન્ડેશન તરફથી આયોજિત સંત ઈશ્વર સન્માન 2021 સમારોહમાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ધર્મ, કર્મ અને રાજકારણ જેવા તમામ મુદ્દાઓ પર પોતાના અભિપ્રાય વ્યક્ત કર્યા હતા.

મોહન ભાગવતે કહ્યું કે, પોતાના સ્વાર્થને ભુલીને લોકોની ભલાઈનું કામ કરવું એક મુશ્કેલ કામ હોય છે. આ પ્રકારના પથ પ્રદર્શિત કરનારા મહાપુરુષો અનેક છે. આખી દુનિયાના તમામ દેશોના કુલ મળીને જેટલા મહાપુરુષ આ બાબતે બોલ્યા હશે, તેટલા પાછલા 200 વર્ષમાં આપણા ત્યાં હશે. આ તમામ મહાપુરુષોના જીવન શ્રેષ્ઠ જીવનનો માર્ગ દર્શાવે છે. જો કે જ્યારે આ માર્ગ ઉજાગર થાય છે, ત્યારે તેમાં કાંટા અને કાંકરા પણ હોય છે. પછી ઘણાં લોકો હિંમત નથી કરતા. તેમની પૂજા, જયંતી, પુણ્યતિથિ અને જય-જયકાર કરવા લાગે છે.

કૃષિ કાયદા રદ કરવાથી ચૂંટણીમાં ભાજપને થશે ફાયદો? સી-વોટરના સર્વેમાં સામે આવી આ વાત
મોહન ભાગવતે આગળ જણાવ્યું કે, જેમ કે આપણે અત્યારે જોરથી જય શ્રીરામનો નારો લગાવીએ છીએ. કહેવું પણ જોઈએ. તે કોઈ ખોટી વાત નથી. પરંતુ શ્રીરામ જેવા બનવું પણ જોઈને. આપણ વિચારીએ છીએ કે તે ભગવાન હતા. ભરતની જેમ ભાઈને પ્રેમ કરનાર ભાઈ બનવું પણ જોઈએને. પરંતુ આપણે તેમ નથી કરતા. આ એક સામાન્ય વ્યક્તિની પ્રતિક્રિયા હોય છે. આ જ કારણોસર તેમના તેજમાં ઉજાગર થનારા માર્ગ પર ચાલવાની હિંમત આપનાપા લોકો આપણે જેવા જ હોય છે. લોકોમાં તે અલૌકિક નથી બનતા. કોઈ પ્રકારની અપેક્ષા નથી રાખતા. પોતાનું કામ કરે છે અને ચુપચાપ કરે છે.

‘તમે એકતરફી જાહેરાતનો રસ્તો પસંદ કર્યો, અમે નિરાશ છીએ’, કિશાન મોરચાનો પીએમને પત્ર
પરિવારના મહત્વ વિષે વાત કરતાં મોહન ભાગવતે કહ્યું કે, જો પરિવારનું આચરણ યોગ્ય હશે તો દેશની પેઢી ભટકી નથી શકતી. લોકો ધર્મને પૂજાની દ્રષ્ટિથી જુએ છે. પરંતુ ધર્મ માનવ ધર્મ છે અને આ જ પ્રકારનો હિન્દુ ધર્મ ભારતમાંથી નીકળ્યો છે. તેમણે આગળ જણાવ્યું કે, પાછલા 75 વર્ષમાં આપણે જેટલું આગળ વધવા જેવુ હતું તેટલું નથી વધ્યા. આપણી પાસે તાકાત છે, પરંતુ કર્મ કરવાની પણ જરુર છે. દેશને આગળ લઈ જતા રસ્તા પર ચાલીશું તો જ આગળ વધી શકીશું. આપણે તે રસ્તા પર નથી ચાલ્યા, માટે આગળ નથી વધી શક્યા.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *